કૈલાશ માનસરોવરમાં ડૂબકીને લઇ જાણો ચીનના નિયમ પાછળનું કારણ

કૈલાશ માનસરોવર યાત્રામાં બદલાયો સ્નાનનો નિયમ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવતી કૈલાશ માનસરોવર યાત્રા સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવના પવિત્ર ધામની યાત્રા કરવા માટે પહોંચે છે. માન્યતા અનુસાર માનસરોવર ઝીલમાં સ્નાન કરવાથી આધ્યાત્મિક શુદ્ધિ મળે છે અને ભક્તો માટે આ યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. જોકે, હવે શ્રદ્ધાળુઓ માનસરોવર ઝીલમાં સીધી ડૂબકી લગાવી શકતા નથી. વર્ષ 2018થી ચીન સરકાર દ્વારા માનસરોવર ઝીલમાં ઉતરીને સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે, શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને ઝીલના પાણીથી બહાર રહીને સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે યાત્રાળુઓ એક ડોલમાં પાણી ભરીને ધાર્મિક વિધિ પૂર્ણ કરે છે. ચીન સરકારે કેમ લગાવ્યો કૈલાશ માનસરોવરમાં સ્નાનનો પ્રતિબંધ? માનસરોવર…

હરિદ્વાર અર્ધ કુંભ: 105 ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી

ઉત્તરાખંડ સરકાર 2027ના અર્ધ કુંભ મેળાને ધ્યાનમાં રાખીને હરિદ્વારના ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ માટે કડક નિયમો પર વિચાર કરી રહી છે. 105 ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનો અને હરિદ્વાર-ઋષિકેશને સનાતન પવિત્ર શહેરો તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ તાજેતરમાં ચર્ચા માટે મૂકાયો છે. ભીડ નિયંત્રણ અને પવિત્રતા જાળવવી કેબિનેટના સભ્ય અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એ વાતના સંકેત આપ્યા છે કે 2027ના અર્ધ કુંભ મેળા પહેલા આ નિયમો અમલમાં આવી શકે છે. તેઓએ જણાવ્યું કે, “હરિદ્વાર એ પવિત્ર શહેર છે, અને સરકાર તેની ધાર્મિક અને સાંસ્કૃતિક ઊંચાઇ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.” 105 ઘાટ પર અનિવાર્ય પગલાં પ્રસ્તાવ મુજબ, હરિદ્વારના આશરે 120 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 105 ઘાટ પર બિન-હિન્દુઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ…