વડોદરા ભાજપના સંગઠન માળખાની જાહેરાત, ડૉ. જયપ્રકાશ સોનીની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન
વડોદરા શહેર ભાજપમાં લાંબા સમયની રાહ જોવાયા પછી નવી સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ વિવિધ પદો પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવી અને યુવા કાર્યકરોનો સમન્વય કરવામાં આવ્યો છે અને શહેરના દરેક વોર્ડ અને મંડળનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મુખ્ય સંગઠન માળખું – ઉપપ્રમુખ: નિલેશભાઈ રાણા, કુમારી કોમલબેન કુકરેજા, ભુરસીંગભાઈ રાઠવા, શુભાંગીનીબેન જગતાપ, નરેન્દ્રભાઈ પટેલ, નિમિષાબેન પંચાલ, ભરતભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ રાઠોડ – મહામંત્રી: લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પઢિયાર, રમેશભાઈ પટેલ – મંત્રી પદ: અશોક સવજીભાઈ ચૌધરી, વર્ષાબેન વ્યાસ, પ્રતિમાબેન મિસ્ત્રી, ખુશબુબેન રાણાપુરા, સમીરભાઈ વાઘેલા, ચિરાગભાઈ ફણસે, યુગાદિત્યસિંહ જાડેજા, કોમલબેન દવે – કોષાધ્યક્ષ: તેજસભાઈ દેસાઈ – કાર્યાલય મંત્રી: નયન નટુભાઈ ચૌહાણ વિવિધ સેલના ઈન્ચાર્જ – સોશિયલ મીડિયા: ભાર્ગવભાઈ ભરતકુમાર સોલંકી – આઈ.ટી.: રૂચિક આંબેગાવકર – મીડિયા : પાર્થભાઈ જોશી વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ – યુવા મોરચો: મૌલિકભાઈ દેસાઈ (પ્રમુખ), રોનકભાઈ પટેલ, રૂત્વિકભાઈ પુરોહિત (મહામંત્રી) – મહિલા મોરચો: સ્નેહલબેન પટેલ (પ્રમુખ), દીપાબેન શાહ, મમતાબેન વ્યાસ (મહામંત્રી) – કિશાન મોરચો: રાજેશભાઈ પટેલ (પ્રમુખ), અર્પણસિંહ પરમાર, મિહિરભાઈ પટેલ (મહામંત્રી) – બક્ષીપંચ (OBC) મોરચો: નિલેશભાઈ કહાર (પ્રમુખ), કિરણભાઈ જે. પંચાલ, પરેશભાઈ બ્રહ્મભટ્ટ (મહામંત્રી) – અનુસૂચિત જાતિ મોરચો: યોગેશભાઈ પરમાર (પ્રમુખ), સુરેશભાઈ પરમાર, અજયકુમાર ગવરા (મહામંત્રી) – અનુસૂચિત જનજાતિ મોરચો: રૂપસીંગભાઈ રાઠવા (પ્રમુખ), સુરેશભાઈ વસાવા, ગૌરાંગભાઈ ગામીત (મહામંત્રી) – લઘુમતી મોરચો: જહીરઅલી મિરઝા (પ્રમુખ), ઝબીનબેન સોરંગવાલા, મોહમ્મદ નદીમ નુર મોહમ્મદ શેખ (મહામંત્રી) આ જાહેરાતની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના મહાનુભાવોને રવાના કરવામાં આવી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં AIMIMનો દબદબો, માલેગાંવમાં ઓવૈસી બન્યા કિંગમેકર
મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને બહુમતી મેળવી છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પરંપરાગત પક્ષોની રમત બગાડી નાખી છે. કોંગ્રેસ અને NCP જેવા પક્ષોને AIMIMના કારણે મોટો ફટકો પડ્યો છે. રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 2,869 બેઠકોમાંથી AIMIM 75 બેઠકો પર જીત મેળવી ચૂકી છે અથવા આગળ છે. મુંબઈની BMCમાં માત્ર ત્રણ બેઠકો જીતવા છતાં, ઔરંગાબાદ અને માલેગાંવ જેવા વિસ્તારોમાં AIMIMનું પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું છે. મુંબઈમાં ત્રણ બેઠકો છતાં અસરકારક હાજરી મુંબઈમાં મુસ્લિમ મતદારોનો હિસ્સો 20 ટકા કરતાં વધુ છે. AIMIM એ તમામ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીએ BMCમાં કુલ ત્રણ બેઠકો જીતી છે: – વોર્ડ 135: ઇર્શાદ ખાન – વોર્ડ 134: મહેજબીન અતિક અહેમદ – વોર્ડ 145: ખૈરુન્નિસા હુસૈન ભલે બેઠકો ઓછી હોય, પરંતુ AIMIMએ અનેક વિસ્તારોમાં કોંગ્રેસ અને NCPના મત કાપી તેમને નુકસાન પહોંચાડ્યું છે. ઔરંગાબાદમાં AIMIMનું શાનદાર પ્રદર્શન ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર) મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIM સૌથી મજબૂત રાજકીય બળ તરીકે ઉભરી આવી છે. અહીં કુલ 115 બેઠકોમાંથી 24 બેઠકો AIMIMએ જીતી છે અથવા આગળ છે. 