TET-1 પરીક્ષાની આન્સર કી જાહેર, ઉમેદવારો 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે

રાજ્યમાં ગત 21 ડિસેમ્બરે લેવાયેલી TET-1 પરીક્ષાની આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ 9 દિવસ પછી આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેને લઈને ઉમેદવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી OMR આધારિત આન્સર કી ઉમેદવારો www.sebexam.org વેબસાઈટ પર 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે. નોંધનીય છે કે અન્ય સરકારી પરીક્ષાઓમાં સામાન્ય રીતે પરીક્ષા બાદ બીજા દિવસે જ આન્સર કી જાહેર કરવામાં આવે છે, ત્યારે TETના ઉમેદવારો લાંબા સમયથી આન્સર કી ઝડપથી જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. આ માંગને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. 38 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા TET-1 પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.…

ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં મોટી રાહત, જાણો વિગત

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રશ્નપત્રો પૂર્ણ કરવા માટે સામાન્ય વિદ્યાર્થીઓની તુલનામાં વધારાનો સમય આપવામાં આવશે. આ નિર્ણયથી ખાસ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન વધુ સુવિધા અને ન્યાય મળશે. નવા નિયમો મુજબ, 1 કલાકની પરીક્ષા માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાના 20 મિનિટ મળશે. જ્યારે 3 કલાકના મુખ્ય પેપર માટે તેમને લગભગ 1 કલાકનો વધારાનો સમય આપવામાં આવશે. આ વ્યવસ્થાથી લખવામાં, વાંચવામાં અથવા સમજવામાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા પૂર્ણ કરવામાં મદદ મળશે. ખાસ કરીને દ્રષ્ટિહીન અથવા દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નકશા પૂરાં કરવા કે આકૃતિ દોરવાના પ્રશ્નો…

રાજ્યના TET ઉમેદવારો માટે સારા સમાચાર: 2 વર્ષના વિલંબ પછી 133 કેન્દ્ર પર TET પરીક્ષાની જાહેરાત

રાજ્યના શિક્ષક બનવા ઈચ્છતા TET (Teacher Eligibility Test) ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. 2 વર્ષના લાંબા વિરામ બાદ રાજ્યમાં TET પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી વિદ્યાર્થીઓની લાંબી રાહત અને આતુરતાનો અંત આવ્યો છે. પરીક્ષા વિગતો કુલ ઉમેદવારો: રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ અમદાવાદમાં ઉમેદવારો: 26,381 પરીક્ષા કેન્દ્ર: 133 અવધિમાં વધારો: પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો શહેરો: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આયોજન અને સંચાલન રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષા સજ્જ રીતે આયોજન કરવામાં આવી રહી છે. 133 કેન્દ્રો પર પરીક્ષાનું સંચાલન કરીને વિદ્યાર્થીઓને સરળતાથી ભાગ લેવા સુવિધા આપવામાં આવશે. આ વર્ષના TET પરીક્ષા આયોજનને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…

UPSC પરીક્ષામાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમના મનપસંદ કેન્દ્ર આપવામાં આવશે, જાણો વિગત

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે UPSCની તમામ પરીક્ષાઓમાં દિવ્યાંગ ઉમેદવારોને તેમના પસંદગીના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. જો તે કેન્દ્રની ક્ષમતા સંપૂર્ણ થઈ ગઈ હોય. UPSC ચેરમેન અજય કુમારના જણાવ્યા મુજબ, દિલ્હી, કટક, પટના અને લખનૌ જેવા કેટલાક કેન્દ્રો ખૂબ ઝડપથી ભરાઈ જતા હવાલે દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર મેળવવામાં મુશ્કેલી ઉભી થતી હતી. આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કમિશને નિર્ણય કર્યો છે કે દિવ્યાંગ ઉમેદવાર જ્યારે પોતાનું મનપસંદ કેન્દ્ર પસંદ કરશે, ત્યારે ક્ષમતા પૂર્ણ થઈ હોવા છતાં તે પસંદગી માન્ય ગણાશે. કમિશન જરૂર પડે ત્યારે વધારાની બેઠકોની વ્યવસ્થા કરશે જેથી કોઈ દિવ્યાંગ ઉમેદવારને કેન્દ્ર બદલવાનું દબાણ ન પડે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/…

શિક્ષણ સહાયક ભરતી 2024 : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી સમિતિએ પરિપત્ર કર્યો જાહેર

શિક્ષણ સહાયક ભરતી 2024 માટે મોટું અપડેટ આવ્યું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત શાળા ફાળવણી ન થયેલ ઉમેદવારો અને પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો 10 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી સમિતિએ આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. કોઈ ઉમેદવારોને મળશે પસંદગીનો મોકો? List-A: શાળા ફાળવણી ન થયેલ ઉમેદવારો પ્રતિક્ષા યાદી: 23 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રકાશિત શાળા પસંદગીની તારીખો 10 ડિસેમ્બર 2025 – 12 ડિસેમ્બર 2025 રાત્રે 11:59 સુધી ઉમેદવારો પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી અનુસાર ઉપલબ્ધ ખાલી જગ્યાઓમાંથી શાળાઓ પસંદ કરી શકે છે. ક્યાં અને કેવી રીતે કરવી શાળા પસંદગી? 🔗 વેબસાઇટ: https://gserc.in/ અહીં બધા ઉમેદવારો અમર્યાદિત સંખ્યામાં શાળાઓ પસંદ કરી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પગલે બોર્ડે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવી જાહેરાત અનુસાર હવે બોર્ડની પરીક્ષાઓ નીચે મુજબ લેવામાં આવશે: – ધોરણ 10 સામાજિક વિજ્ઞાન: અગાઉ ધૂળેટીના દિવસે નક્કી કરાયેલ પેપર હવે 18 માર્ચે લેવાશે. – ધોરણ 12 – સામાન્ય પ્રવાહ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ હવે 18 માર્ચે યોજાશે. – ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 16 માર્ચે બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી લેવામાં આવશે. – સંસ્કૃત વિષયમાં ફેરફાર સંસ્કૃત પ્રથમા: 16 માર્ચ, સવારે 10:00 થી 1:15 સંસ્કૃત મધ્યમા: 16 માર્ચ, બપોરે…

અમદાવાદ: નિરમા યુનિવર્સિટીના કર્મચારી પર 5 કરોડની ઉચાપતનો આરોપ

અમદાવાદની નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ 5 કરોડ રૂપિયાનું ઉચાપત કર્યાનું ખુલાસો થયો છે. કર્મચારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે આ ગેરરીતિનો ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૌરાષ્ટ્રમાં કોમર્સ એજ્યુકેશન અને કોર્સના બુક્સ માટે એડવાન્સ પૈસા ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. યુનિવર્સિટીની ઓડિટ દરમિયાન ગેરરીતિ સામે આવી, અને કર્મચારી ઓડિટમાં હાજર ન રહ્યો. પૂછપરછમાં તેણે સ્વીકાર કર્યો કે વિદ્યાર્થી એક્ટિવિટીના નાણાં અંગત ઉપયોગમાં લીધાં. આ મામલે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અલ-ફલાહ યુનિવર્સિટી સામે સરકારની મોટી કાર્યવાહી: સભ્યપદ રદ, તપાસ એજન્સીઓ સક્રિય

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ કડીમાં હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સામે કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય યુનિયન્સ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીને આપેલું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી AIUનો લોગો અને નામ પોતાના તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ડોકટરોની અટકાયત અને તપાસ તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા અનેક ડોકટરોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. હાલ સુધી ચાર ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે – ડૉ. ઉમર ઉન નબી – ડૉ. શાહિદ – ડૉ. નિસાર-ઉલ-હસન – ડૉ. મુઝમ્મિલ આ તમામ ડોકટરો…

ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો વિગત

રાજ્યના ધો. 10 અને ધો. 12 ના વિદ્યાર્થીઓ માટે આગામી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. શિક્ષણ વિભાગના સૂચન મુજબ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સમયસર તૈયારી કરી શકે તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આ વર્ષે 7 નવેમ્બર, 2025 થી શરૂ થઈને 6 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. બોર્ડ પરીક્ષા દરેક વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. પરીક્ષા માટે ફોર્મ ભરીને નોંધણી કરવી તે જરૂરી પગલું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આયોજન સુનિશ્ચિત થાય છે. ફોર્મ ભરવાની મુખ્ય વિગતો: – તારીખ: 7 નવેમ્બર, 2025 થી 6 ડિસેમ્બર, 2025 – વિભાગ: ધો. 10 અને ધો. 12 – સામાન્ય, વિજ્ઞાન અને તમામ વિભાગ – પ્રક્રિયા: ફોર્મ ઓનલાઈન gseb.org વેબસાઈટ દ્વારા ભરવામાં આવશે. – જવાબદારી: શાળાઓ…

JEE મેન્સ 2026: સત્ર 1 માટે અરજી પ્રક્રિયા શરૂ, જાન્યુઆરીમાં પરીક્ષા!; જાણો વિગત

એન્જિનિયરિંગ પ્રવેશ માટેની સૌથી લોકપ્રિય પરીક્ષા JEE મેન્સ 2026ના પ્રથમ સત્ર (Session 1) માટેની અરજી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ વિગતવાર જાહેરનામું બહાર પાડ્યું છે અને વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે સમયમર્યાદા પહેલા અરજી પૂરી કરી લેવી. મહત્વની તારીખો (Important Dates): – અરજીની શરૂઆત: 31 ઑક્ટોબર, 2025 – છેલ્લી તારીખ: 27 નવેમ્બર, 2025 – સત્ર 1 પરીક્ષા: 21 થી 30 જાન્યુઆરી, 2026 – સત્ર 2 પરીક્ષા: 1 થી 10 એપ્રિલ, 2026 – ઉમેદવારો jeemain.nta.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ વર્ષે વધુ પરીક્ષા કેન્દ્રો અને સુવિધાઓ NTAએ જણાવ્યું છે કે આ વર્ષે વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દેશભરના અનેક શહેરોમાં નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરવામાં આવશે. આથી વિદ્યાર્થીઓને પોતાના…