સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, હોટલ-રેસ્ટોરન્ટનું 3 દિવસ સઘન ચેકિંગ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની શંકાસ્પદ ઘટનામાં એક માસૂમ બાળકીના મોત બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં એક પરિવારના સભ્યોની તબિયત લથડ્યા બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે સમગ્ર ગુજરાતમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય એકમોની સઘન તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા, ખોરાકનો સંગ્રહ અને હાઈજીન સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. સુરતમાં શું બન્યું? સુરતમાં એક પરિવારના સભ્યો દ્વારા રેસ્ટોરન્ટનું ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક લથડી હતી. પરિવારના સભ્યોને ઉલટી, પેટમાં દુખાવો અને અન્ય તકલીફો થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…
સોનિયા ગાંધીની મુશ્કેલી વધી? ‘વંદેમાતરમ્’ વિવાદ મામલે ગાજિયાબાદ કોર્ટમાં ફરિયાદ, 8 સપ્ટેમ્બરે સુનાવણી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામે ‘વંદેમાતરમ્’ના ગાન દરમિયાન કથિત રીતે અવરોધ ઊભો કરવાના આરોપોને લઈને ગાજિયાબાદની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. ગાજિયાબાદની ACJM-દ્વિતીય MP/MLA કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારી લેવામાં આવી હોવાનું જણાવાયું છે અને આગામી સુનાવણી માટે 8 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો 15 ઑગસ્ટના રોજ કોંગ્રેસ મુખ્યાલય ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન ‘વંદેમાતરમ્’નું ગાન ચાલી રહ્યું હતું ત્યારે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરતા અને ઈશારો કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો હતો. હિન્દુ સેનાના નેતાએ કરી ફરિયાદ ગાજિયાબાદ કોર્ટમાં સોનિયા…
દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક સાથે જોડાયેલા અખ્તર મર્ચન્ટની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ
અંડરવર્લ્ડ અને સંગઠિત ગુનાખોરી સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક સાથે જોડાયેલા અને લાંબા સમયથી ફરાર રહેલા અખ્તર કાસિમ અલી મર્ચન્ટને વિદેશમાંથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યા બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, દેશનિકાલની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અખ્તર મર્ચન્ટ ભારત પહોંચ્યો હતો. દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સુરક્ષા એજન્સીઓએ તેને અટકાયતમાં લીધો હતો. ત્યારબાદ કેન્દ્રીય એજન્સીઓ અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અખ્તર મર્ચન્ટ સામે સંગઠિત ગુનાખોરી કાર્યવાહી અખ્તર મર્ચન્ટ સામે મહારાષ્ટ્રમાં સંગઠિત ગુનાખોરી સાથે જોડાયેલા ગંભીર કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તે મુંબઈનો રહેવાસી હોવાનું અને તેની…
ગુજરાત : મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી અલગ, લાંબા સમયની માગણીનો આવ્યો અંત
ગુજરાતના મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રી માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને ધ્યાનમાં રાખીને હવે બંને કેડરના કર્મચારીઓની કામગીરી અને જવાબદારીઓ અલગ કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રી માટે અલગ-અલગ જોબચાર્ટ નક્કી કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયને કારણે બંને કેડરના કર્મચારીઓ વચ્ચે કામગીરીને લઈને થતી અસમંજસતા દૂર થવાની શક્યતા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં એક જ પ્રકારની અથવા પરસ્પર સંકળાયેલી કામગીરીને કારણે કયા કર્મચારીની જવાબદારી કઈ બાબત માટે છે તે અંગે ઘણી વખત ગૂંચવણ ઊભી થતી હતી. હવે ફરજોની સ્પષ્ટ વહેંચણી થતાં વહીવટી પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. લાંબા સમયથી કરવામાં આવતી હતી માંગણી મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી અલગ…
શાળામાં ભણતી 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન, ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને હવે વિનામૂલ્યે સેનેટરી નેપકીન આપવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય હેતુ કિશોરીઓમાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા ઉપરાંત આ સમયગાળા દરમિયાન શાળામાં તેમની હાજરી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સરકાર દ્વારા આ યોજના માટે રૂ. 46.68 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ નિર્ણયને કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. દર મહિને 30 સેનેટરી નેપકીન મળશે યોજનાના અમલ હેઠળ સરકારી શાળામાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી દરેક પાત્ર વિદ્યાર્થીનીને દર મહિને…
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને સરપ્રાઇઝ સ્થાન
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં નીતિન નબીનની નવી ટીમની જાહેરાત સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ભાજપે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ચાર નેતાઓને મહત્વની જવાબદારી સોંપી છે. તેમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ધારાસભ્ય જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ચાર ગુજરાતીઓને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના ચાર ચહેરાઓને સ્થાન મળવું રાજ્યના સંગઠન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું સીધું પ્રતિનિધિત્વ મર્યાદિત હતું. હવે એકસાથે ચાર નેતાઓને જવાબદારી મળતા ગુજરાત ભાજપનું સંગઠનાત્મક કદ રાષ્ટ્રીય સ્તરે વધ્યું હોવાનું રાજકીય…
ગુજરાત બાદ દાદરા-નગર હવેલી અને દમણ-દીવમાં પણ એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ
નકલી અથવા નોન-ડેરી પનીરના વેચાણ સામે કાર્યવાહી વધુ કડક બની રહી છે. ગુજરાત બાદ હવે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસને પણ એનાલોગ પનીર સામે મોટો નિર્ણય લીધો છે. પ્રશાસન દ્વારા જાહેર આરોગ્યના હિતમાં એનાલોગ પનીરના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. પ્રશાસનના આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રાહકોને અસલી પનીરના નામે નોન-ડેરી અથવા એનાલોગ પનીર વેચવામાં આવતું અટકાવવાનો છે. કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ગેઝેટ વ્યવસ્થા હેઠળ વિવિધ જાહેરનામા અને નિયમો પ્રસિદ્ધ કરવામાં આવે છે. શું છે એનાલોગ પનીર? સામાન્ય રીતે અસલી પનીર દૂધમાંથી બનાવવામાં આવે છે. જ્યારે એનાલોગ અથવા નોન-ડેરી પનીરમાં…
















