પી.એમ.કિસાન પોર્ટલમાં ફાર્મર રજિસ્ટ્રેશન મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે, મળી આટલા કરોડની ગ્રાન્ટ
ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88% ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 53 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રૂ.206 કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ ગુજરાતના ખેડૂતોએ કરેલ ફાર્મર રજીસ્ટ્રીની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂ.206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને…
લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર, યુવા પેઢીની પસંદ બની જરી સાડીઓ
ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને આજે GI ટેગ ધરાવતી સુરતની જરીકલા, જરી-જરદોશી વર્ક પ્રાચીન સમયથી ચાલતી આવતી એક અમૂલ્ય પરંપરા છે. આવી જ પરંપરાને સુરતના સગરામપુરાનો જરીવાલા પરિવાર છેલ્લા 120 વર્ષથી વધુ સમયથી જીવંત રાખી રહ્યો છે. સુરતની ઓળખ માત્ર ખાણીપીણી કે ઉદ્યોગોથી નહીં, પરંતુ જરી ઉદ્યોગ જેવી પરંપરાગત કલાઓથી પણ બનેલી છે. સુરતના સગરામપુરાના એક જ પરિવાર દ્વારા પેઢી દર પેઢી સંવર્ધિત થતા પરંપરાગત જરી ઉદ્યોગની શરૂઆત જેકીશનદાસ ચપડીયા દ્વારા કરવામાં આવી હતી. સમય બદલાતો ગયો તેમ પેઢીઓ બદલાતી ગઈ, પરંતુ જરીનો વારસો યથાવત રહ્યો. આજે આ પરિવારની નવી પેઢી…
‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે, જાણો વિગત
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. 9 અને 10 એપ્રિલ-2026ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. 10 એપ્રિલ, 2026ના રોજ ‘MSME…
રાજ્ય સરકારે અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે કરી ખરીદી, જાણો વિગત
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા. 20 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 10.11 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા 10,01,724 છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ 8,23,743 લાભાર્થીઓ છે. વધુમાં, ખરીદ કરવામાં આવેલ 18,05,612.16 મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. 12, 965.37 કરોડ…
મકરસંક્રાંતિ પર્વની ઉજવણી | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
સુરતના ચૌટા બજારમાં આસ્થા અને સ્વાદનો સંગમ ઉતરાયણના પર્વે દુકાનો પર લાગી લાંબી કતારો સુરતીવાસીઓમાં ભારે ઉત્સાહ, ઊંધિયા માટે વહેલી સવારથી પડાપડી સુરતના ચૌટા બજારમાં જામી અસલી ઉતરાયણની રોનક સ્વાદના શોખીનોનો ઊંધિયું-જલેબીની દુકાનોમાં જમાવડો ઉતરાયણ પર્વે ગૌશાળામાં ભક્તિ અને સેવાનો મેળાવડો ગૌમાતાની સેવા સાથે ઉતરાયણની ઉજવણી ઉતરાયણ પર્વે માટે મેડિકલ કેમ્પની સુવિધા ગૌશાળામાં ભક્તો દ્વારા દાન અને સેવા કાર્ય ગોંડલમાં કોળી સમાજનાં ઈષ્ટદેવના પ્રાગટય દિવસની ઉજવણી શ્રી માંધાતા દેવનાં પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહનું ભવ્ય આયોજન રાજ્યકક્ષાનાં મંત્રી પરસોતમ સોલંકીની ઉપસ્થિતિ કેબિનેટ મંત્રી કુવરજી બાવળીય પણ ખાસ હાજર કોળી સમાજનાં અનેક આગેવાનો કાર્યક્રમમાં હાજર શહેર તથા તાલુકાના તમામ ઘર દ્વારા પ્રસાદનું આયોજન ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ…
દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ: રામદેવથી સદગુરુ સુધી, કરોડોમાં છે સંપત્તિ
આધ્યાત્મિક ગુરુઓની કરોડોની દુનિયા! બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, શ્રી શ્રી રવિશંકર, સદગુરુ જગ્ગી વાસુદેવ અને આસારામ બાપુ— જાણો કોણ પાસે કેટલી સંપત્તિ અને કેવી રીતે થાય છે આવક. દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ અને તેમની સંપત્તિ : ભારત અને દુનિયાભરમાં અનેક આધ્યાત્મિક ગુરુઓ અને બાબાઓ કરોડો ભક્તોને પ્રેરણા આપે છે. તેમની સંસ્થાઓ, આશ્રમો, ટ્રસ્ટ અને સેવાકાર્યો દ્વારા વિશાળ સંપત્તિનું સંચાલન થાય છે. આજે અમે તમને દુનિયાના 5 સૌથી ધનિક બાબાઓ વિશે માહિતી આપી રહ્યા છીએ, જેમની સંપત્તિ કરોડોમાં ગણાય છે. ______________ 1️⃣ બાબા રામદેવ યોગ અને આયુર્વેદને ઘર-ઘર સુધી પહોંચાડનાર બાબા રામદેવ પતંજલિ આયુર્વેદના સ્થાપક છે. પતંજલિ ગ્રુપના વ્યવસાય, ટ્રસ્ટ અને સંસ્થાઓ મારફતે તેમની કુલ સંપત્તિ 1600 કરોડ રૂપિયાથી વધુ ગણવામાં આવે છે. ______________ 2️⃣ આચાર્ય…
ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ, ગ્રીન ગ્રોથને મળશે વેગ
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્ય મંત્રીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિ ગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ કરાયું હતું. મુખ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના નેતૃત્વમાં, ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા અને સ્વચ્છ તથા ટકાઉ ઊર્જા પ્રણાલીઓ તરફ ઝડપી પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતના પંચામૃત સંકલ્પો, Nationally , Determined Contributions (NDCs) તથા વિકસિત ગુજરાત @ 2047ની દૃષ્ટિ સાથે સુસંગત આ પોલિસી, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની…
ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો છઠ્ઠો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો, જાણો વિગત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર – વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રી ના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ વહીવટી સુધારણા પંચ-GARCનો છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ બુધવારે ગાંધીનગરમાં સુપ્રત કર્યો હતો. GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને પાંચ ભલામણ અહેવાલો સોંપ્યા છે. મુખ્યમંત્રી ને બુધવારે સુપ્રત કરવામાં આવેલા છઠ્ઠા અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ જેટલી ભલામણો કરવામાં આવેલી…
પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર થયું દોડતુ
રાજ્યમાં બોમ્બની ધમકીઓની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો ઇમેઇલ મળતાં જ તંત્ર દોડતું થયું છે. કલેક્ટર કચેરીના મેલ આઈડી પર પોણા બે વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ SP સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.બોમ્બની ધમકીને લઈને કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં…
સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો 10 એપ્રિલથી આવશે અમલમાં, જાણો વિગત
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10 મી એપ્રિલ, 2025 , ગુરુવારથી અમલી થશે. રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે – વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.5,000/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે. રૂ.10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.8,00,000 /-ની…
















