મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. આ વર્ષે મેમનગરમાં માનવમંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી ‘વૈદિક હોળી’ પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત હોળી પૂજન વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન-પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હોળીનું આ પવિત્ર પર્વ અસત્ય પર સત્યના વિજયનું અને રંગોનું પર્વ છે. આ તહેવાર આપણા સૌના જીવનમાં રાગ-દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. આપણે સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે જેનાથી પર્યાવરણનું પણ જતન થાય.…

ગુજરાતમાં હવે ‘એક જ નંબર’ પર મળશે તમામ ઈમરજન્સી સહાય: 112 ડાયલ કરો અને 24 નહી માત્ર 12 મિનિટમાં મદદ મેળવો!

પંકજ મકવાણા – અમદાવાદ/ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યની સુરક્ષા અને આપત્કાલીન સેવાઓના માળખામાં એક ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અમેરિકામાં જે રીતે ‘911’ નંબર ઈમરજન્સી સેવાઓ માટે રામબાણ સાબિત થયો છે, બરાબર તે જ તર્જ પર હવે ગુજરાતમાં ‘112’ (જનરક્ષા નંબર) સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ સેવાનો સૌથી મોટો આકર્ષક પાસું તેનો ‘રિસ્પોન્સ ટાઈમ’ છે, જે 24 મિનિટથી ઘટાડીને માત્ર 12 મિનિટ કરી દેવાયો છે. એક જ કોલ પર ત્રિવેણી સંગમ: પોલીસ, ફાયર અને મેડિકલ અત્યાર સુધી નાગરિકોને પોલીસ માટે 100, મેડિકલ સહાય માટે 108 અને આગ જેવી દુર્ઘટનામાં 101 નંબર અલગ-અલગ ડાયલ કરવા પડતા હતા. આ મૂંઝવણ દૂર કરતા હવે માત્ર ‘112’ ડાયલ કરવાથી એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભલે તે લૂંટ-ફાટની…

આણંદની એકતા શાહનો વૈજ્ઞાનિક કારનામો: 6 નવી ગેલેક્સી સમુહોની શોધ, ભારતીય નામોથી વિશ્વમાં ગૌરવ

આણંદ શહેરમાં 13 બાય 13ની એક સામાન્ય ઓરડીમાં વસવાટ કરતા માતા-પિતાની સાથે રહી અભ્યાસ કરનારી એક યુવતીએ તેમની આર્થિક સંકડામણને હાર આપી સફળ ખગોળ વૈજ્ઞાનિક બની બતાવ્યું છે. આ યુવતીએ દેશની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા અનુદાનિત ફેલોશીપ મેળવી અંતરીક્ષમાં છ નવી આકાશગંગાઓના સમુહને શોધી કાઢ્યા છે. આટલું જ નહી, આ નવા સમુહને ભારતીય નામોથી નવાજ્યા છે. માત્ર ૩૨ વર્ષની ઉંમરે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આણંદ નગર હવે માત્ર શ્વેતક્રાંતિના જનક માટે જાણીતી ભૂમિ રહી એવું નથી. અહીં વિસ્તરેલી શૈક્ષણિક પ્રવૃત્તિના પરિણામે અનેક યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેમાંથી એક નામ છે એકતા શાહ. તેમની ઉક્ત સિદ્ધિ વિશે જાણવું હોય તો પહેલા…

સાણંદ GIDCમાં પ્રીમિયમ હોટલ બનાવવા માટે પ્લોટની હરાજી પૂર્ણ, 5 એકર જેટલી જમીન ડેવલપરને ફાળવાઇ

સાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી, હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં 20168.54 ચોરસ મીટર (અંદાજિત 5 એકર) જેટલો પ્લોટ વિશેષ રીતે પ્રીમિયમ હોટલ નિર્માણ માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો જેની હરાજી 22 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. આ ઇ-હરાજીમાં મહત્તમ બીડ સાથેના ડેવલપરને નિયમોનુસાર પ્લૉટની ફાળવણી કરવામાં આવી છે. 3 થી 5 સ્ટાર હોટલના નિર્માણની કામગીરી શરૂ કરવા માટે કંપનીને ચાર વર્ષનો મોરિટોરિયમ પીરિયડ આપવામાં આવ્યો છે. આ હોટલ સિવાય સાણંદ ઔદ્યોગિક વસાહતની 3 કિલોમીટર નજીક એક ફાઇવ સ્ટાર હોટલ નિર્માણની કામગીરી પણ પ્રગતિમાં છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સાણંદ ઔદ્યોગિક વસાહતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન સેમિકન્ડક્ટર…

શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પાઠવી શુભેચ્છાઓ, જાણો શું કહ્યું

આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ સેક્ટર-23, કડી કેમ્પસ સ્થિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી સ્કુલની મુલાકાત લીધી હતી. તેમણે પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધારતા ‘પરીક્ષાને ઉત્સવ’ ગણાવી, ચિંતામુક્ત થઈ પેપર લખવા પ્રેરણા આપી હતી. આ અવસરે શિક્ષણ મંત્રીએ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી વિદ્યાર્થીઓનું વ્યક્તિગત રીતે અભિવાદન કર્યું હતું. મંત્રીએ દરેક વિદ્યાર્થીને પુષ્પ, પેન અને રાઈટિંગ પેડ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.તથા ભારતીય પરંપરા મુજબ શુભ કાર્યની શરૂઆત મીઠા મોંથી કરાવતા, મંત્રીએ વિદ્યાર્થીઓને સાકર ખવડાવી સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘પરીક્ષા એ તમારા જીવનના ઘડતરનું એક સોપાન છે, ડરવાનું કારણ નથી. મનને શાંત રાખી, આત્મવિશ્વાસ સાથે પરીક્ષા રૂપી આ ઉત્સવને ઉજવો તેમ જણાવતા…

15 માર્ચ સુધી રાજ્યની 152 નગરપાલિકાઓમાં યોજાશે સ્વદેશી મેળાઓ, મળશે ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના…

પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા મામલે કૌશિક વેકરિયાએ વિધાનસભા રજૂ કર્યા આંકડાઓ, જાણો શું કહ્યું

વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2025-26માં 10288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024માં 6319 અને વર્ષ 2025માં 4781 મળીને કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-2026માં વડોદરા શહેરમાં 1,131 પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં 475 બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજે 659 બિનહથિયારી PSI અને 129 હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ…

પાટણમાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને ગતિ : 700 દર્દીઓને મફત પોષણ કીટ, 123 ગ્રામ પંચાયત ટી.બી. મુક્ત જાહેર

પાટણ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાનને વેગ આપવા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા દ્વારા CSR અંતર્ગત અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના સહયોગથી 700 ટી.બી. દર્દીઓને વિનામૂલ્ય ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા આશરે 4000 ટી.બી. દર્દીઓમાંથી 90 ટકા દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ સહાયથી ટી.બી.મુક્ત કરવામાં સફળતા મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટી.બી. અસાધ્ય રોગ નથી અને સમયસર તથા સંપૂર્ણ દવાઓ લેવાથી સંપૂર્ણપણે મટી શકે છે. પાટણ જિલ્લાની 123 ગ્રામ પંચાયતને ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં જિલ્લાની તમામ 486 ગ્રામ પંચાયતોને ટી.બી. મુક્ત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા…

ગુજરાતમાં કુપોષણ મુદ્દે સરકારની કબૂલાત: 64.23% ગ્રાન્ટ વપરાઈ નહીં

ગુજરાતમાં બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ હોવા છતાં સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે કુપોષિત બાળકો માટે ફાળવવામાં આવેલી કુલ ગ્રાન્ટમાંથી 64.23 ટકા રકમ ખર્ચવામાં આવી નથી. ₹1550 કરોડ ફાળવ્યા, પરંતુ ₹995.90 કરોડ બાકી વિધાનસભામાં ધારાસભ્યના સવાલના લેખિત જવાબમાં સરકારે માહિતી આપી કે વર્ષ 2025-26 માટે કુપોષણ નિવારણ માટે કુલ ₹1550 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી માત્ર ₹554.42 કરોડનો જ વપરાશ થયો છે, જ્યારે ₹995.90 કરોડ જેટલી મોટી રકમ વપરાયા વિના જ રહી ગઈ છે. કુપોષણ મુદ્દે સરકાર પર પ્રશ્નચિહ્ન રાજ્યમાં કુપોષણ જેવી ગંભીર સમસ્યા હોવા છતાં ફાળવાયેલાં નાણાંનો પૂરતો ઉપયોગ ન થવો પ્રશાસન પર સવાલ ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું…

પાલનપુરમાં વિકાસના કામો રિવર્સ ગિયરમાં જોવા મળી રહ્યા છે | #bindia

લાખો રૂપિયાનો રસ્તો, બે મહિના માં ખોદાયો ભૂગર્ભ ગટર ભૂલાયું અને જનતાના પૈસાનો વેડફાટ પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા પાલનપુર પાલિકાની નીતિ સામે ઉભો થયો પ્રશ્નચિહ્ન (અહેવાલ – LAXMANJI THAKOR )     Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in