રશિયા-યુરોપ તણાવ ચરમસીમાએ, પુતિનએ આપ્યો કડક ચેતાવણીભર્યો સંદેશ

રશિયા અને યુરોપ વચ્ચેનો તણાવ હવે નવા શિખરે પહોંચ્યો છે. ભારતની 4 થી 5 ડિસેમ્બરની મુલાકાત પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પુતિને જણાવ્યું કે રશિયા યુદ્ધ શરૂ કરવા માંગતું નથી, પરંતુ જો યુરોપ સંઘર્ષ ઇચ્છે, તો રશિયા સંપૂર્ણપણે તૈયાર છે. યુરોપ પર પુતિનની સીધી ટીકા પુતિને યુક્રેનને લઈને યુરોપ દ્વારા મૂકવામાં આવી રહેલી “અસ્વીકાર્ય અને અયોગ્ય માંગણીઓ” પર નિશાન સાધ્યું. યુરોપિયન યુનિયન યુક્રેનને સતત લશ્કરી મદદ આપી રહ્યું છે, જેના કારણે રશિયા-યુરોપ વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. પુતિનના કહેવા પ્રમાણે, – યુરોપ રશિયા સાથેની શાંતિ વાટાઘાટોમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. – યુરોપે રશિયા સાથેનો સંપર્ક તોડી પોતાને શાંતિ પ્રક્રિયાથી દૂર કર્યું છે. – ટ્રમ્પ પ્રસ્તાવિત શાંતિ કરારનો…

PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પ્રથમ સ્થાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને હવે ફરી એક વાર તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે નંબર–વન પર પહોંચ્યા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં PM મોદીએ પ્રથમ સ્થાન હાસલ કર્યું છે. આ રેટિંગ 6 થી 12 નવેમ્બર 2025 દરમિયાન એકત્રિત કરાયેલા ડેટા પર આધારિત છે. PM મોદીનો Approval Rating – 71% આ સર્વે દેશના પુખ્ત વયના નાગરિકોમાં કરાયેલી મંજૂરીનો 7 દિવસનો મૂવિંગ એવરેજ દર્શાવે છે. PM મોદીને 71% લોકોની મંજૂરી મળી છે, જે અન્ય તમામ વિશ્વના ટોચના નેતાઓથી વધુ છે. ટોચના 10 વિશ્વ નેતાઓની યાદી – નરેન્દ્ર મોદી (ભારત) – 71% – સના તાકાઈચી (જાપાન) – 63% – લી જે મ્યુંગ (દક્ષિણ કોરિયા) – 58% –…

“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી મારા મિત્ર છે. અમે વારંવાર વાત કરીએ છીએ અને તેમણે મને ભારતની મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. અમે તારીખ નક્કી કરીશું.” જ્યારે તેમને પૂછાયું કે તેઓ આવતા વર્ષે ભારત આવી શકે છે કે નહીં, તો ટ્રમ્પ હસતાં જવાબ આપ્યા, “કદાચ, હા.” તેમણે ઉમેર્યું કે ભારત અને અમેરિકાના વચ્ચે વેપાર કરારો અને વાટાઘાટો હજુ ચાલુ છે. ટ્રમ્પએ કહ્યું કે કેટલાક વેપાર મુદ્દાઓ પર મતભેદ છે, પરંતુ તેમની ટીમ તે મુદ્દાઓ પર કાર્યરત છે. ભારત-અમેરિકા વેપાર અને રાજકીય સંબંધો: ટ્રમ્પએ જણાવ્યું કે ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર કરાર અંગે ચર્ચા…

ભારત-ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી વાટાઘાટ પૂર્ણ, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાનો સંદેશ

