ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યેલો એલર્ટ, બંદરો પર લગાવાયું નંબર 3નું સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. માહિતી મુજબ, મહુવા તાલુકામાં હોસ્પિટલ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના જેસર, બીલા, ઉગલવાણ અને કાત્રોડી ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાક પલળી જવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. તે ઉપરાંત, ઘોઘાના દરિયા વિસ્તારમાં કરંટ (Sea Current) જોવા મળતાં તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ…
બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં આગામી બે દિવસ સુધી વરસાદ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રનું તાજું અપડેટ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્રનું ડિપ્રેશન હાલમાં ગોવાના પણજીથી લગભગ 360 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ ઉત્તરપૂર્વ દિશામાં પ્રતિ કલાક 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે. ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ હવામાન વિભાગે દરિયાકાંઠાના બંદરો પર ચેતવણી જાહેર કરી છે. પોરબંદર અને ઓખા બંદર પર નંબર 3 ભય સૂચક સિગ્નલ લગાવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, સિક્કા, નવલખી, જામનગર…
દક્ષિણ ભારતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વાતાવરણ રહેશે સૂકું
ભારતના દક્ષિણ રાજ્યો માટે આગામી દિવસો ભારે વરસાદ લઈને આવી રહ્યા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલું હવામાન તંત્ર દેશના દક્ષિણ ભાગ માટે પડકારરૂપ બનવાનું સંકેત આપે છે. બીજી તરફ, ગુજરાત અને ઉત્તર ભારત માટે હાલ કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી. અરબ સાગરમાં ચક્રવાતની શક્યતા: શું છે હાલની પરિસ્થિતિ? – દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. – આગામી 48 કલાકમાં તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે (18–19 ઓક્ટોબર દરમિયાન). – 20 ઓક્ટોબર સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશન કે પછી સાયક્લોનિક સ્ટોર્મમાં પણ ફેરવાઈ શકે છે. – હાલના IMDના અનુમાન મુજબ, આ ચક્રવાત ઓમાન કે સોમાલિયા તરફ આગળ વધે તેવી સંભાવના છે, એટલે કે ભારતના કિનારાથી લેન્ડફોલ થવાની શક્યતા ઓછી છે. ક્યા…
દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા અને ગાજવીજ સાથેના વરસાદની શક્યતા છે. IMDની આગાહી મુજબ, વરસાદ થઈ શકે તેવા મુખ્ય જિલ્લાઓ: – 16 ઓક્ટોબર: તાપી, નવસારી, ડાંગ, વલસાડ – 17 ઓક્ટોબર: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત ઉપરોક્ત જિલ્લાઓ – 18-19 ઓક્ટોબર: અમરેલી, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ આ સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદ, અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેશે. શ્રીલંકા નજીક સક્રિય સિસ્ટમમાંથી વાવાઝોડાની શક્યતા! હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં શ્રીલંકા નજીક એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જો આ સિસ્ટમને અનુકૂળ…
દિવાળીમાં ધોધમાર વરસાદનો ખતરો!, અંબાલાલ પટેલની ભયાનક આગાહી
ગુજરાતમાં દિવાળીની તયારી જોમશોખથી ચાલી રહી છે ત્યારે હવામાનવિદ અંબાલાલ પટેલે આવી આગાહી કરી છે કે, આ વર્ષે દિવાળીમાં વરસાદ ખાબકી શકે છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં મોસમ સતત બદલાતા રહે છે અને ચોમાસા બાદ પણ એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. દિવાળીના આસપાસ વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 ઓક્ટોબરથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારે 17 ઓક્ટોબરથી દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. સૌથી મહત્વની વાત એ છે કે, 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે, જે ગુજરાતના વાતાવરણને સીધી અસર કરશે. અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ, દિવાળી દરમિયાન વરસાદ? અગાઉ ચોમાસુ વિદાય લઈ ચૂક્યું હોવા છતાં અંબાલાલ પટેલે આગાહી કરી…
