10 લાખ કે તેથી વધુ રોકડ જમા/ઉપાડ માટે PAN ફરજિયાત: નવા ડ્રાફટ નિયમો 1 એપ્રિલથી લાગુ થશે

આવકવેરાના નવા ડ્રાફટ નિયમો હેઠળ હવે એક નાણાકીય વર્ષમાં વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં રૂ. 10 લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવું અથવા ઉપાડવું હોય તો PAN (પાન કાર્ડ) ફરજિયાત રહેશે. હાલની સ્થિતિમાં બેંકમાં એક દિવસમાં રૂ. 50,000થી વધુ રોકડ જમા કરવા PAN જરૂરી છે. નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે.

નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડ્રાફટ નિયમો 1962ના જૂના નિયમોને બદલશે અને નોટિફિકેશન માર્ચના પ્રથમ સપ્તાહ સુધી બહાર પાડવામાં આવશે. નિયમોમાં ક્રિપ્ટો એક્સચેન્જ માટે ટેક્‍સ વિભાગ સાથે માહિતી શેર કરવાનું ફરજિયાત બનાવવાની અને એમ્પ્લોયર્સ દ્વારા આપવામાં આવતી સવલતોના મૂલ્યમાં સુધારો કરવાની દરખાસ્ત પણ સામેલ છે.

મુદ્દાઓ:
– મોટર સાયકલ સહિતના વાહનોની ખરીદીમાં રૂ. 5 લાખથી વધુ ખર્ચ પર PAN ફરજિયાત. ટુ-વ્હીલર માટે PAN જરૂરી નહીં.
– હોટલ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ અથવા ઈવેન્ટ મેનેજમેન્ટના બિલ રૂ. 1 લાખથી વધુ હોય તો PAN ફરજિયાત.
– પ્રોપર્ટી ખરીદી, વેચાણ અથવા ગિફ્ટ માટે PAN મર્યાદા ~10 લાખથી વધારી ~20 લાખ કરવી.
– ઇન્શ્યોરન્સ કંપની સાથે ખાતા આધારિત સંબંધ શરૂ કરવા PAN ફરજિયાત.
– હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માટે કેટેગરી-1 મેટ્રો શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદનો સમાવેશ; પહેલેથી દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ સામેલ.
– ફોર્મ્સની સંખ્યા 399થી 190 પર ઘટાડાઈ, નિયમોની સંખ્યા 511થી 333 પર આવી.
– સરળ અને સ્માર્ટ પ્રી-ફિલ્ડ ફોર્મ્સ પર ભાર.

આ નવા નિયમોથી નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધશે અને PAN આધારિત નિયમન વધારાશે, ખાસ કરીને રોકડ વ્યવહારો, પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન અને ક્રિપ્ટો ટ્રેડિંગમાં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…