આર્થિક ગોઠવણ: AMCમાં સિક્યોરિટીના નામે ‘સેફ ગેમ’? 13 વર્ષમાં ₹325 કરોડનું આંધણ, જનતાના ટેક્સના પૈસા બાઉન્સરોના વટમાં હોમાયા!
પંકજ મકવાણા – અમદાવાદ: શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પ્રજાની સેવા માટે છે કે સત્તાધીશોના ‘વિઆઈપી કલ્ચર’ના રક્ષણ માટે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે છેલ્લા ૧૩ વર્ષમાં મ્યુનિસિપલ તિજોરીમાંથી સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરોના નામે ₹૩૨૫.૪૬ કરોડ જેવી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે શાસકો પોતાની આસપાસ બાઉન્સરો રાખીને જનતાના પૈસે વટ પાડી રહ્યા છે. સિક્યોરિટી એજન્સીઓનો ‘ધીકતો ધંધો’ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિક્યોરિટી પૂરી પાડતી એજન્સીઓ માટે આ વ્યવસાય સોનાની લગડી સાબિત થયો છે. વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૫-૨૬ સુધીના આંકડાઓ પર નજર કરીએ તો ખર્ચનો આંકડો સતત ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦ થી ૨૦૨૫) આ ખર્ચમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે આ એજન્સીઓ રાજકીય વગ ધરાવે છે, જેના કારણે નિયમોના ભંગ છતાં તેમની સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી. જનતાના પૈસે જનતાને જ રોકવાનો ખેલ? સૌથી વધુ ચોંકાવનારો મુદ્દો એ છે કે જ્યારે શહેરના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારના રહીશો રોડ, ગટર કે પાણીની સમસ્યા લઈને મ્યુનિસિપલ કચેરીએ પહોંચે છે, ત્યારે આ જ સિક્યોરિટી ગાર્ડ્સ અને બાઉન્સરો તેમને અટકાવવા માટે ‘ઢાલ’ તરીકે વપરાય છે. વિપક્ષનો આક્ષેપ છે કે શાસક પક્ષ નાગરિકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયો છે, તેથી અસંતોષને દબાવવા માટે બાઉન્સરોનો આશરો લેવામાં આવી રહ્યો છે. મુખ્ય આક્ષેપો અને વાસ્તવિકતા: વિગત વિપક્ષનો આક્ષેપ /વાસ્તવિકતા કુલ ખર્ચ ૧૩ વર્ષમાં ₹૩૨૫.૪૬ કરોડ જેવી જંગી રકમની ચૂકવણી. શોષણનો આક્ષેપ એજન્સીઓ ગાર્ડ્સને ઓછો પગાર આપી આર્થિક શોષણ કરે છે. રાજકીય મિલીભગત એજન્સીઓ છેક ઉપર સુધીના અધિકારીઓને ‘સાચવતી’ હોવાનો ગંભીર આક્ષેપ. VIP કલ્ચર પગી કે ચોકીદારને બદલે બાઉન્સરો રાખીને સત્તાનો દેખાડો કરવાની વૃત્તિ! કયા વર્ષમાં સિક્યોરિટી એજન્સીઓને કેટલા રૂપિયા ચૂકવાયા 1]. 2012-13 – 10,77,98,544 2]. 2013-14 – 13,21,67,022 3]. 2014-15 – 14,09,55,179 4]. 2015-16 – 16,63,24,527 5]. 2016-17 – 15,36,00,915 6]. 2017-18 – 16,15,30,963 7]. 2018-19 – 15,44,51,588 8]. 2019-20 – 13,87,00,641 9]. 2020-21 – 31,66,77,347 10]. 2021-22 – 37,39,89,988 11]. 2022-23 – 34,93,92,703 12]. 2023-24 – 44,10,79,547 13]. 2024-25 – 49,37,99,127 14]. 2025-26 – 12,41,69,246 કુલ રકમ: 325,46,37,337/- પારદર્શિતા ક્યાં? સાર્વજનિક મિલકતોની સુરક્ષા અનિવાર્ય છે, પરંતુ સુરક્ષાના નામે ‘વટ’ પાડવો અને માનીતી એજન્સીઓને કરોડોના કોન્ટ્રાક્ટ લ્હાણીમાં આપવા એ ગંભીર તપાસનો વિષય છે. વર્ષ ૨૦૨૦ પછી ખર્ચમાં થયેલો અચાનક ઉછાળો સૂચવે છે કે આ માત્ર સુરક્ષાનો પ્રશ્ન નથી, પણ વ્યવસ્થિત આર્થિક ગોઠવણ હોઈ શકે છે. શું આ ખર્ચ અંગે કોઈ તટસ્થ ઓડિટ થશે? શું ઓછો પગાર લેતા સિક્યોરિટી ગાર્ડ્સના હિતમાં કોઈ પગલાં લેવાશે? જનતા એ જાણવા માંગે છે કે તેમના ટેક્સના પૈસા રોડ-રસ્તા સુધારવામાં વપરાશે કે નેતાઓના બાઉન્સરોનો પગાર ચુકવવામાં?+ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
IGST અને CGSTની ITC હવે SGSTમાં પણ વાપરી શકાશે: વેપારીઓને મળી મોટી રાહત
જીએસટીમાં ટેક્સ ભરવા માટે હવે વેપારીઓ પાસે જમા કરેલ એસજીએસટી ક્રેડિટનો ઉપયોગ પણ થઈ શકશે. અગાઉના નિયમ મુજબ, વેપારીઓ પાસે આઈજીએસટી (IGST) અને સીજીએસટી (CGST)માં ક્રેડિટ હોવા છતાં તે રકમને એસજીએસટી (SGST) માટે વાપરી શકતા નહોતા. તેથી ટેક્સ ભરવા માટે વેપારીઓએ પોતાની બચતમાંથી રોકડ રકમ જમા કરવી પડતી હતી. નવા સુધાર પછી, વેપારીઓ પાસે કોઈપણ હેડમાં ક્રેડિટ જમા હોય તે રકમ હવે કોઈપણ હેડમાં ટેક્સ ભરવા માટે વાપરી શકાશે. આમાં ખાસ કરીને SGSTના લેઝરમાં જમા કરેલ ક્રેડિટનો પણ ઉપયોગ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સુધારો વેપારીઓ માટે મોટી રાહત લાવે છે, કારણ કે હવે તેઓએ ટેક્સ ભરવા માટે વધારે રોકડ જમા કરાવવા જરૂરી નથી. ઈલેક્ટ્રોનિક લેઝરમાં ઉપલબ્ધ ક્રેડિટનો સંપૂર્ણ ઉપયોગ કરી ટેક્સ ચૂકવવું શક્ય બન્યું છે. આ નિર્ણયથી નાની અને મોટી બંને પ્રકારની કંપનીઓ અને વેપારીઓને રોકડની જરૂરિયાત ઘટાડવામાં મદદ મળશે અને ટ્રાન્ઝેક્શનલ સરળતા વધશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
PF ધારકો માટે મોટા સમાચાર: EPFO 3.0 હેઠળ 11 મોટા ફેરફારો, પૈસા ઉપાડવું થયું વધુ સરળ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પોતાના સબસ્ક્રાઇબર્સ માટે નવા વર્ષની મોટી ભેટ રૂપે ‘EPFO 3.0’ સિસ્ટમ લોન્ચ કરી છે. આ નવા અપગ્રેડ હેઠળ પીએફના પૈસા ઉપાડવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેનો સીધો ફાયદો લાખો ખાનગી કર્મચારીઓને થશે. નવા નિયમો અને બેરોજગારી/પેન્શન અપડેટ્સ: નોકરી છોડ્યા બાદ એક મહિનાની બેરોજગારી પછી તરત ૭૫% રકમ ઉપાડી શકાય છે. 100% રકમ ઉપાડવા માટે હવે 12 મહિનાની સતત બેરોજગારી જરૂરી. પેન્શન રકમ ઉપાડવા માટે મર્યાદા વધારીને 30 મહિનાથી 36 મહિના (3 વર્ષ) કરી દેવામાં આવી. લગ્ન અને શિક્ષણ માટે મોટી રાહત: શિક્ષણ માટે હવે 10 વાર સુધી પીએફમાંથી આંશિક રકમ ઉપાડી શકાય છે. લગ્ન પ્રસંગ માટે ૫ વાર સુધી ઉપાડની મંજૂરી. ઘર અને મેડિકલ ખર્ચ માટે નિયમ: ઘર ખરીદવા, પ્લોટ લેવા અથવા મકાન બનાવવા માટે ઓછામાં ઓછી ૧૨ મહિનાની સેવા જરૂરી. મેડિકલ ઈમરજન્સીમાં પણ 12 મહિનાનો નિયમ લાગુ, જ્યારે ગંભીર બીમારીમાં 6 મહિનાના પગાર જેટલી રકમ ઉપાડી શકાય છે. ડિજિટલ પ્રોસેસિંગ અને ઝડપ: નવા EPFO 3.0 હેઠળ બધા વિધ્રોઅલ પૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બની ગયા છે. હાઉસિંગ લોનના હપ્તા ચૂકવવા અથવા નવા ઘર માટે ક્લેમ સેટલમેન્ટ ઝડપથી થશે. કુદરતી આફત અથવા કંપની બંધ થવાના કિસ્સામાં 75% સુધીના પીએફ નાણાં સરળતાથી મેળવી શકાશે. આ ફેરફારો કરોડો કર્મચારીઓ માટે આર્થિક સહાય અને સરળતા બંને વધારશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બેંકિંગ ક્ષેત્રમાં મોટો ફેરફાર: હવે બેંકોના જોખમ પ્રમાણે નક્કી થશે ડિપોઝિટ વીમો, જાણો વિગત
