2026 T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે પાકિસ્તાન, સરકારે સત્તાવાર નિર્ણય જાહેર કર્યો
2026ના T20 વર્લ્ડ કપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે પાકિસ્તાનની ટીમ 2026ના T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. આ નિર્ણયને કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે. T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ યોજાવાની હતી, પરંતુ હવે પાકિસ્તાન સરકારે પોતાની ટીમને ભારત સામે ન રમવાનો આદેશ આપ્યો છે. 2 ફેબ્રુઆરીએ સરકારના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તેનો નિર્ણય સરકાર લેશે. હવે સરકારના આદેશથી સ્પષ્ટ થયું છે…
મોહસીન નકવી સ્ટેજ પર રાહ જોતા રહ્યા, ભારતીય ખેલાડીઓએ ICC અધિકારી પાસેથી મેડલ સ્વીકાર્યા
રવિવારે દુબઈમાં યોજાયેલી ACC અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ બાદ યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન એક રસપ્રદ અને ચર્ચાસ્પદ દૃશ્ય સામે આવ્યું. પાકિસ્તાનની જીત બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસીન નકવી સ્ટેજ પર હાજર રહ્યા અને પાકિસ્તાની ટીમને વિજેતા મેડલ અર્પણ કર્યા. જોકે, જ્યારે રનર્સ-અપ ટીમ ઇન્ડિયાને મેડલ આપવાનો વારો આવ્યો, ત્યારે ભારતીય ખેલાડીઓએ મોહસીન નકવી સાથે સ્ટેજ શેર કરવાનું ટાળ્યું. ભારતીય અંડર-19 ટીમ મુખ્ય સ્ટેજ પર ગઈ નહીં અને ત્યાં હાજર ICCના અધિકારી મુબાશ્શીર ઉસ્માની પાસેથી પોતાના મેડલ સ્વીકાર્યા. આ ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ફાઈનલ મેચમાં પાકિસ્તાન અંડર-19 ટીમે ભારતને 191 રનથી હરાવીને એશિયા કપ ટ્રોફી પોતાના નામે…
પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત
એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક મોટો વિવાદ ઊભો થયો છે. આઈસીસી (ICC) એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો છે અને તેની મેચ ફીનો 30% દંડ ફટકાર્યો છે. સમગ્ર વિવાદ શું છે? આ વિવાદની શરૂઆત એશિયા કપના ગ્રૂપ સ્ટેજ દરમિયાન થયેલી ભારત-પાકિસ્તાન મેચ પછી થઈ હતી. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને જીત આપી હતી, પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે શીષ્ટાચાર મુજબ હાથ મળાવ્યા નહતાં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવાનો નિશ્ચિત નિર્ણય લીધો હતો. પછી મીડિયા સાથે…









