ગુજરાતમાં ખેડૂતો-પશુપાલકો માટે સરકારના મોટા નિર્ણયો: 301 ગામોમાં ઘાસચારો, 7 જિલ્લામાં 10 કલાક વીજળી

ગુજરાતમાં વરસાદની ઘટને કારણે ખેડૂતો અને પશુપાલકો સામે ઊભી થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિવિધ મહત્વપૂર્ણ પગલાં લીધા છે. પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં ઘાસચારો, ખાંડનો જથ્થો, સિંચાઈનું પાણી અને ખેતીવાડી માટે વીજળી અંગે સરકારની કામગીરીની વિગતો રજૂ કરી હતી. સરકારના જણાવ્યા મુજબ ખેડૂતો અને પશુપાલકોને રાહત મળે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. 301 ગામોમાં 90 હજાર પશુધન સુધી ઘાસચારો પહોંચ્યો વરસાદની ઘટની સ્થિતિમાં પશુપાલકોને ઘાસચારાની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે વ્યવસ્થા મજબૂત કરી છે. અત્યાર સુધીમાં રાજ્યના 301 ગામોમાં આશરે 90 હજાર પશુધન સુધી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. કુલ 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું સરકારે જણાવ્યું છે. સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ ઘાસચારાની કોઈ અછત નથી. વન…

ડુંગળીના ભાવ વધતા સરકારનો મોટો પ્લાન! બફર સ્ટોક બહાર આવશે, નાશિકથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ 88 હજાર ટન ડુંગળી પહોંચાડાઈ

દેશમાં ડુંગળીના ભાવમાં વધારો થતાં સામાન્ય ગ્રાહકોની ચિંતા વધી છે. ખાસ કરીને દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી સહિતના શહેરોમાં ડુંગળીના ભાવમાં વધારો નોંધાતા કેન્દ્ર સરકારે બજારમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે દેશમાં ડુંગળીની અછત નથી, પરંતુ મોસમી પરિબળો અને પુરવઠા વ્યવસ્થાને કારણે કેટલાક વિસ્તારોમાં ભાવમાં વધારો થયો છે. ભાવને નિયંત્રણમાં રાખવા માટે હવે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવામાં આવશે. આ ઉપરાંત નાશિકથી દેશના મોટા શહેરો સુધી ડુંગળી પહોંચાડવા માટે રેલવે રેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વ્યવસ્થાને ‘કાંદા એક્સપ્રેસ’ તરીકે ઓળખવામાં આવી રહી છે. એક મહિનામાં ડુંગળીના ભાવમાં વધારો છેલ્લા કેટલાક સમયથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોના છૂટક બજારોમાં ડુંગળીનો ભાવ ₹60થી ₹65 પ્રતિ કિલો સુધી…

મોંઘી ખાંડ, કડવા તહેવાર: દેશમાં ખાંડના ભાવ કેમ વધ્યા? જાણો 5 મોટા કારણો

ભારતમાં તહેવારોની મોસમ એટલે મીઠાઈ, લાડુ, બરફી અને અન્ય મીઠી વાનગીઓની ભરમાર. રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી સુધી ખાંડની માંગમાં મોટો વધારો થાય છે. પરંતુ આ વખતે તહેવારોની મીઠાશ પર મોંઘવારીની કડવાશ છવાઈ શકે છે. દેશમાં ખાંડના ભાવમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને સરકારને બજારમાં પુરવઠો વધારવા માટે તાત્કાલિક પગલાં લેવા પડ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતમાં ખાંડના ભાવ બે મહિનામાં લગભગ 40 ટકા સુધી વધ્યા છે. વધતી કિંમતો વચ્ચે કેન્દ્ર સરકારે લગભગ એક દાયકામાં પ્રથમ વખત 10 લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. આ આયાત 31 ઓક્ટોબર સુધી મંજૂર છે અને તેનો મુખ્ય હેતુ તહેવારોની સિઝન પહેલાં સ્થાનિક બજારમાં પુરવઠો વધારવાનો છે. ખાંડના ભાવ વધવા પાછળના…

ગુજરાત : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોની ચિંતા વધી, આગામી 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવા છતાં વરસાદનું વિતરણ અસમાન રહેતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની સરખામણીએ ખેંચ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જોકે, હાલની સ્થિતિમાં ભારે વરસાદની કોઈ મોટી સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય થતી ન હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો માટે આગામી દિવસો મહત્વપૂર્ણ બની રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મોડેલ અને આગાહી વ્યવસ્થા મુજબ વરસાદી સિસ્ટમની સ્થિતિ સતત બદલાતી રહે છે અને અંતિમ સ્થાનિક આગાહી માટે વિભાગના સત્તાવાર બુલેટિનને પ્રાથમિકતા આપવી જરૂરી છે. રાજ્યમાં વરસાદનું અસમાન વિતરણ ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન એક તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને…

‘ગોબરધન’ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી, 23,731 કરોડના ખર્ચે દેશભરમાં શરૂ થશે 700 સુધીના બાયોગેસ પ્લાન્ટ

દેશમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 23,731 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) માટેની રાષ્ટ્રીય એકીકૃત ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી છે. સરકારનો હેતુ આગામી દાયકામાં દેશમાં CBGનું ઉત્પાદન લગભગ દસ ગણું વધારવાનો અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટું પગલું ભરવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 ઓગસ્ટે વિશ્વ જૈવ-ઈંધણ દિવસના અવસરે આ યોજનાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી શકે છે. આ યોજના હેઠળ દેશભરમાં મોટા પાયે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. શું છે ‘ગોબરધન’ યોજના? ‘ગોબરધન’ એટલે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન (Galvanizing Organic Bio-Agro Resources Dhan) યોજના. તેની શરૂઆત વર્ષ 2018માં…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતપુત્ર તરીકે પોતાનો પરિચય આપ્યો, અમરેલીમાં ટ્રેક્ટર ચલાવી અને ખેડૂતો સાથે ચર્ચા કરી

ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો છે. પોતાના પ્રભારી જિલ્લા અમરેલીના સનાળા ગામે ખેડૂત મિત્ર રમેશભાઈના ખેતરે પહોંચેલા કૃષિ મંત્રીએ ખેતરની ધૂળ અને માટી વચ્ચે રહીને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો હતો. કૃષિ મંત્રીએ ખેતરમાં પહોંચીને માત્ર મુલાકાત જ ન લીધી, પરંતુ સ્વયં ટ્રેક્ટરના સ્ટિયરિંગ પર બેસીને ખેતરમાં સવડું એટલે કે, હળ હાંક્યું હતું. એક કુશળ ખેડૂતની જેમ જમીન ખેડતા કૃષિ મંત્રીને જોઈને ત્યાં હાજર અન્ય ખેડૂતો પણ ગદગદિત થયા હતા. આ વેળાએ કૃષિ મંત્રીએ ખેતરમાં ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી હતી. તેમણે ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ખેડૂતો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, માટી સાથેનો આ સ્પર્શ ખેડૂતોના રાત-દિવસના પરિશ્રમ અને…

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો સર્જાયો રેકોર્ડ, 20 વર્ષમાં 25 લાખ હેક્ટર વિસ્તારમાં અમલ

આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના માધ્યમથી “સૂક્ષ્મ સિંચાઈ યોજના” અમલમાં મૂકી હતી. ખેડૂતો પાણીના મર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો…

સુરેન્દ્રનગરમાં ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ, જાણો વિગત

સુરેન્દ્રનગર જિલ્લાના ટોકરાળા ગામ નજીકથી પસાર થતી ઢાંકી-વલ્લભીપુર નર્મદા કેનાલમાં ગાબડું પડવાની ગંભીર ભીતિ વ્યક્ત થઈ રહી છે. કેનાલની દીવાલમાં તિરાડો પડી જતા અને માળખું નબળું થવાને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદાની મુખ્ય કેનાલની દીવાલ તૂટી પડવાની ભીતિ ટોકરાળા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલનો એક ભાગ અત્યંત નબળો પડી ગયો છે. દીવાલમાં સ્પષ્ટ તિરાડો દેખાઈ રહી છે અને આખું માળખું જર્જરિત અવસ્થામાં છે. જો તાત્કાલિક સમારકામ નહીં થાય તો કેનાલની દીવાલ કોઈપણ સમયે તૂટી શકે છે. જો આવું બનશે તો લાખો લીટર નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફાટી નીકળશે, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થશે અને ખેતરો બેટ (Flood Zone)માં ફેરવાઈ જશે. આ ઉપરાંત આસપાસની…

ગુજરાત : માવઠાથી થયેલા પાક નુકસાનનો અહેવાલ ત્રણ દિવસમાં સરકારને આપવા આદેશ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિદાએ તમામ જિલ્લાઓના અધિકારીઓને ત્રણ દિવસની અંદર પાક નુકસાનીનો વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરવાની સૂચના આપી છે. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં મેદાની સ્તરે સર્વેની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, અને ખેતીવાડી અધિકારીઓને સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવાની સુચના અપાઈ છે જેથી ખેડૂતોને વહેલી તકે સહાય મળી શકે. ખેડા જિલ્લામાં થયેલા ભારે માવઠા અને પાક નુકસાન અંગે મંત્રી મહિડાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “ખેડૂતોની પરિસ્થિતિ સરકારને સમજાય છે. તેમની મુશ્કેલીઓને હળવી કરવા દરેક સ્તરે…