સુરત : ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય મંત્રી લાલઘૂમ, સસ્તા ઘી અને ખાણી-પીણીને લઈને આપી કડક ચેતવણી

સુરતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની અપીલ સાથે ભેળસેળયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ વેચતા તત્વોને કડક ચેતવણી આપી હતી. મંત્રીએ ખાસ કરીને બજારમાં મળતા સસ્તા ઘી અને અન્ય ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ગ્રાહકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. પાનસેરિયાએ કહ્યું કે, ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ માત્ર ગ્રાહકો સાથે છેતરપિંડી નથી, પરંતુ તે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. બજારમાં સસ્તા ભાવે મળતી કેટલીક વસ્તુઓની ગુણવત્તા અંગે ગ્રાહકોએ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને ઘી જેવી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ ખરીદતી વખતે તેની ગુણવત્તા, પેકિંગ, લેબલ અને વિશ્વસનીયતા ચકાસવી જોઈએ. સુમુલ કરતાં પણ સસ્તા ઘી અંગે ચેતવણી…

સુરતમાં ફૂડ પોઈઝનિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, હોટલ-રેસ્ટોરન્ટનું 3 દિવસ સઘન ચેકિંગ

સુરતમાં ફૂડ પોઈઝનિંગની શંકાસ્પદ ઘટનામાં એક માસૂમ બાળકીના મોત બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં એક પરિવારના સભ્યોની તબિયત લથડ્યા બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે સમગ્ર ગુજરાતમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય એકમોની સઘન તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતા, ખાદ્યપદાર્થોની ગુણવત્તા, ખોરાકનો સંગ્રહ અને હાઈજીન સહિતના વિવિધ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. સુરતમાં શું બન્યું? સુરતમાં એક પરિવારના સભ્યો દ્વારા રેસ્ટોરન્ટનું ભોજન લીધા બાદ તેમની તબિયત અચાનક લથડી હતી. પરિવારના સભ્યોને ઉલટી, પેટમાં દુખાવો અને અન્ય તકલીફો થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકનું મોત

રાજકોટમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6 વર્ષીય બાળકના મોતથી આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. ધ્રોલ પંથકના આ બાળકની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી હતી. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર, બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી હતી. ચાંદીપુરાનો લેબ રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકનું મોત આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસની શક્યતાને ધ્યાનમાં રાખીને બાળકના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. લોહીના નમૂના સહિતના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે, ચકાસણીના રિપોર્ટ આવે…

ગુજરાતમાં કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો, એક વર્ષમાં 79 હજાર નવા દર્દીઓ નોંધાયા, 43 હજારથી વધુ લોકોના મોત

ગુજરાતમાં કેન્સર એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર તરીકે સામે આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કેન્સરના નવા કેસ અને તેના કારણે થતાં મૃત્યુના પ્રમાણમાં અંદાજે 10 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરના આંકડાઓ મુજબ વર્ષ 2025 દરમિયાન રાજ્યમાં લગભગ 79 હજાર નવા કેન્સરના દર્દીઓ નોંધાયા છે, જ્યારે 43,500થી વધુ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થયા છે. આ આંકડાઓ રાજ્યમાં કેન્સર સામે વધુ અસરકારક જાગૃતિ, સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત દર્શાવે છે. ઉપલબ્ધ માહિતી અનુસાર ગુજરાતમાં દરરોજ સરેરાશ 217 નવા કેન્સરના કેસ સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, દરરોજ સરેરાશ 119 લોકો કેન્સરના કારણે જીવ ગુમાવી રહ્યા છે, જે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જીવનશૈલીમાં બદલાવ, તમાકુ અને ગુટખાનું વધતું સેવન,…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

વિરાટનગરમાં રૂ. 10.91 કરોડે 30 બેડનું અદ્યતન CHC શરૂ

– રખિયાલ, ઓઢવ અને નિકોલ સહિત આસપાસના હજારો નાગરિકોને નજીકમાં મફત સારવાર સુવિધા પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પૂર્વ ઝોનના નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવા વિરાટનગર વોર્ડમાં અંદાજે રૂ. 10.91 કરોડના ખર્ચે 30 બેડ ક્ષમતાવાળું અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર શરૂ થતા વિરાટનગર ઉપરાંત રખિયાલ, ઓઢવ અને નિકોલ વિસ્તારના હજારો નાગરિકોને સીધો લાભ મળશે. બે માળના આ આરોગ્ય કેન્દ્રમાં ઈમર્જન્સી રૂમ, એક્સ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી તેમજ આંખ, હાડકાં અને કાન-નાક-ગળા વિભાગની ઓપીડી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. પ્રથમ માળ પર પ્રસૂતિ સેવાઓ, પ્રસૂતા વોર્ડ, પીડિયાટ્રિક ઓપીડી અને ડેન્ટલ સારવારની વ્યવસ્થા છે, જ્યારે બીજા માળે ત્રણ આધુનિક ઓપરેશન થિયેટર તથા ડાયાલિસિસ રૂમ ઉભા કરાયા છે. મ્યુનિસિપલ તંત્રના…

