રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’: દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ, જાણો રાજ્યમાં કેટલા સ્ટાર્ટઅપ્સ છે અમલી
ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ, ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ એ માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી-ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત, દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાના મજબૂત ઇકોસિસ્ટમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય દ્વારા “વિકસિત ભારત@2047”ના સપનાને વેગ આપવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. ઔદ્યોગિક શક્તિ, દૂરંદેશી નીતિઓ અને અદમ્ય ઉદ્યોગસાહસિક ભાવનાના અનોખા સંયોજનથી સજ્જ ગુજરાતમાં…
દુનિયાભરમાં X ડાઉન: લાખો વપરાશકર્તાઓને પોસ્ટ્સ અને ફીડ લોડ કરવામાં તકલીફ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (જોકે પહેલાં ટ્વિટર તરીકે જાણીતી) આજે, 13 જાન્યુઆરી, મંગળવારની સાંજે, અચાનક ડાઉન થઈ ગયું. ભારત સહિત અનેક દેશોના વપરાશકર્તાઓને પોસ્ટ્સ જોવામાં, નવી પોસ્ટ્સ શેર કરવામાં અને ફીડ રિફ્રેશ કરવામાં મુશ્કેલી અનુભવવી પડી. એપ અને વેબ બંને પર અસર વપરાશકર્તાઓએ જણાવ્યું કે X એપ્લિકેશન અને વેબસાઇટ બંને પર સમસ્યાઓ જોવા મળી. કેટલીક ટાઈમલાઇન ખાલી દેખાઈ રહી હતી. કેટલીક પોસ્ટ્સ અપલોડ થતી ન હતી. ફીડ રિફ્રેશ ન થવું સામાન્ય સમસ્યામાં સામેલ હતું. આ ટેકનિકલ ખામીના કારણે સોશિયલ મીડિયા પર વપરાશકર્તાઓમાં ચિંતાનો માહોલ અને ચર્ચા શરૂ થઈ ગઈ. ભારતમાં વધી સમસ્યાઓ આ વૈશ્વિક આઉટેજની અસર ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળી. Downdetector વેબસાઇટ પર આઉટેજને ટ્રેક કરાયા પછી ફક્ત થોડા જ સમયમાં હજારો ફરિયાદો નોંધાઈ. સાંજ…
PSLV C62 રોકેટમાં લોન્ચિંગ બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા, મિશન થયું ફેલ !
ઇસરોએ આજે 260 ટન વજન ધરાવતા PSLV-C62 રોકેટ દ્વારા અન્વેષા ઉપગ્રહ અને 14 અન્ય ઉપગ્રહોને લોન્ચ કર્યા, પરંતુ લોન્ચના ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ. આ વર્ષનું આ પહેલું લોન્ચિંગ છે. પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ અન્વેષા અને 14 અન્ય ઉપગ્રહોને આજે શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી ભ્રમણકક્ષામાં મૂકવાના હતા. પરંતુ તે પહેલાં, રોકેટ તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું, જેની તપાસ ઇસરો ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ISRO એ જણાવ્યું હતું કે PSLV-C62 મિશનમાં PS3 સ્ટેજના અંતે ખામી સર્જાઈ હતી. આ અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ, ISRO ના વડા ડૉ. વી. નારાયણને કહ્યું હતું કે, “અમે PSLV C62 EOS-N1 મિશન લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. PSLV રોકેટમાં ચાર તબક્કા છે… ત્રીજા તબક્કાના અંત સુધી બધું સરળતાથી…
ભારતનો કડક જવાબ: ટ્રમ્પના 500% ટેરિફ બિલ પર ઊર્જા નીતિ બદલાશે નહીં
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂર કરાયેલા 500 ટકા ટેરિફ બિલને લઇને ભારતે કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણ, ધમકી કે આર્થિક પ્રતિબંધોથી ભારતની ઊર્જા નીતિ બદલાઈ નહિ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ટ્રમ્પના બિલ હેઠળ રશિયા પાસેથી તેલ, ગેસ અને યુરેનિયમ આયાત કરતી દેશો પર 500% ટેરિફ લગાવવાની શક્યતા છે. ભારત, ચીન અને બ્રાઝિલ જેવા રશિયન ઊર્જા મોટા આયાતકાર આ પગલાથી સીધી અસર ભોગવી શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતની ઊર્જા નીતિ વર્ષોથી સ્વતંત્ર અને રાષ્ટ્રીય હિતોને આધારિત રહી છે. ભારતના નિર્ણયોમાં સસ્તી, વિશ્વસનીય અને સતત ઊર્જા પુરવઠો સૌથી મહત્વનો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતની ઊર્જા નીતિ કોઈ એક દેશ અથવા ગઠબંધનની માંગને અનુરૂપ…
ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ
વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો અને ત્યાં તેમના પરિવારજનો તથા ઓળખીતાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમને વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, સ્થાનિક પરિસ્થિતિ અંગે સચેત રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ઈરાનમાં રહેલા ભારતીયો માટે ખાસ સૂચનાઓ ઈરાનમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓએ હજી સુધી ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી ન હોય, તો તરત નોંધણી કરાવે, જેથી…
તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થળોની યાદી એકબીજાને કેમ સોંપી, જાણો વિગત
ભારત અને પાકિસ્તાને ગુરુવાર, 1 જાન્યુઆરીના રોજ રાજદ્વારી ચેનલો દ્વારા તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીઓ શેર કરી. વિદેશ મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, આ આદાનપ્રદાન ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલા પર પ્રતિબંધ અંગેના કરાર હેઠળ કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચેનો આ કરાર 31 ડિસેમ્બર, 1988 ના રોજ હસ્તાક્ષરિત થયો હતો અને 27 જાન્યુઆરી, 1991 ના રોજ અમલમાં આવ્યો હતો. કરાર હેઠળ, ભારત અને પાકિસ્તાન દરેક કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરી સુધીમાં, કરાર દ્વારા આવરી લેવામાં આવેલા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની વિગતો એકબીજાને જાહેર કરવા માટે બંધાયેલા છે. આ કરાર બંને દેશોને એકબીજા સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરે છે. વર્ષ 1992માં પહેલી વખત બન્ને દેશોએ આપ્યું હતું લિસ્ટ બંને…
PM મોદીના નિવેદન બાદ ઝેલેન્સકીના પેટમાં તેલ રેડાયું ! આપ્યું આ નિવેદન
PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હવે આ માટે ભારતની ટીકા કરી છે. યુક્રેને આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે આવો કોઈ હુમલો કર્યો નથી. આ દરમિયાન, યુક્રેનિયન રાષ્ટ્રપતિએ ભારત પર બેવડા ધોરણનો આરોપ લગાવ્યો. ઝેલેન્સકીએ કહ્યું કે ભારત સહિત કેટલાક દેશો, જે પુતિનના નિવાસસ્થાન પર હુમલાની નિંદા કરી રહ્યા છે, તેમણે ક્યારેય અમારા બાળકો પરના હુમલા વિશે કંઈ કહ્યું નથી. ઝેલેન્સકીએ ભારત વિશે શું કહ્યું: એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં, ઝેલેન્સકીએ કહ્યું, “સાચું કહું તો, તે મૂંઝવણભર્યું અને ખરાબ છે કે ભારત, યુએઈ અને કેટલાક અન્ય દેશોએ પુતિનના નિવાસસ્થાન પર અમારા કથિત ડ્રોન હુમલાની નિંદા કરી, જે ક્યારેય થયું…
જાપાનને પાછળ છોડી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
સરકારે તાજેતરમાં જ પ્રસિદ્ધ કરેલા આર્થિક સમીક્ષા રિપોર્ટ અનુસાર, ભારતે જાપાનને પાછળ છોડી, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના આધારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ, ભારતની GDP લગભગ 4.18 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે. આ સાથે ભારત અમેરિકા, ચીન અને જર્મની પછી વૈશ્વિક આર્થિક ક્રમમાં ચોથા ક્રમે આવી ગયું છે. આ આંકડાઓની અંતિમ પુષ્ટિ આંતરરાષ્ટ્રીય નાણાકોષ (IMF) 2026ની પ્રથમ છમાસિકમાં કરશે. છેલ્લા દસ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનો કદ લગભગ દોગણો થયો છે. મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ અર્થતંત્રમાં થયેલા સુધારાઓએ વૃદ્ધિને મજબૂત આધાર આપ્યો છે. वित્ત વર્ષ 2025–26ની બીજી ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ દર 8.2% નોંધાઈ, જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. મજબૂત ઘરેલુ માંગ, ઉપભોક્તા ખર્ચ, રોકાણમાં વધારો…
ખાલિદા ઝિયાનો ભારત સાથે કેવા રહ્યા સંબંધો? આ રીતે કરી હતી રાજકારણમાં એન્ટ્રી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને ઘણીવાર શેખ હસીના કરતાં વધુ ભારત વિરોધી બાંગ્લાદેશી નેતા માનવામાં આવતા હતા, પરંતુ તેમના ભારત સાથે ગાઢ સંબંધો હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મ 1945માં જલપાઇગુડીમાં થયો હતો, જે હવે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનો ભાગ છે. તે સમયે, તે દિનાજપુર જિલ્લાનો ભાગ હતો, અને ભારત એક હતું. ભાગલા પડ્યા ન હતા, અને બંગાળ એક થયું હતું. ભાગલા પછી જ રાજ્યનો ભારતીય ભાગ પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાવા લાગ્યો. દરમિયાન, પૂર્વ બંગાળ પાકિસ્તાનનો ભાગ બન્યું, અને પછી, 16 ડિસેમ્બર, 1971 ના રોજ સ્વતંત્રતા પછી, બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આમ, ખાલિદા ઝિયાએ ભારત, પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશના નાગરિક તરીકે પોતાનું જીવન જીવ્યું. તેઓ બાંગ્લાદેશમાં ટોચના…
શશિ થરૂર નવા-જૂની કરવાના મૂડમાં ! સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં રહ્યા ગેરહાજર
કોંગ્રેસ અને શશિ થરૂરના સંબંધો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. આ દરમિયાન શશિ થરૂર સતત ત્રીજી વખત પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શુક્રવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની એક બેઠક હતી, જેમાં તેઓ હાજર રહ્યા ન હતા. આ સતત ત્રીજી વખત છે જ્યારે શશિ થરૂર પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા છે. શશિ થરૂર અનેક વખત પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે આના કારણે કોંગ્રેસમાં તેમના વિશે અસ્વસ્થતાની સ્થિતિ છે. દરમિયાન, કોંગ્રેસની બેઠકોમાં તેમની સતત ગેરહાજરી આશંકાઓને જન્મ આપી રહી છે. શિયાળુ સત્ર 19 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને તે પહેલાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના તમામ 99 લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. આ બેઠક શિયાળુ સત્રના આગામી દિવસોમાં શાસક પક્ષને કેવી રીતે…
