2019માં અહીંથી સાંસદ રહેલા ઇમ્તિયાઝ જલીલના પ્રભાવને આ જીતનું મુખ્ય કારણ માનવામાં આવે છે. માલેગાંવમાં ઓવૈસી કિંગમેકર મુસ્લિમ બહુમતી ધરાવતું માલેગાંવ AIMIMનો પરંપરાગત ગઢ ગણાય છે. માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 84 બેઠકોમાંથી AIMIM 20 બેઠકો પર આગળ છે, જ્યારે – ભાજપ: 2 બેઠકો – શિંદેની શિવસેના: 18 બેઠકો – કોંગ્રેસ: 3 બેઠકો – અન્ય પક્ષો અને અપક્ષ: 41 બેઠકો આ સ્થિતિમાં AIMIM વિના કોઈ પક્ષ મેયર બનાવી શકતું નથી, જેથી ઓવૈસી અહીં કિંગમેકર બન્યા છે. 2024ની વિધાનસભા ચૂંટણીમાં પણ ઓવૈસી માલેગાંવથી જીતે તેવી ચર્ચા છે. અન્ય શહેરોમાં પણ AIMIMનો પ્રભાવ – નાંદેડ વાઘલા: 14 બેઠકો – ધુળે: 8 બેઠકો – અમરાવતી: 6 બેઠકો – ચંદ્રપુર: પ્રથમ વખત પ્રતિનિધિ – જાલના: 2 બેઠકો – પરભણી: 1 બેઠક રાજકીય વિશ્લેષકો માને છે કે AIMIMનું આ પ્રદર્શન પાર્ટીને મહારાષ્ટ્રના શહેરી રાજકારણમાં નવી ઓળખ અપાવી શકે છે. એકંદર નિષ્કર્ષ કુલ મળીને, 2,869 બેઠકોમાંથી 75 બેઠકો પર AIMIMનું પ્રદર્શન દર્શાવે છે કે પાર્ટી હવે તેના પરંપરાગત ગઢોથી આગળ વધી રહી છે અને મુસ્લિમ બહુમતીવાળા શહેરી વિસ્તારોમાં મજબૂત વિકલ્પ બની રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.” તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ તરફથી કડક પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઓવૈસીએ ભારતીય બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણા દેશનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે અને અહીં કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં માત્ર મુસ્લિમ પ્રધાનમંત્રી બની શકે છે, જ્યારે ભારતમાં આવી કોઈ બંધનકારક જોગવાઈ નથી. “હું ઈચ્છું છું કે એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બને,” તેમ તેમણે ઉમેર્યું હતું. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના પ્રભારી ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું કે, “આ ફક્ત સ્વપ્ન જ હોઈ શકે છે. સ્વપ્ન જોવું ખરાબ નથી, પરંતુ તે દિવાસ્વપ્ન સમાન છે.” કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે પણ ઓવૈસીના નિવેદન પર ટીકા કરી હતી. તેમણે કહ્યું, “તેઓ એવી વાતો કરી રહ્યા છે જે શક્ય નથી. લોકશાહીમાં દરેકને અધિકાર છે, પરંતુ હિજાબ પહેરવો કે ન પહેરવો એ વ્યક્તિગત પસંદગી છે.” ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “બંધારણ કોઈને પ્રધાનમંત્રી બનતા રોકતું નથી, પરંતુ ઓવૈસીએ પહેલા પોતાની પાર્ટીમાં પસમાંદા અથવા હિજાબ પહેરેલી મહિલાને અધ્યક્ષ બનાવવાની હિંમત બતાવવી જોઈએ.” આ મુદ્દે રાજસભા સાંસદ મનોજકુમાર ઝાએ કહ્યું કે, “આ કોઈ મુદ્દો જ નથી. પ્રધાનમંત્રી કોઈ પણ બની શકે છે. આવા મુદ્દાઓ ઉછાળી નફરતની રાજનીતિને આગળ ધપાવવામાં આવે છે.” મહારાષ્ટ્રમાં આવનારી મ્યુનિસિપલ ચૂંટણીઓના સંદર્ભમાં ઓવૈસીએ ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે, ભારતીય બંધારણ તમામ નાગરિકોને સમાન માને છે અને કોઈને ઊંચું કે નીચું ગણતું નથી. “અહીં બધા સમાન છે—આ જ લોકશાહીની સાચી ભાવના છે,” તેમ તેમણે જણાવ્યું. ઓવૈસીના આ નિવેદન બાદ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા તેજ બની છે, અને આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
