દિવાળીમાં વતન જવા માટે ટ્રેનમાં જાવ છો?, જાણો આ નવા નિયમ

દિવાળીની ભવ્ય ઉજવણી દરમ્યાન લોકોને અનેક પ્રકારની ખરીદીઓ અને પ્રવાસનો પણ પ્લાન હોય છે. ઘણા મુસાફરો ટ્રેન દ્વારા પોતાના શહેરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હોય છે. આ દરમ્યાન અનેક લોકો સાથે ફટાકડા લઇ જતા હોય છે – પરંતુ જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો, તો સતર્ક થાવ! ફટાકડા સાથે મુસાફરી કરવી ગેરકાયદેસર છે ભારતીય રેલવેના નિયમો અનુસાર ફટાકડા, રોકેટ, સ્પાર્કલર્સ જેવી તમામ વિસ્ફોટક સામગ્રી ટ્રેનમાં લઈ જવી કાયદેસર નથી. આવી સામગ્રીને ટ્રેનમાં લઈ જવી “પ્રતિબંધિત વસ્તુઓ”ની યાદીમાં આવે છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં ફટાકડા સાથે પકડાય છે, તો તેના પર ભારતીય રેલવે એક્ટની કલમ 164 હેઠળ રૂ. 1000 નો દંડ અથવા ત્રણ વર્ષની જેલ કે બંને સજાઓ થઇ શકે છે. સુરક્ષા ચકાસણી કડક…