રેશનિંગ કાર્ડ ધારકો માટે e-KYC કરાવવાનો આવતીકાલે અંતિમ દિવસ, નવા વર્ષથી નિયમોમાં થશે ફેરફાર

ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. ભારત સરકારના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, લોકોને મફત રાશનનો લાભ અને ઓછા ખર્ચે રાશનની સુવિધા મળે છે. દેશમાં 80 કરોડથી વધુ લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછા ખર્ચે રાશન અને મફત રાશનની સુવિધાનો લાભ લે છે. પરંતુ હવે 1 જાન્યુઆરી પછી રેશનકાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જાણો કયા રેશનકાર્ડ ધારકોને આની અસર થશે.

-> આ લોકોના રેશનકાર્ડ રદ કરવામાં આવશે :- સરકારે રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી માટે પહેલાથી જ નિયમો જારી કર્યા છે. આ માટે સરકારે તમામ રેશનકાર્ડ ધારકોને સમય આપ્યો હતો. પરંતુ ઘણા રેશનકાર્ડધારકો એવા હતા. જેમણે નિર્ધારિત મર્યાદા સુધી ઇ-કેવાયસી કરાવ્યું નથી. આ પછી સરકારે ઇ-કેવાયસીની મુદત વધારી દીધી હતી. જે બાદમાં સરકારે આ મુદ્દત 31 ડિસેમ્બર 2024 સુધી લંબાવી હતી.આ નિયમ સરકાર દ્વારા દરેક રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકો માટે નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ ઘણા એવા રેશનકાર્ડ ધારકો છે જેમણે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી. જો આ રેશનકાર્ડ ધારકો 31મી ડિસેમ્બર 2024 સુધીમાં ઈ-કેવાયસી કરાવતા નથી. ત્યારબાદ 1 જાન્યુઆરી, 2025થી આ લોકોના રાશન કાર્ડ રદ કરવામાં આવશે.

-> ઇ-કેવાયસી કેવી રીતે કરાવવું? :- જો તમારા રેશનકાર્ડનું ઈ-કેવાયસી હજુ સુધી કરવામાં આવ્યું નથી તો તમે તમારા નજીકના રેશન ડેપોની મુલાકાત લઈને તમારા રેશન કાર્ડનું ઇ-કેવાયસી કરાવી શકો છો. આ માટે તમારે ત્યાં તમારું આધાર કાર્ડ આપવું પડશે અને PoS મશીન પર તમારી ફિંગરપ્રિન્ટ રજીસ્ટર કરીને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ સિવાય ઈ-કેવાયસીની પ્રક્રિયા મોબાઈલ દ્વારા પણ પૂરી કરી શકાય છે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *