વસંત પંચમી, જેને બસંત પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની દેવી મા સરસ્વતીને સમર્પિત પવિત્ર તહેવાર છે. માન્યતા છે કે આ દિવસે દેવી સરસ્વતીનો પ્રાગટ્ય થયો હતો, તેથી તેને સરસ્વતી જયંતિ પણ કહેવામાં આવે છે. આ તહેવાર ધાર્મિક સાથે-સાથે સાંસ્કૃતિક રીતે પણ વિશેષ મહત્વ ધરાવે છે.
આ દિવસે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો અને સંગીતપ્રેમીઓ મા સરસ્વતીની પૂજા કરી જ્ઞાન અને બુદ્ધિ માટે આશીર્વાદ માગે છે. લોકો પીળા કપડાં પહેરે છે અને પીળા ફૂલો તથા વાનગીઓથી પૂજા કરે છે.
વસંત પંચમી 2026ની સાચી તારીખ
આ વર્ષે વસંત પંચમીની તિથિ 23 જાન્યુઆરી 2026ના રોજ સવારે 2:28 વાગ્યે શરૂ થઈ અને 24 જાન્યુઆરીએ 1:46 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિના આધારે વસંત પંચમી 23 જાન્યુઆરી 2026 (શુક્રવાર)ના રોજ ઉજવાશે.
વસંત પંચમી 2026 પૂજન મુહૂર્ત
દૃક પંચાંગ મુજબ મા સરસ્વતીની પૂજા માટે શુભ સમય:
– સવારનો શુભ સમય: 7:13 થી 12:33
– અભિજીત મુહૂર્ત: 12:12 થી 12:54
વસંત પંચમી પૂજન વિધિ
આ દિવસે ઘરમાં સ્વચ્છ સ્થાન પર પીળો કપડો પાથરી મા સરસ્વતીનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો. ગંગાજળથી શુદ્ધિકરણ કરી પીળા ફૂલો, ચોખા, ધૂપ, દીવો અર્પણ કરો. ચણાના લાડુ, બરફી, ખીર અથવા માલપુઆ પ્રસાદ રૂપે અર્પણ કરો અને અંતે આરતી કરીને પ્રાર્થના કરો.
વસંત પંચમીના શુભ મંત્ર
– બીજ મંત્ર: “ઐમ ઐમ ઐમ”
– બીજો મંત્ર: “ઐમ સ્વસ્ત્યૈ નમઃ”
આ મંત્રોનો 108 વાર જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે.
Disclaimer: આ લેખમાં ધર્મ, શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સંબંધિત જાણકારી વિવિધ સ્ત્રોતો અને લોકપ્રચલિત માન્યતાઓના આધારે રજૂ કરવામાં આવી છે. આ માહિતીનો ઉદ્દેશ માત્ર જ્ઞાનવર્ધન અને માહિતિ આપવાનો છે. આને અંતિમ સત્ય માનીને અનુસરતા પહેલાં સંબંધિત ક્ષેત્રના જાણકારોની સલાહ અવશ્ય લેવી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