JDU નેતાએ PM મોદીને પત્ર લખી નીતિશ કુમાર માટે ભારત રત્નની માંગ કરી
જનતા દળ (યુનાઇટેડ)ના વરિષ્ઠ નેતા કે.સી. ત્યાગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની માગ કરી છે. કે.સી. ત્યાગીએ પત્રમાં જણાવ્યું કે સમાજવાદી આંદોલનના અનમોલ રત્ન નીતિશ કુમાર ભારત રત્ન માટે પૂરતું લાયક છે અને તેમને આ સન્માન મળવું જોઈએ. તેમણે જણાવ્યું, “30 માર્ચ 2024 આપણા પૂર્વજોને સન્માન આપવાનો દિવસ છે. તમારા પ્રયાસોથી સ્વર્ગસ્થ ચૌધરી ચરણ સિંહ અને કરપુરી ઠાકુરને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તેઓના જનકલ્યાણ અને ખેડૂતોના હિત માટેના પ્રયાસો ખૂબ મહત્વપૂર્ણ રહ્યા છે.” પત્રમાં આગળ જણાવાયું છે કે, “હું તમારા પ્રયાસોથી પ્રભાવિત છું અને વિનંતી કરું છું કે સમાજવાદી આંદોલનના બાકી રહેલા અમૂલ્ય રત્ન નીતિશ કુમાર પણ ભારત રત્નના લાયક છે. લાખો લોકોની વતી અમે આશા રાખીએ છીએ કે અમારા નેતા નીતિશ કુમારને આ સન્માન આપવામાં આવે જેથી ઇતિહાસ તમારા પ્રયત્નોને યાદ રાખે.” ગિરિરાજ સિંહે પણ અગાઉ નીતિશ કુમાર અને ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક માટે ભારત રત્નની માંગણી કરી હતી. તેમણે ડિસેમ્બર 2024માં જણાવ્યું હતું કે નીતિશ કુમારે બિહારના વિકાસ માટે ઘણા મહત્વપૂર્ણ કામ કર્યા છે અને આવા નેતાઓને ભારત રત્નથી સન્માનિત કરવું જોઈએ. હાલમાં નીતિશ કુમાર દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. તેમજ 2 કિમી લાંબા ભવ્ય રોડ-શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. આ યાત્રા અંદાજે 2 કિમી લાંબી હશે. આ યાત્રામાં આગળ અને પાછળ 108 અશ્વો હશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભાને સંબોધન કરશે. સોમનાથ સર્કિટ હાઉસમાં રોકાણ કરશે વડાપ્રધાન 10 જાન્યુઆરીના રોજ સોમનાથ ખાતે તૈયાર કરાયેલ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. તા. 11 જાન્યુઆરીના રોજ સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે. તેમજ સોમનાથ મંદિરમાં જળાભિષેક, ધ્વજપૂજા અને સોમેશ્વર મહાપૂજા સહિતની પૂજા અર્ચના કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ સોમનાથ મંદિર કોરિડોરની ડિઝાઈન ફાઈનલ થઈ શકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીની ત્રણ જુદી-જુદી એજન્સીઓ દ્વારા કોરિડોર પ્રોજેક્ટના મોડેલ અને પ્રેઝન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ ત્રણ પ્રોજેક્ટમાંથી એક પ્રોજેક્ટ પર વડાપ્રધાનની મંજૂરી મળ્યા બાદ સોમનાત મંદિર કોરિડોર પ્રોજેક્ટની વિધિવત કામગીરી શરૂ કરવામાં આવશે. અધિકારીઓનાજણાવ્યા અનુસાર આ કોરિડોર પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓથી સજ્જ અને દ્રશ્યાત્મક રીતે અદભૂત હશે. આ પ્રોજેક્ટને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન
પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે પુણેમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સુરેશ કલમાડીના નશ્વર દેહને બપોરે 2:00 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ વિવાદથી ચર્ચામાં સુરેશ કલમાડીનું નામ 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસને કારણે ખાસ ચર્ચામાં આવ્યું હતું. ગેમ્સના આયોજન અને કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી નાણાકીય અનિયમિતતાઓના આરોપ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. લાંબી રાજકીય કારકિર્દી સુરેશ કલમાડીનો જન્મ 1 મે, 1944ના રોજ થયો હતો. તેઓ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પાઇલટ રહ્યા હતા અને બાદમાં રાજકારણમાં પ્રવેશ કર્યો. 1982માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને 1995માં કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. પુણે લોકસભા બેઠક પરથી તેઓ અનેક વખત સાંસદ તરીકે ચૂંટાયા. રમતગમત પ્રશાસનમાં પણ મહત્વની ભૂમિકા રાજકારણ ઉપરાંત સુરેશ કલમાડી રમતગમત પ્રશાસનમાં પણ સક્રિય રહ્યા હતા. તેઓ લાંબા સમય સુધી ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ રહ્યા. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ રાજકીય રીતે સક્રિય નહોતા. સુરેશ કલમાડીના અવસાનથી પુણેની રાજનીતિ અને કોંગ્રેસ પાર્ટીમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ પુણેના વિકાસ સાથે જોડાયેલા અનેક મહત્વના પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
કોંગ્રેસ સ્થાપના દિવસ : 140 વર્ષમાં બન્યા અનેક દિગ્ગ્જ પ્રમુખો, ઉતાર-ચઢાવથી ભરેલી રાજકીય સફર
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુરુવારે તેનો ૧૩૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પાર્ટી દ્વારા નાગપુરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને “હૈં તૈયાર હમ” નામની મેગા રેલી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે. કોંગ્રેસની સ્થાપના કેવી રીતે થઈ? 28 ડિસેમ્બર, 1885ના રોજ, બ્રિટિશ શાસન દરમિયાન, થિયોસોફિકલ સોસાયટીના અગ્રણી સભ્ય એ.ઓ. હ્યુમની પહેલ પર બોમ્બે (હાલ મુંબઈ) ખાતે ગોકુલદાસ સંસ્કૃત કોલેજના મેદાનમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 72 પ્રતિનિધિઓ ભેગા થયા. આ બેઠકમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામની રાજકીય સંસ્થાની સ્થાપના થઈ. કોંગ્રેસના પ્રથમ પ્રમુખ તરીકે વ્યોમેશચંદ્ર બેનર્જીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે એ.ઓ. હ્યુમ સ્થાપક મહાસચિવ રહ્યા. 138 વર્ષમાં 57 પ્રમુખો કોંગ્રેસના ઇતિહાસમાં અત્યાર સુધી 57 નેતાઓએ પ્રમુખ તરીકે પાર્ટીની કમાન સંભાળી છે. તેમાં સૌથી લાંબો સમય નેહરુ–ગાંધી પરિવારએ પાર્ટીનું નેતૃત્વ કર્યું છે. આ પરિવારનો કુલ પ્રભાવ લગભગ 45 વર્ષ સુધી રહ્યો. નેહરુ–ગાંધી પરિવારનો ઉદય 1919: મોતીલાલ નેહરુ કોંગ્રેસ પ્રમુખ બન્યા 1929, 1936–37, 1951–54: જવાહરલાલ નેહરુ અનેક વખત પ્રમુખ રહ્યા 1959, 1978–83: ઇન્દિરા ગાંધી પ્રમુખ 1985–91: રાજીવ ગાંધી 1998–2017: સોનિયા ગાંધી (૧૯ વર્ષ) 2017–2019: રાહુલ ગાંધી 2019–2022: સોનિયા ગાંધી (વચગાળાના પ્રમુખ) ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ લાંબા સમય બાદ, કોંગ્રેસે ગાંધી પરિવાર બહારના નેતાને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો. 