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવ વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 23મી બેઠક બુધવારે પૂર્ણ થઈ. આ બેઠકને બંને દેશો વચ્ચેના બાકી રહેલા સરહદી વિવાદોના ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઠક સકારાત્મક વાતાવરણમાં યોજાઈ હતી અને બંને પક્ષોએ સરહદ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય મુદ્દાઓ: – બેઠકમાં પૂર્વી લદ્દાખ સહિતના વિવાદિત વિસ્તારો પર ચર્ચા કરવામાં આવી. – પરસ્પર વિશ્વાસ વધારવા અને સરહદ વ્યવસ્થાપન મજબૂત બનાવવા બાબતે સહમતી થઈ. – આ બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારાનો ઈશારો માનવામાં આવી રહ્યો છે. -2020 પછી પહેલીવાર ભારત-ચીન વચ્ચે સીધી ફ્લાઇટ સેવા ફરી શરૂ થઈ છે. 2020માં ગાલવાન ખીણમાં થયેલી લોહિયાળ…

ડોનાલ્ડ ટ્રમ્પને પુતિને આપ્યો ઝટકો: રશિયન રાષ્ટ્રપતિએ અમેરિકા સાથેની પ્લૂટોનિયમ ડીલ કરી કેન્સલ

યુક્રેન યુદ્ધને લઈ રશિયા અને અમેરિકામાં તણાવ વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ અમેરિકાને સાથે 15 વર્ષથી ચાલી રહેલો પ્લૂટોનિયમ નિકાસ કરાર (Plutonium Deal) પૂર્ણપણે રદ કરી દીધો છે. પુતિના હસ્તાક્ષર સાથે ડીલ સમાપ્તિ રાષ્ટ્રપતિ પુતિએ આ કરાર રદ કરવા માટે રજૂ કરાયેલા પ્રસ્તાવ પર સહી કરી દેતા ડીલ તરત અમલમાં આવી ગયો. પુતિનનો મુખ્ય ઉદ્દેશ પરમાણુ હથિયારો બનાવવા માટે જરૂરી પ્લૂટોનિયમની ઉત્પાદન મર્યાદા નિયંત્રિત કરવાનો છે. આ કાયદો રશિયન સંસદના નીચલા ગૃહ દ્વારા આ મહિનાની શરૂઆતમાં મંજૂર થયો હતો અને ઉપલા ગૃહ, ફેડરેશન કાઉન્સિલે આને સમર્થન આપ્યું. કઈ રીતે થયો પ્લૂટોનિયમ કરારનો ઇતિહાસ આ કરાર રશિયા અને અમેરિકાના વચ્ચે સપ્ટેમ્બર 2000માં કરવામાં આવ્યો હતો. કરાર…

Nobel Peace Prize 2025: વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કર્યો, જાણો કેમ

વેનેઝુએલાની જાણીતી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલામાં લોકશાહી અધિકાર માટેના શાંતિપૂર્ણ સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. તેમણે આ પુરસ્કાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કર્યો છે, જે તેમના નિવેદનને લઈ હવે વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા ઊભી થઈ છે. મચાડોનું નિવેદન મચાડોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું,“આ પુરસ્કાર વેનેઝુએલાના દુઃખી લોકો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્પિત છે, જેમણે અમારા કારણને નિર્ણાયક સમર્થન આપ્યું.” તેમણે જણાવ્યું કે તેઓ આજે પહેલાં કરતાં વધુ વિશ્વાસ સાથે લોકશાહીની લડાઈ લડી રહ્યા છે અને ટ્રમ્પ તેમજ વિશ્વના લોકશાહી રાષ્ટ્રો તેમની આશા છે. મારિયા કોરિના મચાડો કોણ છે? – જન્મ: 7 ઓક્ટોબર 1967 – વ્યવસાય: ઔદ્યોગિક એન્જિનિયર – રાજકીય…

“જો ગાઝા પ્લાન નકારશો તો તબાહી મચાવીશું…” – ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપ્યું કડક અલ્ટીમેટમ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસને એક દમદાર સંદેશ આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે હમાસે જો રવિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં ઇઝરાયલ સાથે શાંતિ કરાર ન સ્વીકાર્યો, તો “All Hell Will Break Loose” ભયાનક પરિણામો ભોગવવા પડશે. શાંતિ માટે 20 મુદ્દાઓની યોજના રજૂ ટ્રમ્પે એક 20-મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી છે જેમાં માત્ર તાત્કાલિક યુદ્ધવિરામ જ નહીં, પરંતુ ગાઝા માટે યુદ્ધ પછીનું શાસન માળખું પણ સમાવિષ્ટ છે. યોજનામાં એવું પણ સૂચવાયું છે કે શાંતિ બાદ ગાઝાની જવાબદારી સંયુક્ત રીતે નક્કી કરાયેલ અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સમૂહ સંભાળશે. “હમાસને હવે છેલ્લી તક” ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે, “હમાસના આતંકવાદી સ્ત્રાવમાંથી હવે મધ્ય પૂર્વને મુક્ત કરવાનું છે. જો…

