વડોદરામાં હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પ્રહાર, નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાની છૂટના આપ્યા સંકેત

એક તરફ નવરાત્રિની તૈયારી ચાલી રહી છે ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જાહેર સભામાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ વર્ષે પણ લોકો નિરાંતે ગરબાની ઉજવણી કરી શકે તે માટે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે. મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી મળી શકે આગામી નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી મળી શકે તેવા સંકેતો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ વર્ષે પણ લોકો નિરાંતે ગરબાની ઉજવણી કરી શકે તે માટે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે. માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો કે ગત વર્ષે મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી સામે કોંગ્રેસે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસને નવરાત્રિ જેવા સાંસ્કૃતિક તહેવારોની ઉજવણીથી વાંધો હોય તેવું વર્તન કર્યું છે. નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાની છૂટના સંકેત   હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગત વર્ષે રાજ્ય સરકારે નવરાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાતમાં લોકો વધુ સમય સુધી ગરબા રમી શકે તે માટે મોડી રાત સુધીની છૂટ આપી હતી. આ નિર્ણયને રાજ્યભરમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમણે જણાવ્યું કે આ વર્ષે પણ સરકાર એ જ દિશામાં વિચાર કરી રહી છે અને યોગ્ય સમયે નિર્ણય જાહેર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે નવરાત્રિ ગુજરાતની સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે અને સરકાર આ લોકોત્સવને વધુ ભવ્ય બનાવવા પ્રતિબદ્ધ છે. કોંગ્રેસ પર કર્યો સીધો હુમલો સભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક કોંગ્રેસી નેતાઓને એવું લાગે છે કે નવરાત્રિ માત્ર ભાજપનો કાર્યક્રમ છે, જ્યારે હકીકતમાં તે સમગ્ર ગુજરાતનો લોકોત્સવ છે. તેમણે આરોપ લગાવ્યો કે ગત વર્ષે સરકારે ગરબા માટે મોડી રાત સુધીની મંજૂરી આપ્યા બાદ માત્ર 24 કલાકની અંદર કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ કહ્યું, “જો કોઈ એક-બે કોંગ્રેસી નેતાઓને નવરાત્રિ પસંદ ન હોય તો તે તેમની વ્યક્તિગત બાબત હોઈ શકે, પરંતુ સમગ્ર ગુજરાતના લોકોની ભાવનાઓ સાથે રાજકારણ ન કરવું જોઈએ.” વેપારીઓને મળ્યો હતો મોટો લાભ હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગત વર્ષની નવરાત્રિ દરમિયાન માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ જ નહીં પરંતુ વેપાર-ધંધામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ગરબાના કારણે કપડાં, ચણિયા-ચોળી, જ્વેલરી, સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, ફૂડ સ્ટોલ અને અન્ય અનેક વ્યવસાયો સાથે જોડાયેલા હજારો વેપારીઓને સારો વેપાર મળ્યો હતો. તેમણે કહ્યું કે નવરાત્રિના દિવસોમાં ઘણા વેપારીઓ માટે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક અર્થતંત્રને પણ તેનો સીધો ફાયદો થયો હતો. પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપનો વિકાસ એજન્ડો હર્ષ સંઘવી વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર માટે શહેરની મુલાકાતે હતા. તરસાલી વિસ્તારમાં ગણેશ મંડળોના કાર્યકરો અને સ્થાનિક નાગરિકોને સંબોધતા તેમણે ભાજપના ઉમેદવાર સતીશ પટેલને જીતાડવાની અપીલ કરી હતી. તેમણે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કરાયેલા વિકાસકાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ સાંસ્કૃતિક પરંપરાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.   વિકાસ અને સાંસ્કૃતિક પરંપરાઓ પર ભાર સભા દરમિયાન હર્ષ સંઘવીએ રાજ્ય સરકારના વિકાસકાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર એક તરફ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પર ધ્યાન આપી રહી છે તો બીજી તરફ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવવા માટે પણ સતત પ્રયાસ કરી રહી છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ રાજ્યના વિકાસ અને સાંસ્કૃતિક મૂલ્યોને આગળ વધારવા માટે ભાજપના ઉમેદવાર સતીશ પટેલને સમર્થન આપે.   સરકારના નિર્ણય પર સૌની નજર નવરાત્રિને હવે થોડા જ મહિના બાકી છે ત્યારે મોડી રાત સુધી ગરબાની મંજૂરી અંગે સરકાર શું નિર્ણય લે છે તેના પર આયોજકો, ખેલૈયાઓ અને વેપારીઓની નજર છે. જો રાજ્ય સરકાર ફરીથી ગત વર્ષની જેમ મોડી રાત સુધી ગરબાની મંજૂરી આપે છે, તો તેનો લાભ લાખો ખેલૈયાઓ ઉપરાંત ગરબા સાથે સંકળાયેલા નાના-મોટા વેપારીઓને પણ મળી શકે છે. હાલ હર્ષ સંઘવીના નિવેદન બાદ નવરાત્રિ દરમિયાન ગરબાની સમયમર્યાદાને લઈને ચર્ચાઓ તેજ બની છે.   Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive  X : https://x.com/bindia276  

ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે.     –> ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: શ્રી વિકાસ સહાય :–     ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.   –> વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે:–     “સાંત્વના કેન્દ્ર”માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) આ ચારેય વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં “સાંત્વના કેન્દ્ર” શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.     –>પોલીસ સ્ટેશનોમાં આ ચાર સેવાઓ એક જ છત નીચે “સાંત્વના કેન્દ્ર”માં ઉપલબ્ધ બનશે:–     • વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલીંગ કરવાની કામગીરી કરતી હોય છે. • ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર: ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલીંગ કરતા હોય છે. • ૧૮૧-અભયમ: ૧૮૧-અભયમની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થાય છે. • PSBSS (પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર): PSBSS પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલીંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે.   –>‘સાંત્વના કેન્દ્ર’ના મુખ્ય ઉદ્દેશ્યો:-   • પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવા. • તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું. • જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલીંગ કરવું. • પોલીસ સ્ટેશનોમાં જ્યારે બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનો આવે ત્યારે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ ત્વરીત પુર્ણ થાય તે અંગે કાર્યવાહી કરવી.   આ સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટર અંગત ધ્યાન આપી સુચવવામાં આવેલી કામગીરી તેઓ યોગ્ય રીતે કરે તે સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડાશ્રીએ સુચનાઓ આપી છે. તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઇ રહી છે કે કેમ તે બાબતે સંબંધિત SDPO / ACP અધિકારીએ સુપરવિઝન રાખવા પણ સુચના આપવામાં આવી છે. તેવી જ રીતે કમિશ્નરેટ વિસ્તારમાં જે-તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નરશ્રી તેમજ જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકશ્રીએ તેમના કાર્યક્ષેત્રમાં આ કામગીરી ઉપર યોગ્ય સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.