જનોઈ બદલવાની તારીખ અંગે મૂંઝવણ દૂર: ઋગ્વેદી બ્રાહ્મણો 26મીએ, તૈતરીય શાખાના ભૂદેવો 28મીએ યજ્ઞોપવિત બદલશે

બળેવ અને રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવાની તારીખ અને મુહૂર્તને લઈને વિવિધ મત પ્રવર્તી રહ્યા છે. અલગ-અલગ વેદશાખા અને પરંપરા મુજબ જનોઈ બદલવાની તારીખ અલગ હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ અંગે જ્યોતિષાચાર્ય ડો. દિલીપભાઈ દવેએ સ્પષ્ટતા કરતાં કઈ શાખાના બ્રાહ્મણોએ કયા દિવસે જનોઈ બદલવી તે અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ ઋગ્વેદી બ્રાહ્મણોએ બુધવાર, 26 ઓગસ્ટ 2026ના રોજ શ્રવણ નક્ષત્રમાં યજ્ઞોપવિત બદલવાનું રહેશે. જ્યારે અન્ય વેદશાખાના ભૂદેવો માટે પૂર્ણિમાના સમયને ધ્યાનમાં રાખીને અલગ તારીખ નક્કી કરવામાં આવી છે. ઋગ્વેદી બ્રાહ્મણો 26 ઓગસ્ટે જનોઈ બદલશે ઋગ્વેદી બ્રાહ્મણો માટે 26 ઓગસ્ટ, બુધવારનો દિવસ જનોઈ બદલવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી…

શ્રાવણમાં અયોધ્યામાં ભક્તોનો ઘોડાપૂર, રામલલ્લાના દર્શન માટે ઉમટી મોટી ભીડ

ભગવાન શ્રીરામની પાવન નગરી અયોધ્યા ધામમાં શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. રામલલ્લાના દર્શન-પૂજનની સાથે ભક્તો શહેરના પ્રાચીન શિવ મંદિરો અને શિવાલયોમાં પણ જલાભિષેક કરી રહ્યા છે. ભક્તોની વધતી સંખ્યાને જોતા સ્થાનિક વહીવટીતંત્રે સુરક્ષા, ટ્રાફિક, સ્વચ્છતા અને ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. અયોધ્યામાં શ્રાવણ દરમિયાન ભારે ભીડનો અનુભવ નવી વાત નથી. 2024માં પણ શ્રાવણ માસ દરમિયાન રામલલ્લાના દર્શન માટે આશરે 35 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અને દરરોજ સરેરાશ લગભગ એક લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. રામલલ્લાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો શ્રાવણ માસ ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી કાવડિયા…

કીર્તિ પટેલનો “સ્નાનકાંડ”..! | GUJARAT | GUJARATI NEWS BULETIN

વિવાદાસ્પદ કીર્તિ પટેલનો વધુ એક કાંડ ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં લગાવી ડૂબકી જૂનાગઢના મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ મૃગીકુંડ કોઈ સ્વિમિંગ પૂલ નથી, આસ્થા અને પરંપરાનું કેન્દ્ર સાધુ-સંતોની પરંપરા તોડનાર સામે કાર્યવાહીની માંગ સોશિયલ મીડિયા ફેમ માટે આસ્થા સાથે ખેલ? કીર્તિ પટેલના કાંડથી સાધુ સમાજમાં રોષ મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન બાદ સાધુ સંતોમાં નારાજગી કીર્તિ પટેલ આવા નાટક નાટક કરતી હોય છે : ડૉ.જ્યોર્તિનાથ કીર્તિ પટેલે સનાતન ધર્મ અને સંતોનું અપમાન કર્યું : ડૉ.જ્યોર્તિનાથ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

મહાશિવરાત્રી પર વિશેષ યોગ | GUJARAT | GUJARATI NEWS BULETIN

મહાશિવરાત્રીનો પાવન પર્વ ભગવાન શિવની કૃપા દરેક પર વરસે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી ભગવાન શિવની કૃપા મેળવા માટે શુભ અવસર શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા ભોળેનાથની કૃપા સૌના પર વરસે મહાશિવરાત્રી પર વિશેષ ગ્રહયોગનો અનોખો લાભ મહાશિવરાત્રી નિમિત્તે રાત્રિ જાગરણ અને પૂજાનો મહિમા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવનાર પર્વ ભોળેનાથની કૃપાથી દરેકના દુઃખ દૂર થાય ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જાનો થાય છે સંચાર Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

વસંત પંચમી ક્યારે છે? 23 કે 24 જાન્યુઆરી – અહીં દૂર કરો તમારી મુંજવણ

વસંત પંચમી, જેને બસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી મા સરસ્વતીને સમર્પિત પવિત્ર તહેવાર છે. માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય થયો હતો, તેથી તેને સરસ્વતી જયંતિ પણ કહેવામાં આવે છે. આ તહેવાર ધાર્મિક સાથે-સાથે સાંસ્કૃતિક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો અને સંગીતપ્રેમીઓ મા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન અને બુદ્ધિ માટે આશીર્વાદ માગે છે. લોકો પીળા કપડાં પહેરે છે અને પીળા ફૂલો તથા વાનગીઓથી પૂજા કરે છે. વસંત પંચમી 2026ની સાચી તારીખ આ વર્ષે વસંત પંચમીની તિથિ 23 જાન્યુઆરી 2026ના રોજ સવારે 2:28 વાગ્યે શરૂ થઈ અને 24 જાન્યુઆરીએ 1:46 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિના આધારે વસંત પંચમી 23 જાન્યુઆરી 2026…

મૌની અમાવસ્યા પર શ્રદ્ધાનો મહાસાગર, પ્રયાગરાજ સંગમ ખાતે 4.36 કરોડ ભક્તોએ લગાવી પવિત્ર ડૂબકી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા ઐતિહાસિક માઘ મેળામાં મૌની અમાવસ્યાના પાવન અવસરે આસ્થાનો અભૂતપૂર્વ નજારો જોવા મળ્યો. રવિવારે બ્રહ્મમુહૂર્તથી જ સંગમના ઘાટો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 4.36 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું, જે વહીવટીતંત્રના અંદાજ કરતા ઘણી વધુ સંખ્યા છે. સ્નાનનો ક્રમ વહેલી સવારથી શરૂ થયો હતો. સવારે 4 વાગ્યા સુધીમાં 50 લાખ, 6 વાગ્યા સુધીમાં 75 લાખ અને 7 વાગ્યા સુધીમાં 1 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. સવારે 8 વાગ્યા સુધીમાં આ આંકડો 1.3 કરોડને પાર ગયો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં 3.15 કરોડ, સાંજે 4 વાગ્યા સુધીમાં 3.82 કરોડ અને સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 4.36 કરોડ ભક્તોએ સ્નાન પૂર્ણ કર્યું હતું. ગત…

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પવન રહેશે અનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતીઓ માટેનો પ્રિય તહેવાર ઉત્તરાયણ આજે મનાવવામાં આવશે, અને આ સમયે રંગબેરંગી પતંગોથી આકાશ સૌંદર્યથી ભરાઈ જશે. પતંગોત્સવ માટે પવનનું માહોલ સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે કે આ વર્ષના ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસોમાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ રહેશે. અંબાલાલ પટેલની આગાહી: – પવનની ઝડપ સામાન્ય રીતે 6 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે રહેશે. – ઉત્તર ગુજરાતમાં પવન નરમ, 6 થી 9 કિ.મી/કલાક રહેશે. – કચ્છ, દરિયાકાંઠા અને સુરત વિસ્તારમાં પવન થોડી વધારે તીવ્રતા ધરાવશે. – દિવસ અને સાંજ દરમિયાન પવન અનુકૂળ રહેશે, જે પતંગ ઉત્સાહીઓ માટે આદર્શ રહેશે. – 15 જાન્યુઆરીના દિવસે પવનમાં થોડી વધઘટ જોવા મળી શકે, પરંતુ આ બે દિવસ પતંગ ચગાવનારા માટે આનંદદાયક…

મકર સંક્રાંતિ 2026: દાન-સ્નાન માટે કેટલા વાગ્યે છે શુભ મુહૂર્ત? જાણો પૂજાની વિધિ

હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ વધુ પુણ્યપ્રદ માનવામાં આવી રહી છે, કારણ કે અનેક વર્ષો બાદ ષટતિલા એકાદશી અને મકર સંક્રાંતિનો શુભ સંયોગ રચાઈ રહ્યો છે. સાથે જ સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ આ દિવસની ધાર્મિક મહત્તા વધારી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સંયોગમાં કરેલું સ્નાન અને દાન અનેક ગણું ફળ આપે છે. મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે – “ઉત્તરાયણં દેવયાનં, દક્ષિણાયનં પિતૃયાનમ્”. મકર સંક્રાંતિ અયન સંક્રાંતિ હોવાથી તેને અન્ય સંક્રાંતિઓ કરતાં વિશેષ માનવામાં આવે છે. સામાન્ય સંક્રાંતિમાં આઠ ઘડી પહેલાં અને પછીનો સમય પુણ્યકાળ ગણાય છે, પરંતુ મકર સંક્રાંતિમાં 40 ઘડી પહેલાંથી જ પુણ્યકાળ શરૂ થાય છે, તેથી પ્રાતઃકાળથી સ્નાન-દાન કરવું શાસ્ત્રસંમતિ…

અયોધ્યામાં રામલલાનો અભિષેક: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સીએમ યોગી હાજર રહેશે

બુધવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રતિષ્ઠા દ્વાદશીની વિશેષ ઉજવણી તરીકે રામલલાનો ભવ્ય અભિષેક યોજાશે. આ ધાર્મિક વિધિમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાગ લેશે. સંરક્ષણ પ્રધાન સવારે 11 વાગ્યે અયોધ્યામાં પહોંચશે અને મંદિર પરિસરમાં આશરે ચાર કલાક રોકાઈ વિવિધ ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે. તેઓ કિલ્લામાં આવેલ અન્નપૂર્ણા મંદિરની ટોચ પર ધ્વજ ફરકાવશે અને મંદિરમાં ચાલી રહેલી વિધિઓને જોવા અને સમર્થન આપવા માટે હાજર રહેશે. પ્રતિષ્ઠા દ્વાદશી નિમિત્તે યોજાતા પાટોત્સવમાં રામલલાનું અભિષેક વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે. યજ્ઞ, હવન અને પરંપરાગત પૂજા વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ, સંતો, ધાર્મિક નેતાઓ અને મોટી સંખ્યામાં ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. સંરક્ષણ પ્રધાનની આગમનને ધ્યાનમાં રાખીને મંદિર અને આસપાસના વિસ્તારોમાં વધારાના સુરક્ષા તંત્ર…

Dhanteras 2025: ધન, આરોગ્ય અને સમૃદ્ધિના ત્રિવેણી પર્વે જાણો સંપૂર્ણ પૂજા વિધિ

પ્રાચીન કાળથી ધનતેરસ માતા લક્ષ્મીજીના આગમન પર્વ તરીકે ઉજવાતો આવ્યો છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ દિવસે કુબેર દેવ અને ધન્વંતરી દેવતાનું પૂજન પણ અનિવાર્ય માનવામાં આવે છે. તારીખ: 18 ઓક્ટોબર 2025 (શનિવાર) શુભ મુહૂર્ત: સવારે: 8:05 થી 9:32 (શુભ) સાંજે: 6:10 થી 7:44 (લાભ) રાત્રે: 9:17 થી 10:51 (શુભ), 10:51 થી 12:25 (અમૃત) માતા લક્ષ્મી ધનની દેવી છે. – કુબેર દેવ ધન અને ઐશ્વર્યના અધિપતિ છે. – ધન્વંતરી દેવ આરોગ્યના દેવીમાન્ય દેવ છે. – તેમના ત્રિવેણી પૂજનથી ઘરમાં સંપત્તિ, શાંતિ અને આરોગ્યનું સુખ પ્રસરે છે. કેવી રીતે કરવી ધનતેરસ પૂજા? તૈયારી: – સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. – ઘરમાં લક્ષ્મીજી, કુબેરજી અને ધન્વંતરીજીની મૂર્તિ અથવા ફોટા પાટલા/બાજોટ પર સ્થાપિત કરો. –…