અમેરિકાનું કાશ્મીર મુદ્દે મોટું નિવેદન, મોદી-ટ્રમ્પની મુલાકાતને લઈ મોટું અપડેટ

ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ગત કેટલાંક સમયથી ઉતાર-ચઢાવ જોવાઈ રહ્યો છે. છતાં પણ બંને દેશો વચ્ચેનો સહકાર વિવિધ ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ રહ્યો છે. તાજેતરમાં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીએ ભારત-USA સંબંધો વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જેમાં ખાસ કરીને કાશ્મીર મુદ્દે સ્પષ્ટ વલણ, QUAD સમિટ અંગે અપડેટ, અને PM મોદી તથા ટ્રમ્પ વચ્ચેની ભવિષ્યની મુલાકાત અંગે મહત્વપૂર્ણ સંકેતો આપવામાં આવ્યા છે. અમેરિકા તરફથી કાશ્મીર મુદ્દે સ્પષ્ટ સંદેશો સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ સ્પષ્ટ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશાસન કાશ્મીર વિવાદમાં પોતપોતાની તરફથી મધ્યસ્થી કરવા માંગતું નથી. કાશ્મીર બાબતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને, ટ્રમ્પ પ્રશાસનનું વલણ છે કે “કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આંતરિક મુદ્દો છે. જો બંને પક્ષો સ્પષ્ટ રીતે મધ્યસ્થીની માંગ…

“માત્ર 7 મહીનામાં 7 યુદ્ધો બંધ કર્યા, સંયુક્ત રાષ્ટ્રે કંઈ કર્યું નહીં”: યુએનજીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્ર દરમિયાન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે માત્ર 7 મહિનામાં ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધોનો અંત લાવ્યો છે — અને તે પણ કોઈ અન્ય દેશની મદદ વગર. ટ્રમ્પે કહ્યું “મેં સાત અતિ ગંભીર યુદ્ધોનો અંત લાવ્યો છે. કોઈ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાને આવી હિંમતપૂર્વક શાંતિ સ્થાપિત કરી નથી. સંયુક્ત રાષ્ટ્રે પણ કોઈ મદદ કરી નથી. મને એક પણ ફોન કોલ મળ્યો નથી શાંતિ માટે.” ટ્રમ્પના દાવા મુજબ બંધ કરાયેલ યુદ્ધો: તેમના ભાષણ દરમિયાન ટ્રમ્પે આ સાત યુદ્ધોની યાદી આપી: – ભારત – પાકિસ્તાન – કમ્બોડિયા – થાઈલેન્ડ – કોસોવો – સર્બિયા – કોંગો – રવાન્ડા – ઈઝરાયલ – ઈરાન – ઇજિપ્ત – ઇથિઓપિયા –…

ઓસ્ટ્રેલિયા: એન્થોની અલ્બેનીઝ બીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટાયા, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે એન્થોની અલ્બેનીઝને તેમની જંગી જીત અને ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે તેમની સાથે કામ કરવા આતુર છે. આલ્બેનીઝ ઓસ્ટ્રેલિયામાં સતત બીજી વખત ત્રણ વર્ષનો વડા પ્રધાન પદ જીતનાર પ્રથમ વ્યક્તિ બન્યા. પીએમ મોદીએ તેમના અભિનંદન સંદેશમાં શું લખ્યું? “ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે ફરીથી ચૂંટાઈ આવવા બદલ એન્થોની અલ્બેનીઝને અભિનંદન અને તેમની મહાન જીત બદલ,” પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. આ મહાન વિજય દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાના લોકોને હજુ પણ તમારી નેતૃત્વ ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે આગળ લખ્યું, ‘હું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઊંડી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા…