ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાજ દરમિયાન મોટો વિસ્ફોટ, શહેરમાં કટોકટી જાહેર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી ઇમામ બારગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમામ બારગાહ અને આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં કટોકટીની સ્થિતિ અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. હાલ સુધી સત્તાવાર રીતે જાનહાનિની પુષ્ટિ થઈ નથી, પરંતુ પાકિસ્તાની મીડિયા મુજબ અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન ન્યૂઝ અનુસાર, વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક પોલીક્લીનિક હોસ્પિટલ, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) અને CDA હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. PIMSના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ઇમરજન્સી, ઓર્થોપેડિક, બર્ન સેન્ટર અને ન્યુરોલોજી વિભાગોને સંપૂર્ણ રીતે સક્રિય કરવામાં આવ્યા છે. તપાસ ચાલુ વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તપાસ એજન્સીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી છે અને વિસ્ફોટ પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

‘112’ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા 4 મહિનામાં કુલ 3.82 લાખથી વધુ ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા, જાણો વિગત

રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ‘112’ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી ‘112’ ઈમરજન્સી નંબર પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ચાઈલ્ડ હેલ્પલાઈન અને મહિલા હેલ્પલાઈન માટે એક જ ‘સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ’ તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે. મુલાકાત દરમિયાન ડો. રાવે ઈમરજન્સી કોલને કેવી રીતે એટેન્ડ કરવામાં આવે છે, તેને કઈ કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને જીપીએસ સિસ્ટમ દ્વારા નજીકની ગાડીને કેવી રીતે સ્થળ પર મોકલવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ઇમરજન્સીમાં મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવા સૂચન કર્યું હતું. એક દિવસમાં સરેરાશ 12,000 થી વધુ કોલ એટેન્ડ રાજ્યભરમાં ‘112’ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા ૪ મહિનામાં કુલ 3,82,728 ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યાં છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં એક દિવસમાં સરેરાશ 12,000 થી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. આ સેવામાં જાન્યુઆરી 2026માં સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 11 મિનિટ 56 સેકન્ડ રહ્યો છે. ડો. કે.એલ.એન. રાવે સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, ફિલ્ડમાં હાજર પોલીસ અને કંટ્રોલ રૂમ વચ્ચેનો સચોટ તાલમેલ જ આ સેવાની સફળતાનો પાયો છે. 112 સેવાની ટેકનોલોજી, હ્યુમન રિસોર્સ અને સમગ્ર ટીમની કામગીરીની દર મહિને સમીક્ષા કરવામાં આવશે. ફીલ્ડમાં રહેલી ટીમો ‘MDT’ એપ્લિકેશનનો ઉપયોગ કરવા અને પ્રોટોકોલ મુજબ કામ થાય તે અંગે પણ ડો. રાવે ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોને મુશ્કેલીના સમયે ઝડપથી મદદ મળી રહે તે હેતુથી ગુજરાતની ‘112’ સેવાને સમગ્ર દેશમાં એક આદર્શ અને ભરોસાપાત્ર મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય છે. આ મુલાકાતમાં તેમની સાથે એડીશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન, ખુરશીદ અહેમદ, આઈજીપી દીપક મેઘાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.    Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા

ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 20 જેટલા લોકો હજુ પણ લાપતા છે. સાંકડી ગલીઓમાં બચાવ કાર્ય અડચણભર્યું અગ્નિગામ લાગતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી 15 ફાયર બ્રિગેડ ટીમોને ગોડાઉનમાં પ્રવેશ અને પાણી પહોંચાડવામાં મુશ્કેલી આવી, કારણ કે વિસ્તાર ખૂબ સાંકડી ગલીમાં આવેલો હતો. આગ એટલી વિકરાળ હતી કે બાજુના ગોડાઉનમાં પણ ફેલાઈ ગઈ અને લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થયો. લોકોનો આક્ષેપ સ્થાનિકો અને શ્રમિકોનો આક્ષેપ છે કે ગોડાઉનના દરવાજા બહારથી બંધ હતાં, જેના કારણે અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાનો રસ્તો ન મળ્યો. ફાયર ફાઇટર્સ ગેસ કટર વડે દરવાજા ખોલ્યા ત્યારે બે મૃતદેહો મળી આવ્યા હતા. સરકારી તંત્રની કાર્યવાહી રાજ્યના ઊર્જા મંત્રી અરુપ બિસ્વાસ ઘટનાસ્થળે પહોંચ્યા અને પીડિતોને આશ્વાસન આપ્યું. તેમણે જણાવ્યું કે હાલ પ્રાથમિકતા બચાવ કાર્યની છે અને તંત્રને કાર્ય કરવા દેવું જોઈએ. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસમાં જોડાઈ છે. કોલકાતા નઝીરાબાદમાં આ ભીષણ આગ એક દયનીય ઘટના છે, જેમાં અનેક જીવ અને મિલકતનો નાશ થયો છે. લાપતા લોકો માટે હજુ રેસ્ક્યુ કાર્ય ચાલુ છે, અને સમગ્ર શહેરમાં ચેતવણી અને સુરક્ષા વધારાઈ છે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

માઘ મેળા વિસ્તારમાં લાગી ભીષણ આગ, સેક્ટર-5ના નારાયણ શુક્લ ધામ કેમ્પમાં મચી અફરાતફરી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળા દરમિયાન મંગળવારે એક મોટી ઘટના સામે આવી છે. માઘ મેળા વિસ્તારના સેક્ટર-5માં આવેલા નારાયણ શુક્લ ધામ કેમ્પમાં ભીષણ આગ લાગી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે કેમ્પમાં આવેલા તમામ ટેન્ટ અને આસપાસની દુકાનો બળીને ખાખ થઈ ગઈ. કેમ્પમાં હાજર 50થી વધુ લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા મળતી માહિતી અનુસાર, નારાયણ શુક્લ ધામ કેમ્પમાં કુલ 15 ટેન્ટ લગાવવામાં આવ્યા હતા, જેમાં આશરે 50થી વધુ શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓ રહેતા હતા. આગ લાગતાની સાથે જ ધુમાડા અને જ્વાળાઓ ફેલાતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો. તમામ લોકો તાત્કાલિક કેમ્પના ગેટ તરફ દોડી ગયા અને સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી. આગ જોઈને સમગ્ર માઘ મેળા વિસ્તારમાં ફેલાયો ભય કેમ્પમાંથી ઊઠતી આગ અને કાળા ધુમાડા દૂરથી પણ દેખાતા હતા, જેના કારણે આસપાસના અન્ય કેમ્પોમાં રહેલા યાત્રાળુઓ પણ ગભરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ માઘ મેળા પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો આગની જાણ મળતાં જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે સતત પ્રયાસો કરીને આગને કાબૂમાં લીધી અને અન્ય કેમ્પોમાં ફેલાતી અટકાવી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેમ્પ બહારની દુકાનો પણ બળીને ખાખ આ ભીષણ આગની ઝપેટમાં નારાયણ શુક્લ ધામ કેમ્પની બહાર આવેલી અસ્થાયી દુકાનો પણ આવી ગઈ હતી, જેમાં સામાન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો. જોકે, કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી, જે રાહતની વાત છે. આગ ઓલવ્યા બાદ તપાસ શરૂ આગ સંપૂર્ણપણે ઓલવ્યા બાદ ફાયર બ્રિગેડ અને પ્રશાસનની ટીમોએ કેમ્પની અંદર અને આસપાસ તપાસ શરૂ કરી છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અમેરિકામાં ભારે બરફવર્ષા: ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ઈમરજન્સી, 16 હજારથી વધુ ફ્લાઈટ પ્રભાવિત

અમેરિકાના ઉત્તર પૂર્વી પ્રદેશમાં ભારે બરફ અને હિમવર્ષા લોકોના જીવન પર અસરરૂપ બની છે. ક્રિસમસ પછી મુસાફરી કરી રહેલા હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે પ્રતિકૂળ હવામાનના કારણે અસંખ્ય ફ્લાઈટ્સ રદ્દ અને મોડું થઈ ગઈ. ન્યૂયોર્ક અને ન્યૂજર્સી રાજ્યમાં હવામાન કટોકટી જાહેર કરવામાં આવી છે. ન્યૂયોર્કના ગર્વનર કેથી હોચુલે જણાવ્યું કે, “ન્યૂયોર્કવાસીઓની સલામતી મારી ટોચની પ્રાથમિકતા છે. દરેકને વાવાઝોડા દરમિયાન અત્યંત સાવધાની રાખવાની વિનંતી છે.” નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ન્યૂયોર્કમાં સિરાક્યુઝથી લોંગ આઈલેન્ડ સુધી 6 થી 10 ઈંચ બરફ પડ્યો હતો, જ્યારે ન્યૂયોર્ક સિટીમાં રાતોરાત 2 થી 4 ઈંચ બરફ પડ્યો હતો. હવામાન શાસ્ત્રી બોબ ઓરાવેકે જણાવ્યું કે હિમવર્ષા હવે બંધ થઈ છે અને હળવી હિમવર્ષા બપોર સુધીમાં પણ બંધ થઈ જશે. ફ્લાઈટ્સ પર અસર: – 14,400 થી વધુ ફ્લાઈટ્સ રદ્દ અને મોડાં થયા – લગભગ 2,100 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ્દ – અનેક એરપોર્ટ્સ અસરિત આ હવામાનનો પ્રભાવ પ્રવાસીઓ અને એરપોર્ટ્સ પર હજુ પણ જોવા મળતો રહ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અમરેલી: બાબરાના ફુલઝર ગામે બે જૂથ વચ્ચે ધિંગાણું, એકનું મોત, 9 ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ ઘટના લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડીને ટ્રેક્ટર અડી જવાથી ભડકી ઉઠી હતી. અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું અને નવ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક બાબરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘટનાનું વિગતવાર વર્ણન અહેવાલો અનુસાર, લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડો અને ટ્રેક્ટર વચ્ચે અડચણ થતા જૂથોમાં થયેલી વાતચીત ઝડપથી ઉગ્ર મરામારીમાં બદલાઈ. ઘટનાસ્થળે એસપી અને ડિવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો અને સ્થિતિને નિયંત્રિત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. ઈજાગ્રસ્તો અને પોલીસ કાર્યવાહી આ અથડામણમાં 9 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસને જાણ મળી જતાં, ઘટના સ્થળ પર ગામમાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો. તપાસ દરમિયાન પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રસંગના પરિણામ ઘટનાએ ગામમાં તાત્કાલિક ચેતવણીનું વાતાવરણ સર્જ્યું છે અને સ્થાનિક પોલીસ અને ગામના મુખ્ય લોકો વચ્ચે તાત્કાલિક સ્થિતિને શાંત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

વધુ એક 112 ઈમરજન્સી હેલ્પલાઇન સેવા શરુ કરવાની તૈયારી, સમગ્ર ગુજરાતમાં ટુંક સમયમાં થશે જાહેર

ગુજરાતમાં વધુ એક 112 ઈમરજન્સી હેલ્પલાઇન સેવા શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. –>આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનશે:- પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સેવાનો વ્યાપ સમગ્ર રાજ્યમાં મળી રહે તેના માટે એકીકૃત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર તેમજ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. –>ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું રિયલટાઇમ મોનિટરિંગ:- આ સેન્ટરમાંથી તમામ જિલ્લાઓમાં ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું રિયલટાઇમ મોનિટરિંગ થઇ શકશે. જિલ્લા કક્ષાએ પણ આ સેવાઓનું મોનિટરીંગ સ્વતંત્ર રીતે કરી શકાશે. ડિજીટલ ટેક્નોલોજીનો વ્યાપ વધારીને આ સેવાને વધુ પ્રભાવી બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. જિલ્લાઓમાં છેવાડા સુધી લોકોને ત્વરિત ઇમરજન્સી રિસ્પોન્સ મળી રહે તેના માટે નવી 500 જનરક્ષક પીસીઆર વેન ફાળવવામાં આવશે. ઇમરજન્સી રિસ્પોન્સ સાથે સંકળાયેલા પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓને રિયલ ટાઇમમાં ડિજીટલ અપડેશન સહિત ઇમરજન્સી રિસ્પોન્સ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.

Ahmedabad : ધૂળેટીમાં થયો ઇમરજન્સી કેસમાં વધારો, અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા

હોળી અને ધુળેટીમાં ખાસ કરીને અકસ્માત થવાની ઘટના, મારામારી, પાણીમાં ડૂબી જવાની ઘટના, પડી જવા અને વાગવાની ઘટના તે સિવાય બાકીની અન્ય ઈમરજન્સી નોંધાતી હોય છે. ત્યારે આવી તમામ ઈમરજન્સીને પહોંચી વળવા માટે 108ની ટીમ કટીબદ્ધ રહી એક્શન મોડમાં કાર્ય કરી રહી છે. લોકો જ્યારે પોતાના સગા સંબંધી અને મિત્રો જોડે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આરોગ્યકર્મચારીઓ પોતાના કાર્યસ્થળ ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી, ગુંડાઓએ ઉભુ કરેલુ ગેરકાયદેસર-બાંધકામ તોડી પડાયું ત્યારે ગઇકાલે ગુજરાતમાં 108ને 3485 ઈમરજન્સી કોલ આવ્યા હતા. જેમાં અકસ્માત અને મારામારીની અઢળક ઘટના બની છે.મળતી માહિતી મુજબ, ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો થયો છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના સાંજે 6 વાગ્યા સુધીમાં 3485 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો બન્યા છે. તો બીજી તરફ ધુળેટીના પર્વ દરમ્યાન મારામારીના 360 બનાવો બન્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 અકસ્માતની ઘટના બની છે. અમદાવાદ બાદ સુરતમાં 93 બનાવો અકસ્માતના સામે આવ્યા છે. આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે” વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો બન્યા છે.108 ઈમરજન્સી સેવાના ડેટા અનુસાર હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો થયો છે. ધુળેટીના દિવસે કુલ 3485 ઈમરજન્સીના બનાવો નોંધાયા છે. ઈમરજન્સીના બનાવોમાં સૌથી વધુ રોડ અકસ્માતના 715 બનાવો, જ્યારે મારામારીના 360 બનાવો બન્યા છે. ધૂળેટીના દિવસે ઇમરજન્સીના કેસમાં સતત વધારો ચિંતાજનક છે. આ પણ વાંચો :- Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો ખાસ કરીને રોડ અકસ્માતો અને શારીરિક હુમલાના કેસોમાં વધારો થવાથી તંત્રની ચિંતા પણ વધી છે. જો અકસ્માતના કેસોની વાત કરવામાં આવે તો સૌથી વધુ 95 અકસ્માત અમદાવાદ શહેરમાં નોંધાયા, સુરતમાં 93 બનાવો અકસ્માતના કેસ નોંધાયા, વડોદરામાં 51 અને રાજકોટમાં 34 અકસ્માતના બનાવો નોંધાયા છે. Follow us On Social Media 🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital📸 Instagram : https://www.instagram.com/bindiadigital/🌐 Website : https://bindia.co/TWITTER : https://x.com/buletin_indiaFOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

રામાયણ બોક્સ ઓફિસ કલેક્શનનો ચોથો દિવસ: ‘ભગવાન રામ’એ સોમવારે થિયેટરોમાં રાજ કર્યું, કટોકટીને હરાવીને આટલી કમાણી કરી

આજકાલ ફિલ્મ ઉદ્યોગમાં ફરીથી રિલીઝ થવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. વીર-ઝારાથી લઈને લૈલા-મજનુ સુધીની ઘણી ફિલ્મો વર્ષો સુધી સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ. આ ફિલ્મોએ ફરીથી રિલીઝ થવા પર ઘણી કમાણી કરી છે. હવે વારો છે પૌરાણિક ફિલ્મ રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામનો.૩૧ વર્ષ પહેલાં બનેલી પૌરાણિક ફિલ્મ રામાયણ ધ લિજેન્ડ ઓફ પ્રિન્સ રામને ૯૦ના દાયકામાં કદાચ બહુ લોકપ્રિયતા મળી ન હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફિલ્મ વિશે ઘણી ચર્ચા થઈ છે. લોકોની ભારે માંગ પછી, તે આખરે ફરીથી થિયેટરોમાં રિલીઝ થઈ અને હવે તે નવી કોમર્શિયલ ફિલ્મોને પણ ઢાંકી રહી છે. -> શું રામાયણ સોમવારની પરીક્ષામાં નિષ્ફળ ગયું કે પાસ થયું? :- રામાયણ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કબજો જમાવી લીધો છે. સ્કાય ફોર્સ પછી, ફક્ત રામાયણ જ સારી કમાણી કરી રહી છે અને મોટા સ્ટાર્સ અભિનીત ફિલ્મોને પણ પાછળ છોડી રહી છે. ૨૪ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી રામાયણ સોમવારની પરીક્ષામાં પાસ થઈ કે નાપાસ થઈ તે અંગે પ્રારંભિક આંકડા બહાર આવ્યા છે. સપ્તાહના અંતે સારો બિઝનેસ કરનારી રામાયણની કમાણીમાં સોમવારે ઘટાડો થયો હશે, પરંતુ તેણે કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીને પાછળ છોડી દીધી છે. પિંકવિલાના મતે, રામાયણે ચોથા દિવસે એટલે કે સોમવારે 40 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે, જે રી-રીલીઝ મુજબ સારો બિઝનેસ છે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી સત્તાવાર આંકડા શેર કર્યા નથી. દિવસ 1 – 40 લાખ રૂપિયા દિવસ 2 – 70 લાખ રૂપિયા દિવસ 3 – 1 કરોડ રૂપિયા દિવસ 4 – 40 લાખ રૂપિયા માયાએ આ ફિલ્મો છોડી દીધી રામાયણ આવતાની સાથે જ તેણે કટોકટીનો સમય પણ જીતી લીધો. કંગના રનૌતની રાજકીય નાટક ફિલ્મે સોમવારે માત્ર 20 લાખ રૂપિયાની કમાણી કરી છે. બીજી તરફ, આઝાદ માત્ર ૧૧ દિવસમાં ૫.૯૦ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ ફિલ્મને થિયેટરોમાં પણ દર્શકો મળી રહ્યા નથી. હાલમાં, અક્ષય કુમારની સ્કાય ફોર્સ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરી રહી છે અને ચાર દિવસમાં તેણે 68 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

બોક્સ ઓફિસ: સોમવારના ટેસ્ટમાં કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી સાથે આવું જ થયું, અજય દેવગણના સ્ટારડમથી ‘આઝાદ’ને કોઈ ફાયદો થયો નહીં

જાન્યુઆરી મહિનામાં ઘણી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવાની હતી, જેનાથી ઘણી અપેક્ષાઓ હતી. ફતેહ અને બેબી જોનની નિષ્ફળતા પછી, હવે કંગના રનૌત અને નવા કલાકારો અમન દેવગન-રાશા થડાની મેદાનમાં ઉતર્યા છે. ચાલો તમને જણાવીએ કે તેમની ફિલ્મો ‘ઇમર્જન્સી’ અને ‘આઝાદ’ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરી રહી છે.કંગના રનૌતની રાજકીય નાટક ફિલ્મ ‘ઇમર્જન્સી’ અને અજય દેવગણ અભિનીત પીરિયડ ડ્રામા ફિલ્મ ‘આઝાદ’ એક જ દિવસે, 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એક તરફ, કંગના રનૌત ઇમરજન્સીથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહી હતી, તો બીજી તરફ, રાશા થડાની અને અમન દેવગણે આઝાદથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી છે. બંને ફિલ્મો વિશે ઘણી ચર્ચા થઈ હતી. જોકે, ઇમર્જન્સીને બોક્સ ઓફિસ પર ખરાબ પરિણામ મળ્યું. -> ઇમર્જન્સી બોક્સ ઓફિસ કલેક્શન :- કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ને ઘરેલુ બોક્સ ઓફિસ પર આઝાદ કરતાં સારી ઓપનિંગ મળી. આ ફિલ્મની શરૂઆત ₹ 3.11 કરોડથી થઈ હતી. સપ્તાહના અંતે પણ ફિલ્મનું કલેક્શન પ્રભાવશાળી રહ્યું, પરંતુ સોમવારના ટેસ્ટમાં ફિલ્મ નબળી પડી ગઈ. સેકેનિલ્કના શરૂઆતના ટ્રેડ મુજબ, ઈમરજન્સીએ સ્થાનિક બોક્સ ઓફિસ પર તેના ચોથા દિવસે 1.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આનો અર્થ એ થયો કે ફિલ્મની કમાણીમાં લગભગ 75 ટકાનો ઘટાડો થયો છે. જોકે, આ સત્તાવાર આંકડા નથી. -> આઝાદ બોક્સ ઓફિસ કલેક્શન :- અભિષેક કપૂર દિગ્દર્શિત ફિલ્મ આઝાદ દ્વારા અમન અને રાશાએ પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. ફિલ્મમાં તેમના અભિનયના વખાણ થયા હોવા છતાં, તેની કમાણી ઈમરજન્સી કરતા ઘણી ઓછી રહી છે. પરિસ્થિતિ એવી છે કે ચોથા દિવસે જ ફિલ્મ લાખોમાં ઘટી ગઈ છે. પ્રારંભિક આંકડાઓ અનુસાર, આઝાદે સોમવારે સ્થાનિક બોક્સ ઓફિસ પર માત્ર 53 લાખ રૂપિયાની કમાણી કરી છે.RSVP ના બેનર હેઠળ બનેલી આઝાદ ફિલ્મમાં અજય દેવગણે એક નાનકડી ભૂમિકા ભજવી છે. અમન દેવગન તેમનો ભત્રીજો છે જ્યારે રાશા પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડનની પુત્રી છે.