EPFO ખાતાધારકોને મોટી રાહત: નિષ્ક્રિય ખાતાના રૂપિયા હવે આપમેળે બેંકમાં થશે ટ્રાન્સફર
નવી દિલ્હી: શ્રમ મંત્રાલયે EPFO સાથે જોડાયેલા લાખો ખાતાધારકો માટે મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે એવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા રૂપિયા, જેમાં ₹1,000 કે તેથી ઓછી રકમ છે, તે કોઈપણ કાગળકામ કે અરજી વિના સીધા જ ખાતાધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે આપમેળે (Automatic) થશે, એટલે ખાતાધારકને EPFO ઓફિસની મુલાકાત લેવાની કે અલગથી ક્લેમ ફાઇલ કરવાની જરૂર નહીં પડે. શું છે નિષ્ક્રિય ખાતું? EPFOના નિયમો મુજબ, જો કોઈ ખાતામાં સતત ત્રણ વર્ષ સુધી કોઈ યોગદાન, ટ્રાન્સફર અથવા ક્લેમ જેવી પ્રવૃત્તિ ન થાય તો તે ખાતાને “નિષ્ક્રિય” (Inactive Account) ગણવામાં આવે છે. હાલમાં દેશમાં કુલ અંદાજે 31 લાખથી વધુ નિષ્ક્રિય EPFO ખાતાઓ છે. આ તમામ ખાતાઓમાં મળીને આશરે ₹10,000 કરોડ જેટલી મોટી રકમ…