સાવધાન! અમદાવાદ બની રહ્યું છે ડાયાબિટીસ-બીપીનું હબ: AMCના રિપોર્ટમાં ડરામણો ખુલાસો

પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં હવે ‘લાઈફસ્ટાઈલ ડિસીઝ’નો રોગ નાગરિકોને ભરખી રહ્યો હોય તેવા ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2021થી 2025 દરમિયાન શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર્સ પર કરવામાં આવેલા 33 લાખ નાગરિકોના હેલ્થ સ્ક્રીનિંગમાં અત્યંત ડરામણું ચિત્ર ઉપસ્યું છે. કુલ સ્ક્રીનિંગના 19% એટલે કે અંદાજે 6.2 લાખ લોકો હાઈપરટેન્શન (બીપી) અને 17.2% એટલે કે 5.6 લાખ લોકો ડાયાબિટીસથી પીડાતા હોવાનું સત્તાવાર રીતે નોંધાયું છે. સાયલન્ટ કિલર: 30+ ની પેઢી રડારમાં- ​મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાકાળ બાદ લોકોમાં બિન-ચેપી રોગો (NCD)નું પ્રમાણ ઝડપથી વધ્યું છે. કેન્દ્ર સરકારના 2030 સુધીમાં આવા રોગોમાં 30% ઘટાડો કરવાના લક્ષ્‍યાંકને પહોંચી વળવા હવે 30 વર્ષથી વધુની વયના તમામ…

વાંકી કરોડરજ્જુને મળી સીધી રાહ: અમદાવાદમાં ઈન્ડો-અમેરિકન ડૉક્ટરો દ્વારા 7 બાળકોની નિઃશુલ્ક કાઇફોસ્કોલિયોસિસ સર્જરી સફળ

અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા 7 બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર 1000 બાળકોમાં 1 બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ એક નવી આશા લઈને આવ્યો છે. ‘કાઇફોસ્કોલિયોસિસ’ એક ગંભીર બીમારી છે, જેમાં બાળકની કરોડરજ્જુ સાપની જેમ વાંકી વળી જાય છે, તેની સારવાર સામાન્ય મધ્યમ વર્ગ માટે એક સ્વપ્ન સમાન હોય છે. પરંતુ, ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના માધ્યમથી આ સ્વપ્ન હકીકત બન્યું છે. દર્દીના જીવનું જોખમ અને સર્જરીની જટિલતા સર્જરીની જટિલતા અંગે ઈન્ડો-અમેરિકન સર્જરી કેમ્પના…

રાજ્યના આરોગ્ય વિભાગમાં 83 અધિકારીઓની બઢતી-બદલીના આદેશ, જાણો વિગત

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 83 અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ બહાર પાડવામાં આવ્યા છે. આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવાયો છે અને આરોગ્ય વિભાગમાં કાર્યક્ષમતા વધારવાનું મુખ્ય ઉદ્દેશ છે. મુખ્ય ફેરફારો: મદદનીશ કમિશનર (ક્લાસ-1)ના 11 અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરાઇ. વર્ગ-2ના 34 ડ્રગ ઇન્સપેક્ટર અને વર્ગ-2 (મેટ્રિક લેવલ-8, ગ્રેડ પે)ના 28 ઔષધ નિરીક્ષકોની બદલી કરાઇ. વર્ગ-2ના 10 ડ્રગ ઇન્સપેક્ટરોને બઢતી આપી મદદનીશ કમિશનર (ક્લાસ-1) તરીકે નિયુક્તિ આપવામાં આવી. આ આદેશ હેઠળ અનેક સહાયક કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટર્સને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી આરોગ્ય વિભાગના કામગીરીમાં સુધારો લાવવામાં મદદ મળે. GAS કેડરના અધિકારીઓની ટ્રાન્સફર: ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના 16 અધિકારીઓને વિવિધ વિભાગોમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ…

ગાંધીનગરમાં ટાઈફોઈડના 113 કેસ, આરોગ્ય વિભાગ સક્રિય

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના 113 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમામાંથી 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ અને 29 અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા 20,800 થી વધુ ઘરોમાં તપાસ ચાલુ છે. ટાઈફોઈડનાં કેશો વધતા પગલાં: શહેરના સેક્ટર 24, 26 અને 28માં 67 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થયું. મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યું છે. પાણીના ક્લોરીનેશન અને પાણી પાઈપલાઇનની લીકેજ દૂર કરવા માટે તપાસ ચાલુ છે. મુખ્‍યમંત્રીની સમીક્ષા: પ્રદૂષિત પાણી અને ખોરાકના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રોગચાળાને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવા…