LPG e-KYC માટે હવે માત્ર બે દિવસ બાકી, 23 ઓગસ્ટ પહેલાં પૂર્ણ કરો પ્રક્રિયા
રાંધણગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસના જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત e-KYC પૂર્ણ કરી નથી, તેમના માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે. LPG e-KYCની અંતિમ તારીખ 23 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા માટે 16 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા હતી, જેને બાદમાં વધારવામાં આવી હતી. જે ગ્રાહકોએ હજુ સુધી e-KYC પૂર્ણ કરી નથી તેમણે સમયમર્યાદા પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જરૂરી છે. છેલ્લી તારીખ બાદ LPG સિલિન્ડર બુકિંગ અને સબસિડી સંબંધિત સેવાઓમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. શા માટે જરૂરી છે LPG e-KYC? e-KYCનો મુખ્ય હેતુ LPG ગ્રાહકોની ઓળખની ચકાસણી કરવાનો છે. આધાર આધારિત ચકાસણીથી સાચા ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવે…
શાળામાં ભણતી 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન, ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને હવે વિનામૂલ્યે સેનેટરી નેપકીન આપવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય હેતુ કિશોરીઓમાં માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવા ઉપરાંત આ સમયગાળા દરમિયાન શાળામાં તેમની હાજરી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સરકાર દ્વારા આ યોજના માટે રૂ. 46.68 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આ નિર્ણયને કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. દર મહિને 30 સેનેટરી નેપકીન મળશે યોજનાના અમલ હેઠળ સરકારી શાળામાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી દરેક પાત્ર વિદ્યાર્થીનીને દર મહિને…
અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે
જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…
PM કિસાનના 22માં હપ્તા માટે ખેડૂતોએ ફરજિયાત કરાવવું પડશે ફાર્મર આઈડી
ભારત સરકારના કૃષિ મંત્રાલયે ખેડૂતોના સુખાકારી અને ડિજિટલ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. જો ખેડૂત આ રજીસ્ટ્રેશન ન કરે, તો આગામી સમયમાં PM કિસાન યોજનાનો ૨૨મો હપ્તો અટકી શકે તેવી શક્યતા છે. ફાર્મર આઈડીનું મહત્વ જેમ નાગરિકોની ઓળખ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, તેમ ખેડૂતોની ડિજિટલ ઓળખ માટે ફાર્મર આઈડી તૈયાર કરવામાં આવી રહી છે. વર્ષ 2024-25થી અમલમાં આવેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે: – ખેડૂતોને મળતા સરકારી હપ્તા અને સહાયમાં પારદર્શિતા લાવવી – સીધો લાભ ખાતામાં પહોંચાડવો – વચેટીયાઓને દૂર રાખવો આ યોજનાઓ માટે આઈડી અનિવાર્ય છે PM કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા ખાતર…
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…
PM કિસાન સન્માન નિધિનો 21માં હપ્તાને લઇ ખુશ ખબર, 19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000
દેશના કરોડો ખેડૂતો માટે રાહતભર્યો સમાચાર બહાર આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 21મો હપ્તો આવતી 19 નવેમ્બરે પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે. આ સાથે ખેડૂતોમાં આનંદ અને રાહતનું વાતાવરણ છવાઈ ગયું છે. દર ખેડૂતને મળશે ₹2,000 નો હપ્તો PM-KISAN યોજનાની હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય વર્ષમાં ત્રણ હપ્તામાં મળે છે, જેમાં દરેક હપ્તો ₹2,000 નો હોય છે. 19 નવેમ્બરે જમા થનારો આ 21મો હપ્તો ખેડૂતોને રબી પાકની તૈયારી તેમજ ખેતી સંબંધિત અન્ય ખર્ચ માટે મહત્વપૂર્ણ સહાયરૂપ થશે. નાના અને સીમાંત ખેડૂતો માટે આ રકમ વિશેષ મદદરૂપ બની રહે છે. લાભાર્થીઓ માટે e-KYC ફરજિયાત હપ્તો સમયસર જમા થાય તે માટે ખેડૂતોને પોતાના e-KYC તથા બેંક…













