ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું
ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત બાદ સર્જાયેલ વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગઈ છે. ગોંડલમાં યૂપી-બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. જાહેરમાં ગાડીના કાચ તૂટ્યા. ગુંડાગીરી કરવામાં આવી. જે બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું…
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલમાં.. થયો હુમલાનો પ્રયાસ; જાણો શું છે વિવાદ
આજે ગોંડલમાં રવિવારે રણસંગ્રામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. જેને લઈને ગોંડલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ પાટીદાર આગેવાનની એક ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને કાચ કોડી નાખવામાં આવ્યા છે. ગણેશ ગોંડલના પડકાર બાદ ગોંડલમાં અલ્પેશ કથીરિયા જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયા પહોંચ્યા હતા. જ્યાં તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ પાટીદાર અગ્રણીઑ ગોંડલના આશાપુરા મંદિરે દર્શન કર્યા બાદ અલ્પેશ કથીરિયા જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયા અક્ષર મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં અક્ષર મંદિરની બહાર ગોંડલના શહેરીજનો અને ગ્રામજનો સહિતના લોકો દ્વારા બેનરો સાથે કાળા વાવટા અને અલગ અલગ સૂત્રોના…