26 ઑક્ટોબર 2022ના રોજ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા. કોંગ્રેસમાંથી અલગ થઈ બનેલા 64 પક્ષ કોંગ્રેસનો ઇતિહાસ માત્ર સત્તાનો નહીં, પરંતુ વિભાજનનો પણ રહ્યો છે. સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં 64 વખત કોંગ્રેસ છોડીને નવા રાજકીય પક્ષો રચાયા છે. આઝાદી પહેલાંના વિભાજન 1923: ચિત્તરંજન દાસે સ્વરાજ પાર્ટી રચી 1939: સુભાષચંદ્ર બોઝે ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક સ્થાપ્યો આઝાદી પછી મોટા વિભાજન 1969: ઇન્દિરા ગાંધી પાર્ટીમાંથી બહાર થયા, કોંગ્રેસ (R) રચી 1978: કોંગ્રેસ (I)ની રચના 1998: મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ બનાવી 1999: શરદ પવાર, સંગમા અને અનવરે NCP રચી 2016: અજિત જોગી – છત્તીસગઢ જનતા કોંગ્રેસ 2021: અમરિંદર સિંહ – પંજાબ લોક કોંગ્રેસ આ સિવાય YSR કોંગ્રેસ, હરિયાણા જનહિત કોંગ્રેસ, લોકતાંત્રિક કોંગ્રેસ સહિત અનેક પક્ષો કોંગ્રેસમાંથી જન્મ્યા. ઉતાર-ચઢાવ છતાં અસ્તિત્વ અડગ સત્તા, વિભાજન, હાર-જીત અને આંતરિક કલહ છતાં કોંગ્રેસ આજે પણ દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે અસ્તિત્વમાં છે. પાર્ટીનો 140મો સ્થાપના દિવસ તેના લાંબા, સંઘર્ષસભર અને ઐતિહાસિક રાજકીય સફરની સાક્ષી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
કાનપુરના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલનું નિધન, જાણો વિગત
કાનપુરના કૉંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલના નિધનના સમાચાર રાજકીય જગતમાં શોકની લાગણી ફેલાવી રહ્યા છે. લાંબા સમયથી બીમાર હતા, જયસ્વાલ સાહેબની તબિયત અચાનક ખરાબ થતાં તેમને કિડવઈ નગર સ્થિત નર્સિંગ હોમમાં ખસેડવામાં આવ્યા, જ્યાંથી આગળ સારવાર માટે રેફર કરવામાં આવ્યા. તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. જયસ્વાલ સાહેબ કાનપુરના એક પ્રતિષ્ઠિત નેતા હતા, જેમણે 1999, 2004 અને 2009માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવતા કૉંગ્રેસને મજબૂત બનાવ્યું. તેમના કાર્યકાળ દરમિયાન સ્થાનિક વિકાસ, માર્ગ, પાણી, સ્વચ્છતા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં લોકોની સલાહ અને સેવાઓ માટે તેઓ ઓળખાયા. વર્ષ 2011થી 2014 દરમિયાન તેઓ કોઈલા મંત્રાલયના કૈફિયત પ્રધાન તરીકે ડૉ. મનમોહન સિંહની સરકારમાં સેવા આપી રહ્યા હતા. રાજકીય નિષ્ણાતો તેમના નીતિ અને કેન્દ્રિય સ્તરે અસરકારક કામગીરીને મહત્વ આપતા હતા. કાનપુર કૉંગ્રેસ મહાનગર અધ્યક્ષ પવન ગુપ્તા અને ગ્રામિણ અધ્યક્ષ સંદિપ શુક્લાએ તેમના નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તાત્કાલિક સારવાર અપાવવાનું છતાં તેમને જીવાવી શકાયું નહીં. કાનપુરમાં અનેક શોકસભાઓ યોજાઈ રહી છે, જ્યાં કૉંગ્રેસ કાર્યકરો, સમર્થકો અને નાગરિકો તેમના પ્રત્યે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જયસ્વાલ સાહેબનું વ્યક્તિત્વ શાંત અને સૌમ્ય હતું, અને તેઓ હંમેશા લોકોની સેવા માટે તત્પર રહેતા. કાનપુરમાં તેમનું રાજકીય પ્રતિષ્ઠા અતૂટ રહી છે, અને લોકોએ તેમને કાનપુરના પ્રતિનિધિ તરીકે યાદ રાખ્યું છે. તેમના અવસાનથી કૉંગ્રેસ અને કાનપુરની રાજનીતિને એક મજબૂત આધાર ગુમાવ્યો છે. તેમની કારકિર્દી અને જનહિતના કાર્ય લોકોએ હંમેશા સ્મરણ કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
રાજનાથ સિંહનો સિંધ પ્રાંત પર મોટું નિવેદન: ‘સરહદ ક્યારે બદલાય, કોઈને ખબર નથી’
