ચોમાસુ સત્ર પહેલા લોકસભા સ્પીકરે બોલાવી BACની બેઠક, જનહિતના મુદ્દાઓ પર ચર્ચા; તમામ પક્ષોને સહયોગની અપીલ
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ તેજ બની ગઈ છે. સત્ર પહેલા રવિવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બિઝનેસ એડવાઇઝરી કમિટી BACની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને આગામી સત્ર દરમિયાન ગૃહમાં ચર્ચા માટેના મહત્વના મુદ્દાઓ તેમજ કાયદાકીય કાર્યો અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ચલાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદમાં રચનાત્મક ચર્ચા અને અર્થપૂર્ણ ભાગીદારી દ્વારા જ જનહિતના મુદ્દાઓનો યોગ્ય ઉકેલ લાવી શકાય છે. જનહિતના મુદ્દાઓ પર ચર્ચાના સૂચનો બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સરકાર અને વિપક્ષ બંને તરફથી સભ્યોએ આગામી સત્રમાં હાથ ધરાનારા કાનૂની…
વડોદરા: ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
ચૂંટણી પંચની SIR (Systematic Inspection Report) કામગીરીને કારણે વડોદરાના શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહી છે. ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. શિક્ષકોની રજૂઆત મુજબ, BLO (Booth Level Officer) સંબંધિત કામગીરીમાં વ્યસ્ત રહેવાના કારણે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. તેમણે માંગ કરી છે કે ચૂંટણી પંચ સરકારની અન્ય એજન્સીઓને પણ આ કામગીરી સોંપે, જેથી શિક્ષકો શાળામાં પુરી રીતે ફોકસ કરી શકે. હવે આ મુદ્દે શિક્ષકોની રજૂઆતને ધ્યાનમાં લઈ કયા પગલાં લેવાય તે જોવાનું રહેશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારે લીધો આકરો નિર્ણય, 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા
ગુજરાત સરકારે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલઆંખ કરી છે. અને 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્નોને લઈ 7 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી:- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય કર્મચારીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે. કર્મચારીઓની હડતાળ યથાવત્:- રાજ્યભરના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા અને ફિલ્ડ…
હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત
હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા હતા. અન્ય એક પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હરિયાણાના વડિંગખેડામાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા તમામના ઘટના સ્થળે મોત થયા છે. હાઈવે પર ઊભેલા વાહન સાથે પોલીસની ગાડી અથડાઈ હતી. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. પંજાબ પોકસોના કેસમાં પોલીસ તપાસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. આ સમગ્ર અકસ્માતને લઈ વાત કરવામાં આવે…
Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુંડાતત્વોને ચેતવણી આપી છે કે, કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો. ગૃહમંત્રીએ ખૂંખાર ગુંડાઓને ઉદેશીને ચીમકી ઉચ્ચારી છે કે સુધરી જાઓ નહીંતર.. વધુ કડક કાયદાનો સામનો કરવો તૈયારી રહેજો. અમદાવાદની ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં આવ્યા છે. આજે સાંજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને મહત્વની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય હાજર રહેશે. આ ઉપરાંત તમામ જિલ્લાના IG, પોલીસ કમિશ્નર અને SP પણ બેઠકમાં પણ હાજર રહેશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર જોવા…
નાગપુરમાં HMPVના બે નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 7 લોકો વાયરસનો શિકાર
દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ નહીં થાય, માટે ગભરાવાની જરૂર નથી. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે. -> કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એક નિવેદન જાહેર કર્યું હતું :- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા…
રેશનિંગ કાર્ડ ધારકો માટે e-KYC કરાવવાનો આવતીકાલે અંતિમ દિવસ, નવા વર્ષથી નિયમોમાં થશે ફેરફાર
ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. ભારત સરકારના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, લોકોને મફત રાશનનો લાભ અને ઓછા ખર્ચે રાશનની સુવિધા મળે છે. દેશમાં 80 કરોડથી વધુ લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ખર્ચે રાશન અને મફત રાશનની સુવિધાનો લાભ લે છે. પરંતુ હવે 1 જાન્યુઆરી પછી રેશનકાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો કયા રેશનકાર્ડ ધારકોને આની અસર થશે. -> આ લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે :- સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી માટે પહેલાથી જ નિયમો જારી કર્યા છે. આ માટે સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સમય આપ્યો હતો. પરંતુ ઘણા રેશનકાર્ડધારકો એવા હતા. જેમણે નિર્ધારિત મર્યાદા સુધી ઇ-કેવાયસી…