“શક્તિ” વાવાઝોડું: ગુજરાત માટે ચેતવણી, ભારે વરસાદની આગાહી
અરબ સાગરમાં સક્રિય બનેલા વાવાઝોડું ‘શક્તિ’ને લઇને હવામાન વિભાગે તાકીદની આગાહી કરી છે. તોફાન ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું નથી, છતાં રાજ્યના હવામાન પર તેનું ગંભીર અને વ્યાપક અસરો જોવા મળી રહી છે. આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદ અને પછી ભારે વરસાદ પડવાની તીવ્ર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આજથી આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તે પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર LCS-3 (Low Cautionary Signal) ઉત્તર ગુજરાત માટે અને DW2 (Distant Warning Signal-2) દક્ષિણ ગુજરાતના દરિયા માટે જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. દરિયામાં ભારે કરંટ…
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું: પોરબંદરથી 210 કિ.મી. દૂર સ્થિર, જાણો સમગ્ર વિગત
અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી હવામાની સિસ્ટમ હવે વધુ શક્તિશાળી બની છે. હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને હાલ પોરબંદરથી આશરે 210 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ સ્થિર છે. આગામી દિવસોમાં તોફાની પવન અને વરસાદ માટે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રાખવામાં આવ્યા છે. ડિપ્રેશનનું સ્થાન અને ગતિ 2 ઓક્ટોબર, સવારે 11:30 કલાકે મળેલી માહિતી મુજબ ડિપ્રેશન નીચે આપેલા સ્થાનોએ નોંધાયું છે: – પોરબંદરથી: 210 કિ.મી. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ – દ્વારકાથી: 210 કિ.મી. દક્ષિણપશ્ચિમ – નલિયાથી: 290 કિ.મી. દક્ષિણ-દક્ષિણપશ્ચિમ – કરાચીથી: 460 કિ.મી. દક્ષિણ આ સિસ્ટમ આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર તરફ દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. વરસાદ અને પવનની આગાહી 2થી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં…
રાજકોટ જિલ્લામાં અકસ્માત: ઉપલેટા શહેરમાં 2 ઇંચ ભારે વરસાદથી વર્ષો જૂનુ બંધ મકાન ધરાશાયી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે એક જૂનુ અને લાંબા સમયથી બંધ મકાન તૂટી પડ્યું છે. સવારે વહેલી તડકે બનેલી આ ઘટના લોકોમાં ચકચાર ફેલાવી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગઈ રાત્રે ઉપલેટા પંથકમાં આશરે 2 ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો, જે અચાનક શહેરમાં પૂરવર્ષા જેવા પરિસ્થિતિ સર્જી. આ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ભારે વરસાદ અને ભેજના કારણે ઉપલેટા શહેરના એક જર્જરિત મકાનની છત અને કાટમાળ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ મકાન વર્ષો જૂનું અને લાંબા સમયથી બંધ હતું, જેના કારણે કોઈપણ વ્યક્તિના મોત કે ઘાયલ થવાના આશંકા ટાળી શકાય. ઘટનાની જાણ થતાં ઉપલેટા વહીવટ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા…
ધોધમાર વરસાદે ખેલૈયાઓની મજા બગાડી, રાજ્યના આ વિસ્તારોમાં ગરબા રદ કરાયા
ગુજરાતમાં તહેવારોની મોસમ છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સતત ખાબકેલા વરસાદના કારણે રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે ગરબા જેવા કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે. ગાંધીનગર: ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં નવરાત્રિના ગરબા ગ્રાઉન્ડમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું છે. આ પરિસ્થિતિને જોઈને આજના તમામ ગરબા કાર્યક્રમો રદ કરવા પડયા. વરસાદ સાથે પવન પણ ગતિશીલ હોવાને કારણે બેનરો અને ડેકોરેશન ધરાશાયી થઈ ગયાં. સાબરકાંઠા (હિંમતનગર): હિંમતનગરમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ગરબા માટે નક્કી કરાયેલ જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા. બેનરો અને મંચના ડેકોરેશન પવન…
