રક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એ દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સિંધિ પરિસંવાદ દરમિયાન સિંધ પ્રાંત અને તેની સાંસ્કૃતિક ઓળખ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભલે આજે સિંધ ભારતની રાજકીય સીમામાં ન હોય, પરંતુ સાંસ્કૃતિક અને નદી-આધારિત સાંસ્કૃતિક દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનો અગત્યનો ભાગ રહ્યો છે. સરહદ ક્યારેય બદલાઈ શકે છે? રાજનાથ સિંહે કહ્યું “સરહદ ક્યારે બદલાય જાય, તે કોઈ જાણતું નથી. ભવિષ્યમાં શું થશે, તે સમય જ બતાવશે.” આ નિવેદન દેશ-વિદેશના રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ રાજનાથ સિંહે સિંધના સંસ્કૃતિ, ભાષા અને જીવનશૈલી પર ભાર મુક્યો. તેમણે લાલકૃષ્ણ આડવાણીનો ઉલ્લેખ કર્યો, જેમણે તેમના પુસ્તકોમાં કહ્યું કે 1947ના વિભાજન પછી પણ સિંધના હિંદુઓ સિંધને ભારતના ભાગ તરીકે માને છે. સિંધુ નદીના પવિત્ર સ્થાન પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે, હિંદુઓ જ નહીં, પરંતુ સિંધના અનેક મુસ્લિમો પણ તેને પવિત્ર ગણતા હતા. સિંધનો ઇતિહાસ અને સામાજિક પ્રભાવ રાજનાથ સિંહે જણાવ્યું કે થાર રણ અને સિંધ પ્રાંત, 1947ના વિભાજન બાદ બે ભાગમાં વહેંચાયા. હિંદુ સમાજને ઘણાં હિંસક દંગા પછી ભારત આવી શરણ લેવું પડ્યું, જ્યારે સિંધના સ્થાનિક સમુદાય સાથે પુરતી રીતે જોડાઈ ન શક્યા. તેના કારણે સ્થાનિક અને નવા સમુદાયો વચ્ચે દાયકાઓ સુધી તણાવ અને હિંસા ચાલી, જેના કારણે સિંધનું સામાજિક અને આર્થિક વિકાસ રોકાયો. રાજકીય અને રાષ્ટ્રીય પ્રભાવ રાજનાથ સિંહના નિવેદનને કેટલાક લોકો સાંસ્કૃતિક ભાવના તરીકે જોતા હોય, તો કેટલાક તેને પાકિસ્તાન માટે કડક સંદેશા તરીકે સમજાવે છે. ભારતની વિદેશ નીતિ અને રક્ષા નીતિ સંબંધિત ચર્ચાઓમાં આ નિવેદન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રહેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડી.કે. શિવકુમારનું મોટું નિવેદન: “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે”
કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો અને “નવેમ્બર ક્રાંતિ”ની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકારમાં કોઈ આંતરિક જૂથવાદ નથી, અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. શિવકુમારનું સ્પષ્ટીકરણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લાંબી પોસ્ટ શેર કરતાં શિવકુમારએ લખ્યું “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે. જૂથ બનાવવું મારા લોહીમાં નથી.” તેમણે ઉમેર્યું કે કેટલાક ધારાસભ્યોની દિલ્હી મુલાકાતને રાજકીય દબાણ કે જૂથવાદ તરીકે ના જોવી જોઈએ. તે સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ પહેલા નેતૃત્વને મળવાની સામાન્ય પ્રક્રિયા છે. સિદ્ધારમૈયાને સંપૂર્ણ સમર્થન શિવકુમારે જણાવ્યું “મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. હું તેમને શુભકામનાઓ પાઠવું છું અને અમે સૌ સાથે મળીને કામ કરીશું.” અટકળો શા માટે વધતી હતી? છેલ્લા સપ્તાહમાં શિવકુમારના નજીક માનાતા કેટલાક ધારાસભ્યો અચાનક દિલ્હી પહોંચ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ કે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનનો પ્રયાસ ચાલી રહ્યો છે. કેટલાક લોકોએ તેને “નવેમ્બર ક્રાંતિ” નામ પણ આપ્યું. શિવકુમારે હવે આ તમામ દાવાઓને નકારી કાઢીને સ્પષ્ટ કરી દીધું છે કે કર્ણાટક કોંગ્રેસ સરકારમાં કોઈ પ્રકારનું આંતરિક સંકટ નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