ભારતીય બેંકિંગ વ્યવસ્થાને વધુ મજબૂત, જવાબદાર અને પારદર્શક બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો નિર્ણય લીધો છે. હૈદરાબાદમાં યોજાયેલી RBI સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 620મી બેઠકમાં બેંકો માટે જોખમ-આધારિત ડિપોઝિટ વીમા માળખા (Risk-based Deposit Insurance Framework) ને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. આ નવા માળખા હેઠળ હવે તમામ બેંકો માટે ડિપોઝિટ વીમાનું પ્રીમિયમ સમાન નહીં રહે, પરંતુ બેંકના જોખમના સ્તર અનુસાર નક્કી થશે. શું છે જોખમ-આધારિત ડિપોઝિટ વીમો? હાલ સુધી બેંકો તેમના જોખમની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના સમાન દરે ડિપોઝિટ વીમાનું પ્રીમિયમ ચૂકવતી હતી. પરંતુ હવે જે બેંકનું વ્યવસાય મોડેલ વધુ જોખમી હશે, તેને વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. જ્યારે મજબૂત નાણાકીય સ્થિતિ અને સારા જોખમ વ્યવસ્થાપન ધરાવતી બેંકો પર ઓછો ભાર પડશે. RBIનું માનવું છે કે આ નિર્ણય બેંકોને વધુ શિસ્તબદ્ધ કામગીરી, સારા ગવર્નન્સ અને મજબૂત જોખમ વ્યવસ્થાપન તરફ પ્રેરિત કરશે. સાથે જ, થાપણદારોના હિતોનું રક્ષણ પણ વધુ અસરકારક રીતે થશે. આર્થિક સ્થિતિ અને ભવિષ્યના રોડમેપ પર ચર્ચા આ બેઠક RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિ, બેંકિંગ ક્ષેત્ર સામેના પડકારો અને ભવિષ્યની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ સાથે જ, બોર્ડે વર્ષ 2024-25 માટેના ‘ભારતમાં બેંકિંગના વલણ અને પ્રગતિ’ (Trend and Progress of Banking in India) ના ડ્રાફ્ટ રિપોર્ટની પણ સમીક્ષા કરી. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય બેંકિંગ વ્યવસ્થાને સ્થિર અને સુરક્ષિત રાખવા અંગે નિષ્ણાતોએ મહત્વપૂર્ણ સૂચનો આપ્યા. નાની અને મધ્યમ બેંકો માટે મહત્વપૂર્ણ નિર્ણય નિષ્ણાતોના મતે RBIનો આ નિર્ણય ખાસ કરીને નાની અને મધ્યમ કક્ષાની બેંકો માટે મહત્વનો સાબિત થશે. કારણ કે હવે બેંકની વિશ્વસનીયતા, જોખમ વ્યવસ્થાપન અને નાણાકીય શિસ્તનો સીધો પ્રભાવ તેમના વીમા પ્રીમિયમ પર પડશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભારતનો આર્થિક ચમત્કાર: ચાર વર્ષમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 115% નો જબરદસ્ત ઉછાળો, જાણો વિગત
ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક સમાચાર આવ્યા છે. છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન 115% થી વધુ વધીને ₹9.86 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જયારે FY 2020-21માં આ રકમ ₹4.57 લાખ કરોડ હતી. આ વધારો ₹5.29 લાખ કરોડના સમાન છે. કોર્પોરેટ નફામાં મોટી વૃદ્ધિ FY 2020-21: ₹2.5 લાખ કરોડ FY 2024-25 (અંદાજિત): ₹7.1 લાખ કરોડ સરકારના જણાવ્યા અનુસાર, કંપનીઓના નફામાં આ ઐતિહાસિક વધારો ટેક્સ કલેક્શન વધારામાં મુખ્ય પરિબળ છે. ટેક્સ દરોમાં ઘટાડો અને નિયમોમાં સરળતા 2016 પછી લેવાયેલા પગલાંઓએ રોકાણ, રોજગાર અને અર્થતંત્રને વેગ આપ્યો: 2017: નાની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 25% 2019: મોટાભાગની કંપનીઓ માટે ટેક્સ દર 22% છૂટછાટો દૂર કરીને ટેક્સ પ્રણાલી સરળ બનાવી બેંકો દ્વારા બિનદાવાવાળી થાપણોની પરત છેલ્લા ત્રણ વર્ષમાં બેંકોે ₹10,000 કરોડથી વધુ Unclaimed Deposits ગ્રાહકોને પરત કર્યા PSBs: ₹58,000 કરોડ (SBI: ₹19,330 કરોડ) ખાનગી બેંકો: ₹9,000 કરોડ (ICICI, HDFC, Axis Bank) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in













