અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત

રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો: ભારતના વ્યૂહાત્મક પ્રોજેક્ટને લઈને વધી ચિંતા

ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક મહત્વના ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને નુકસાન થયું છે. જોકે, ભારત દ્વારા સંચાલિત શાહિદ બેહેશ્તી ટર્મિનલને…

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…