તિરુપતિ મંદિર બનશે ભારતનું પહેલું AI ટેમ્પલ, ભક્તો હવે વધુ શાંતિથી કરી શકશે દર્શન

ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક, તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં દેશનું પ્રથમ AI આધારિત કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થવા જઈ રહ્યું છે. આ નવી ટેક્નોલોજીથી સજ્જ વ્યવસ્થા ભક્તોને વધુ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત દર્શનનો અનુભવ આપશે. ભારતનું પહેલું AI Command Center ધરાવતું મંદિર તિરુપતિ મંદિરમાં તૈયાર કરવામાં આવેલું નવું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) વૈકુંઠમ-૧ કોમ્પ્લેક્સમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં મોટી ડિજિટલ સ્ક્રીન પર મંદિર પરિસરના તમામ CCTV કેમેરાની લાઈવ ફીડ જોવા મળી શકે છે. આ સિસ્ટમ 25 થી વધુ ટેકનિકલ નિષ્ણાતોની ટીમ દ્વારા સંચાલિત છે. ભીડ વ્યવસ્થાપન હવે AIના હાથે AI ટેક્નોલોજીથી સજ્જ કેમેરાઓ ચહેરાની ઓળખ (Facial Recognition) કરવાની ક્ષમતા ધરાવે છે. આથી મંદિરમાં પ્રવેશ કરતા ભક્તોની સંખ્યા અને દર્શન માટે લાગતો સમય…