પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત

એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક મોટો વિવાદ ઊભો થયો છે. આઈસીસી (ICC) એ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો છે અને તેની મેચ ફીનો 30% દંડ ફટકાર્યો છે.

સમગ્ર વિવાદ શું છે?
આ વિવાદની શરૂઆત એશિયા કપના ગ્રૂપ સ્ટેજ દરમિયાન થયેલી ભારત-પાકિસ્તાન મેચ પછી થઈ હતી. 14 સપ્ટેમ્બરના રોજ રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને જીત આપી હતી, પરંતુ જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે શીષ્ટાચાર મુજબ હાથ મળાવ્યા નહતાં. કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ નહીં મિલાવવાનો નિશ્ચિત નિર્ણય લીધો હતો.

પછી મીડિયા સાથે વાતચીતમાં, સૂર્યાએ જણાવ્યું હતું કે “રમતની ભાવના જેટલી મહત્વપૂર્ણ છે, એના ઉપર પણ કંઈક છે – દેશપ્રેમ. હું પેલગામ હુમલાના શહીદો સાથે છું અને આ જીત ભારતીય સેના માટે છે.” આ નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) આઈસીસી સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સૂર્યકુમારનું વર્તન રમતની ભાવનાનો ભંગ કરે છે.

ICCનો નિર્ણય
આઈસીસી દ્વારા મામલાની સાંભળણી બાદ, સૂર્યકુમાર યાદવને ICC Code of Conductના લેવલ 1ના ભંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે મુજબ 30% મેચ ફીનો દંડ, એક અધિકૃત તાકીદ અને ભવિષ્યમાં આવું વર્તન ન કરવાની ચેતવણી તેમ છતાં, સૂર્યકુમાર યાદવ પર મેચ બેન લાગતો નથી, એટલે કે તેઓ 28 સપ્ટેમ્બરની ફાઈનલ માટે ઉપલબ્ધ રહેશે.

અપીલની પ્રક્રિયા ચાલુ
સૂર્યકુમાર યાદવે આ દંડ સામે અપીલ કરી છે, જેનો અર્થ છે કે મામલાની ફરીથી સમીક્ષા થશે. જો અપીલમાં દંડ રદ થાય, તો તેનો વ્યવહારિક અસરનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જો અપીલ નિષ્ફળ જાય તો પણ, Level 1 ઉલ્લંઘન હોવાથી મેચમાં રમવા પર કોઈ પ્રતિબંધ લાગતો નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક મેચ માત્ર ક્રિકેટ મેચ નથી રહી, તે હવે રાષ્ટ્રીય ગૌરવ, રાજકીય સંબંધો અને સાહસિકતા સાથે જોડાઈ ગઈ છે. સૂર્યકુમાર યાદવનું નિવેદન ભલે કેટલાક માટે ઉગ્ર લાગ્યું હોય, પરંતુ મોટા ભાગના ભારતીય ચાહકો તેને દેશભક્તિની છાપ ગણાવી રહ્યાં છે.

Related Posts

અમેરિકા અને કેનેડામાં ગુંજશે ગુજરાત: VGGS 2027 માટે CM ભૂપેન્દ્ર પટેલનો પ્રથમ વૈશ્વિક રોડ શૉ….

B india ગાંધીનગર : જાન્યુઆરી 2027માં યોજાનારી 11મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ એટલે કે VGGS 2027ને સફળ બનાવવા માટે ગુજરાત સરકારે વૈશ્વિક સ્તરે રોકાણ અને ટેકનોલોજી ભાગીદારી માટે પ્રયાસોને વધુ ગતિ આપી છે. આ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં VGGS 2027 પૂર્વે પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ અમેરિકા અને કેનેડામાં યોજાઈ રહ્યો છે. આ હાઇ-લેવલ ડેલિગેશન વૉશિંગ્ટન ડી.સી., ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો અને ટોરોન્ટોની મુલાકાત લઈને વૈશ્વિક રોકાણકારો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ટેકનોલોજી ક્ષેત્રના પાયોનિયર્સ અને ભારતીય તથા ગુજરાતી ડાયસ્પૉરા સાથે સંવાદ કરી રહ્યું છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને વૈશ્વિક રોકાણ, આધુનિક ટેકનોલોજી, ઇનોવેશન અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક મજબૂત અને વિશ્વસનીય કેન્દ્ર તરીકે રજૂ કરવાનો છે. VGGS 2027 માટે ગુજરાતનો ગ્લૉબલ આઉટરીચ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટે…

Surat રેગિંગ પ્રકરણ: આરોગ્ય મંત્રીના આદેશથી ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ

B india સુરત : સરકારી મેડિકલ કોલેજ, Suratમાં રેગિંગની ગંભીર અને દુઃખદ ઘટનાને લઈને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પંડ્યાના આત્મહત્યાના કેસમાં રેગિંગની ઘટના રોકવામાં અને ફરજ બજાવવામાં ગંભીર નિષ્કાળજી દાખવવાના મુદ્દે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચનાના આધારે માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1ના પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને તાત્કાલિક અસરથી 90 દિવસ માટે ફરજમોકૂફ એટલે કે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ, માનસિક ઉત્પીડન અથવા વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. સ્વ. ડૉ. હર્ષ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *