વડોદરામાં હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પ્રહાર, નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાની છૂટના આપ્યા સંકેત

એક તરફ નવરાત્રિની તૈયારી ચાલી રહી છે ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જાહેર સભામાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ વર્ષે પણ લોકો નિરાંતે ગરબાની ઉજવણી કરી શકે તે માટે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે. મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી મળી શકે આગામી નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી મળી શકે તેવા સંકેતો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ વર્ષે પણ લોકો નિરાંતે ગરબાની ઉજવણી કરી શકે તે માટે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે. માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો કે ગત વર્ષે મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી…

ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે.     –> ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે:…