Donald Trumpની ધમકી પર ઈરાનનો કડક જવાબ, રાષ્ટ્રપતિએ કહ્યું – ‘હુમલો કર્યો તો ભારે કિંમત ચૂકવવી પડશે’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી કડક ચેતવણી બાદ મધ્ય પૂર્વની રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ટ્રમ્પે ઈરાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને લઈને કડક ભાષા વાપરી હતી. હવે આ નિવેદન પર ઈરાને પણ પલટવાર કર્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા જણાવ્યું છે કે જો ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો જવાબ એટલો જ કડક અને જોખમી હશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કરેલી પોસ્ટમાં તેમણે અમેરિકાનું નામ લીધા વગર કહ્યું કે, “ઈસ્લામિક ગણરાજ્ય ઈરાન પર કોઈપણ દમનકારી હુમલો કરાશે તો તેનો જવાબ એવો હશે કે હુમલો કરનારને પસ્તાવો થશે.” ટ્રમ્પની કડક ચેતવણી ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન ફરીથી…
યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન એટેકનો પ્રયાસ
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવએ સોમવારે દાવો કર્યો છે કે યુક્રે દ્વારા નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાવરોવના જણાવ્યા અનુસાર, આ હુમલો 28 ડિસેમ્બરના રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી કરવામાં આવ્યો હતો. લાવરોવએ દાવો કર્યો છે કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં. તેમણે આ પ્રકારની “બેજવાબદાર કાર્યવાહી” ને રાજ્ય-પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો અને જણાવ્યું કે રશિયન સશસ્ત્ર દળો હવે બદલો લેવા માટે લક્ષ્યો ઓળખી લીધા છે. શાંતિ વાટાઘાટો પર અસર લાવરોવના જણાવ્યા અનુસાર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા વાટાઘાટોમાંથી પીછો નહીં ખેંચશે, પરંતુ વાટાઘાટોની સ્થિતિને ફરીથી સમીક્ષા કરવામાં…
‘યુક્રેન યુદ્ધ મુલતવી રાખવામાં આવ્યું છે, કોઈ સમયમર્યાદા નથી’: ઝેલેન્સકી સાથે બેઠક બાદ ટ્રમ્પનું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકનો મુખ્ય હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને આગળ વધારવાનો હતો. બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે યુક્રેન યુદ્ધને અટકાવવા માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે, પરંતુ હાલમાં કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જો સહમતિ ન બને તો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. પુતિન સાથે પણ કરી હતી વાતચીત ટ્રમ્પે ખુલાસો કર્યો કે ઝેલેન્સકી સાથે મુલાકાત કરતા થોડા કલાકો પહેલા તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પુતિન શાંતિ માટે ગંભીર છે અને યુક્રેનની સુરક્ષા માટે એક…
ટ્રમ્પની નજર ‘બરફના ટાપુ’ ગ્રીનલેન્ડ પર: રાષ્ટ્રીય સુરક્ષા માટે કેમ છે અનિવાર્ય?, જાણો શું છે મહત્વ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણની ઇચ્છા વ્યક્ત કરતા વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો તોફાન સર્જ્યો છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડ માત્ર બરફથી ઢંકાયેલો ટાપુ નહીં પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાનો વ્યૂહાત્મક કિલ્લો છે. તેમના આ નિવેદન બાદ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સરકાર તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે, તેમ છતાં ટ્રમ્પે આ મુદ્દે ખાસ દૂતની નિમણૂક કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. અમેરિકા માટે ગ્રીનલેન્ડ કેમ મહત્વનું? ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચેના સૌથી ટૂંકા માર્ગ પર સ્થિત છે. અહીંથી અમેરિકા રશિયા અને ચીન જેવી વૈશ્વિક શક્તિઓની આર્કટિક વિસ્તારમાં થતી લશ્કરી અને વ્યાવસાયિક ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી શકે છે. ખાસ કરીને આર્કટિક ક્ષેત્રમાં રશિયન પરમાણુ સબમરીન અને ચીની કાર્ગો જહાજોની વધતી…
ટ્રમ્પના વિદેશ મંત્રાલયમાં મોટો ફેરફાર, 29 દેશોમાં અમેરિકન રાજદૂત પરત બોલાવાયા
અમેરિકામાં ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત પહેલાં વિદેશ મંત્રાલયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી ટીમે 29 દેશોમાં તૈનાત અમેરિકન રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. આ તમામ રાજદૂતોએ બાઈડનના કાર્યકાળ દરમિયાન નિમણૂક મેળવી હતી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાં હેઠળ બુધવારથી જ તમામ અધિકારીઓને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. હટાવવામાં આવેલા રાજદૂત પોતાની નોકરી ગુમાવશે નહીં; તેઓ વોશિંગ્ટનમાં પરત જઈને અન્ય વિભાગોમાં સેવા આપી શકે છે. ફેરફારની સૌથી વધુ અસર આફ્રિકન ખંડમાં જોવા મળી રહી છે. નાઈજીરિયા, સોમાલિયા, યુગાન્ડા, સેનેગલ અને રવાન્ડા સહિત કુલ 13 દેશોમાંથી રાજદૂતોને હટાવવામાં આવ્યા છે. એશિયામાં ફિલિપાઈન્સ, વિયેતનામ અને ફિજી સહિત 6 દેશોનું નામ છે, જ્યારે યુરોપના આર્મેનિયા અને સ્લોવાકિયા દેશો પણ આ યાદીમાં…
ટ્રમ્પે PM મોદીનાં કર્યા વખાણ, ભારતને ગણાવ્યું ‘મહાન મિત્ર’
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ટેરિફ વધાર્યા બાદ હવે તેમના વલણમાં નરમાશ દાખવી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને તેમને પોતાના “મહાન મિત્ર” ગણાવ્યું છે. ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે એક્સ (સોશિયલ મીડિયા) પર જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો અત્યંત મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો છે. PM મોદીને ‘મહાન મિત્ર’ ગણાવ્યો અમેરિકન દૂતાવાસે લખ્યું છે કે, “ભારત વિશ્વનું સૌથી જૂનું પૌરાણિક સભ્યતાઓમાંથી એક દેશ છે. આ એક અદ્ભુત દેશ છે અને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર છે. અમને વડાપ્રધાન મોદીના રૂપમાં એક મહાન મિત્ર મળ્યો છે.” ટેલિફોનિક વાતચીત બાદ તેજી ટ્રમ્પ અને PM મોદી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઇ હતી, જેમાં દ્વિપક્ષીય આર્થિક ભાગીદારી વધારવા અને તેને વેગ આપવા અંગે ચર્ચા…
PM મોદીને મળ્યા બાદ રશિયન PM પુતિને પાકિસ્તાનના PMને કર્યા ઇગ્નોર, જાણો સમગ્ર વાત
તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ મંચના ઉદ્ઘાટન પહેલા જ પાકિસ્તાન માટે ભારે ઘટના બની. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને જાહેર રીતે અવગણતા ઇગ્નોર કર્યા. આ મંચમાં રશિયા, તુર્કી, ઈરાન, પાકિસ્તાન અને અન્ય ઘણા દેશોના વડાઓ હાજર રહ્યા હતા. શહબાઝ શરીફની હાસ્યસ્પદ સ્થિતિ મંચ પર લેવામાં આવેલ ગ્રુપ ફોટોમાં જોવા મળે છે કે પુતિન સીધા શહબાઝ શરીફના આગળ ઊભા થઈ ગયા. શહબાઝ હળવી સ્મિત સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પુતિન તેમને અવગણતા આગળ ઊભા રહ્યા. વિડિયોમાં શહબાઝના ચહેરા પરની શરમ્યુક્ત ભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર તરંગો ઊભા કરી રહી છે. આંતરરાષ્ટ્રીય નેતાઓનું હાજર જથ્થું આ ફોરમમાં હાજર હતા: – રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન –…
અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને અમેરિકા, ટ્રંપના નિવેદનો અને ભારત–રશિયા સંબંધોને લઈને સ્પષ્ટ અને કડક પ્રતિક્રિયા આપી. મોદી દબાણમાં ન ઝુકાય એવા નેતા – પુતિન પુતિને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈના દબાણ હેઠળ નિર્ણય લેતા નથી. તેમણે કહ્યું, “ન હું, ન મોદીજી કોઈના દબાણમાં ઝુકતા નથી. ભારતની મજબૂત અને સ્વતંત્ર વિદેશ નીતિને આખું વિશ્વ સમજે છે.” પુતિને “મેક ઇન ઇન્ડિયા” અને “મેક ઇન રશિયા” મોડલને એકબીજાનું પૂરક ગણાવતા દ્વિપક્ષીય ઉદ્યોગિક સહકારને વૈશ્વિક અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ લાભદાયક ગણાવ્યો. ટ્રંપના આક્ષેપ પર તીખો પ્રહાર જ્યારે ડોનાલ્ડ ટ્રંપે ભારત–રશિયા તેલ વ્યવહારને યુદ્ધનું કારણ ગણાવ્યું…
ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય હિતોના આધારે વૈશ્વિક મુદ્દાઓ પર નિર્ણયો લે છે. રશિયન તેલની ખરીદી પર પુતિનનો સ્પષ્ટ સંદેશ પુતિને કહ્યું કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી સંપૂર્ણપણે વાજબી છે, કારણ કે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ રશિયા પાસેથી પરમાણુ બળતણ ખરીદી શકે છે, તો ભારત કેમ તે ન કરે? તેમણે ઉમેર્યું કે રશિયન તેલ ઉદ્યોગ ભારતને વિશ્વસનીય ભાગીદાર તરીકે માને છે અને બંને દેશો વચ્ચે ઊર્જા વેપાર સ્થિર છે. પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા પુતિનનો દાવો છે કે પીએમ મોદીનું નેતૃત્વ વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી છે. તેમણે ભારતના સામાજિક-આર્થિક પરિવર્તન અને વિકાસની…
















