UIDAIનો નવો આદેશ: હવે આધાર કાર્ડથી ‘આ’ સેવાઓ માટે પુરાવો માન્ય નહીં, જાણો વિગત

ભારતીય નાગરિકોના સૌથી મહત્વના દસ્તાવેજોમાં ગણાતું આધાર કાર્ડ અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. લોકોમાં રહેલી મૂંઝવણ દૂર કરવા માટે UIDAI એ નવો સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આધાર હવે કેટલીક સેવાઓ માટે ઉપયોગી નહીં રહેશે.

આધારનો હેતુ — માત્ર ઓળખનો પુરાવો
UIDAI અનુસાર, આધાર કાર્ડનો માત્ર હેતુ વ્યક્તિની ઓળખ (Identity Proof) તરીકે ઉપયોગ કરવાનો છે. એટલે કે તે કોઈની નાગરિકતા, રહેઠાણ કે જન્મ તારીખનો પુરાવો તરીકે માન્ય નહીં ગણાય.

આધારનો ઉપયોગ જ્યાં ન કરી શકાય
– નાગરિકતા (Citizenship) નો પુરાવો તરીકે
– રહેઠાણ (Domicile) નો પુરાવો તરીકે
-જન્મ તારીખ (Date of Birth) નો પુરાવો તરીકે
-જન્મ પ્રમાણપત્રના વિકલ્પ તરીકે

આધારનો ઉપયોગ જ્યાં કરી શકાય
– બેંક ખાતું ખોલવા (KYC પ્રક્રિયા માટે)
– આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા
– PAN કાર્ડ લિંક કરવા
– સરકારી સબસિડી યોજનાઓનો લાભ મેળવવા
– UIDAIએ પોસ્ટ ઓફિસો અને સરકારી કચેરીઓને આ સૂચના નોટિસ બોર્ડ પર જાહેર કરવા કહ્યું છે, જેથી લોકોમાં ખોટી સમજણ ન રહે.

હવે આધાર અપડેટ મોંઘુ
UIDAIએ 1 ઓક્ટોબરથી આધાર અપડેટ માટેની ફી વધારી છે.

અપડેટનો પ્રકાર જૂની ફી નવી ફી
નામ, સરનામું, જન્મ તારીખ જેવા ડેમોગ્રાફિક અપડેટ્સ ₹50 ₹75
ફિંગરપ્રિન્ટ, આઇરિસ, ફોટો જેવા બાયોમેટ્રિક અપડેટ્સ ₹100 ₹125

નવજાત બાળકો માટે નોંધણી અને અપડેટિંગ મફત રહેશે.

આધાર ક્યાં ફરજિયાત છે
– ITR ફાઇલિંગ
– બેંક અને મોબાઇલ KYC
– LPG સબસિડી
– પેન્શન અને શિષ્યવૃત્તિ યોજનાઓ
– મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય વ્યવહારો

UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે આધાર સરકારી લાભોને સીધા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ રહેશે, પરંતુ તેની મર્યાદા સમજીને જ ઉપયોગ કરવો જોઈએ.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagarમાં SLBCની ૧૯૦મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું છેવાડાના માનવી સુધી ધિરાણ પહોંચાડવા આહવાન Inclusive Growth 2026

Gandhinagarમાં SLBCની 190મી બેઠક: CM ભૂપેન્દ્ર પટેલનું બેન્કર્સને આહવાન, છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચાડો ધિરાણ Gandhinagarમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 190મી બેઠક યોજાઈ. CM ભૂપેન્દ્ર પટેલે MSME, મહિલા ઉદ્યોગકારો, ખેડૂતો અને ગ્રામીણ કારીગરો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા બેન્કર્સને આહવાન કર્યું. Gandhinagarમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રની કામગીરી, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી ધિરાણ પહોંચાડવા, ખેડૂતો, નાના ઉદ્યોગકારો, મહિલા ઉદ્યોગ સાહસિકો અને ગ્રામીણ કારીગરોને સમયસર નાણાકીય સહાય સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કર્સને **‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’**ના અભિગમને સાકાર કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બેન્કિંગ સેવાઓનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે બેન્કિંગ ક્ષેત્રે…

India Day : અમેરિકાના અનેક રાજ્યોમાં ૧૫ ઓગસ્ટ ‘India Day’ તરીકે જાહેર Global Pride 2026

અમેરિકાના અનેક રાજ્યોમાં 15 ઓગસ્ટને ‘India Day’: ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને ખાસ સન્માન  ભારતના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં અમેરિકાના અનેક રાજ્યોમાં 15 ઓગસ્ટ 2026ને India Day અથવા India Independence Day તરીકે માન્યતા આપવામાં આવી છે. જાણો સંપૂર્ણ વિગતો. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં અમેરિકામાં ભારતીય તિરંગાની ગુંજ જોવા મળી રહી છે. અમેરિકાના અનેક રાજ્યોએ 15 ઓગસ્ટ 2026ને ‘India Day’ અથવા ‘India Independence Day’ તરીકે માન્યતા આપવાની વિશેષ જાહેરાતો કરી છે. આ નિર્ણય માત્ર ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોના યોગદાન અને ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે.હાલમાં ડેલાવેર, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી અને મેસેચ્યુસેટ્સ સહિતના રાજ્યોમાં 15 ઓગસ્ટને વિશેષ રીતે માન્યતા આપવામાં આવી છે. આ જાહેરાતોથી અમેરિકામાં ભારતીય…