ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત

ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, જ્યારે અમદાવાદમાં 15.5°C અને ગાંધીનગરમાં 14.5°C તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની ચેતવણી IMD દ્વારા જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તો તાપમાન 7°C સુધી નીચે ઉતર્યું છે, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°C નોંધાયું છે.…

ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો, ઝેરી કેમિકલ્સને લઇ…….

ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા — જે નાણાં સામાન્ય ઉપયોગ માટે નહીં, પરંતુ ઝેર (Ricin) બનાવવા માટેના કેમિકલ્સ ખરીદવા માટે વપરાયા હતા. ATSએ હૈદરાબાદમાં અહેમદ સૈયદના ઘરમાંથી 6 લીટરથી વધુ ઝેરી કેમિકલ જપ્ત કર્યું છે. આ રાઈઝિન પદાર્થ દુનિયાના સૌથી ઘાતક ઝેરોમાંથી એક ગણાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ઘરમાં જ લેબોરેટરી સેટઅપ બનાવીને ઝેરની પ્રક્રિયા શરૂ કરી હતી. ATS અધિકારીઓનું કહેવું છે કે આ નેટવર્ક કોઈ મોટી આતંકી ઘટનાઓની તૈયારીમાં હતું. કેમિકલના નમૂનાઓને FSL લેબોરેટરી મોકલી દેવામાં આવ્યા છે, જેથી તેની જાત અને અસર અંગે વધુ માહિતી મળી…

ગુજરાતમાં ફરી વળશે શીત લહેર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ઠંડી ભૂક્કા બોલાવશે

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગ અને જ્યોતિષીય અનુમાન મુજબ 23 થી 27 નવેમ્બર અને 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શીત લહેરના પ્રભાવથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવનની અસર જોવા મળશે. અહેવાલો મુજબ અમદાવાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ સમયગાળા દરમ્યાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. જાન્યુઆરી 2026માં ઠંડીનો તાપમાનના સ્તર સુધી ઉતરવાનો અંદાજ છે, જેનાથી રાજ્યમાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડીનો પ્રકોપ રહેવાની શક્યતા છે. જ્યોતિષશાસ્ત્રીઓના અનુમાન મુજબ ફેબ્રુઆરીમાં માવઠું અને માર્ચમાં વંટોળ અને પવન જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે શિયાળું પાક પણ અસરગ્રસ્ત થઈ શકે છે. આ સમયગાળા દરમ્યાન પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી…

અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, લોકસાહિત્યકારની મુશ્કેલીમાં વધારો

લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો મારામારીના કેસમાં ફરિયાદી દ્વારા દાખલ અરજીના આધારે આપવામાં આવ્યો છે. અગાઉ કોર્ટે દેવાયત ખવડને જામીન મંજૂર કર્યો હતો, પરંતુ ફરિયાદી પક્ષ દ્વારા તેના રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જામીન રદ કરવા પાછળનો કારણ ફરિયાદીની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તેમને આગામી 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો છે. હવે લોકસાહિત્યકાર માટે કાયદાકીય માર્ગો મર્યાદિત થઈ ગયા છે. કોર્ટનો આદેશ દેવાયત ખવડ ફરજિયાતપણે એક મહિનાની સમયમર્યાદામાં ચાંગોદર પોલીસ મથક…

લીંબડી હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક અકસ્માત, 10 મુસાફરો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. વાન ચોટીલાથી મુસાફરો લઈ ગોધરા તરફ જઈ રહી હતી. અકસ્માતના તુરંત પછી, 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ કેટલીક ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંને વાહનોના ચાલકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. હાલમાં ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસ વધુ તપાસ ચાલુ રાખી રહી છે. ટ્રાફિક અને મુસાફરોની સલામતી માટે અત્યારે માર્ગ પર સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે.  …

થાનગઢમાં ટ્રકમાંથી મગફળીની બોરીઓની લૂંટ, પોલીસ કાર્યવાહી ચાલુ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ધોળેશ્વર ફાટક પાસે એક ટ્રક એન્ગલમાં ફસાઈ જતા તેમાં ભરેલી મગફળીની બોરીઓ રસ્તા પર પડી ગઈ. આ ઘટનાનો લાભ લઈને આસપાસના લોકોએ નીચે પડી ગયેલી બોરીઓ ઉઠાવી લીધી. ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ, આશરે 50 થી વધુ બોરીઓ લૂંટાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ થાનગઢ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને બાકી રહેલી બોરીઓ ટ્રકમાં ફરીથી ભરવાની કામગીરી શરૂ કરી. આ ઘટનામાં લોકોએ ભેદભાવ વિના ભારી માત્રા માં માલ લઈ લીધા હોવાનું જાણવા મળે છે. પોલીસ હવે વધુ તપાસમાં લાગી છે અને જવાબદારોને પકડવા પ્રયાસો કરી રહી છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત

રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે. Follow us On…

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે, સાથે જ શહેરના મહત્વપૂર્ણ સ્થળો — રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા દરિયાકાંઠા પર આવેલું હોવાથી સુરક્ષા દળોએ મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ પર રાખ્યા છે. ઈન્ટેલિજન્સ અને ATS ટીમો પણ સક્રિય થઈ ગઈ છે અને કોઈપણ શંકાસ્પદ વાહન કે વ્યક્તિ પર નજર રાખી રહી છે. સ્થાનિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન તેજ કર્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો અને કાળા કાચવાળા કાર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું…

ઉનાના નવાબંદર નજીક મધદરિયે બોટ ડૂબી : 9 ખલાસીઓનો આબાદ બચાવ, જાણો વિગત

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદર પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી છે. “વિજય સાગર” નામની માછીમારી બોટ મધદરિયે ડૂબી ગઈ, પરંતુ સદનસીબે બોટમાં સવાર 9 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો. નજીકમાં રહેલી અન્ય માછીમારી બોટના ખલાસીઓએ તાત્કાલિક મદદ પહોંચાડતા એક મોટી જાનહાનિ ટળી. શું બન્યું? બોટના પંખાનો એક મહત્વનો ભાગ તૂટી જતા બોટમાં પાણી ભરાવા લાગ્યું અને થોડી જ વારમાં બોટ ડૂબી ગઈ. 9 ખલાસીઓએ જીવ બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. નજીકમાં રહેલી બીજી બોટના ખલાસીઓએ સમયસર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી અને તમામને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડ્યા. બચાવ બાદની કામગીરી હાલ ડૂબેલી બોટને પાણીની સપાટી પરથી બહાર લાવવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 10 થી 12 બોટોની મદદથી દોરડાથી બાંધીને બોટને કિનારે ખેંચવાની કોશિશ…

ગુજરાતમાં ઠંડીનો ચમકારો: અંબાલાલ પટેલની આગાહી, નવેમ્બર અંતથી કડકડતી ઠંડીની એન્ટ્રી

ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ પૂરો થતાં જ હવે ઠંડીનો ભયાનક ચમકારો જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો તીવ્ર રાઉન્ડ શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે, જ્યારે નવેમ્બર અંત અને ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ: – 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. – ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં વરસાદ વધશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. – ઉત્તર ગુજરાતમાં તાપમાન 15 ડિગ્રી સુધી ઘટી શકે છે. – નવેમ્બર ત્રીજા સપ્તાહથી પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. – ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ તીવ્ર બનશે. ગુજરાતમાં શું બદલાશે? હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ, હવે રાજ્યમાં ધૂંધળું વાતાવરણ,…