અકાલી દળને લાગી શકે છે મોટો ફટકો, અનિલ જોશી જોડાઈ શકે છે કોંગ્રેસમાં
પંજાબમાં શિરોમણી અકાલી દળ (એસએડી) ને મોટો ઝટકો લાગ્યો છે. વરિષ્ઠ શિરોમણી અકાલી દળ નેતા અનિલ જોશી ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. જોશી તાજેતરમાં રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલને મળ્યા હતા, જેના કારણે અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. જોશી પંજાબના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ છે, જે અગાઉ ભાજપમાં સેવા આપી ચૂક્યા છે. જોકે, ભાજપ પછી, તેઓ શિરોમણી અકાલી દળ (એસએડી) માં જોડાયા, અને હવે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. પંજાબના ભૂતપૂર્વ મંત્રી અનિલ જોશી ટૂંક સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ શકે છે. પંજાબની તરનતારન વિધાનસભા બેઠક પર આગામી પેટાચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમને નોમિનેટ કરવામાં આવે તેવી પણ ચર્ચા છે. હકીકતમાં, અનિલ જોશી દિલ્હીમાં રાહુલ ગાંધી…
ખડગેનો મોટો દાવો, કહ્યું- PM મોદીને હતા આતંકી હુમલાના ઈનપુટ
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડા પ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કરવામાં આવ્યા?’ ઝારખંડની રાજધાની રાંચીમાં ‘બંધારણ બચાવો’ રેલીને સંબોધતા, કોંગ્રેસ વડા ખડગેએ સરકારને સવાલ કરતાં કહ્યું કે, આતંકવાદી હુમલાના ગુપ્તચર અહેવાલો હોવા છતાં કેન્દ્રએ પહેલગામમાં વધુ સુરક્ષા દળો કેમ તૈનાત ન કર્યા? શું કેન્દ્ર સરકારે પહેલગામ હુમલામાં થયેલા જાનમાલના નુકસાન માટે જવાબદાર ન ગણવું જોઈએ જ્યારે તેણે…
ચન્નીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું કહ્યું
ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો અને પાકિસ્તાન વતી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સાંસદ ચન્નીના નિવેદનો પર સમગ્ર કોંગ્રેસ કાર્યકારી સમિતિ પર સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીનું વર્તન ભારતના હિતમાં નહીં પરંતુ પાકિસ્તાનના હિતમાં છે. ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, “બહારથી તે CWC છે પણ અંદરથી તે PWC (પાકિસ્તાન કાર્યકારી સમિતિ) બની ગઈ છે. સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે પુલવામા હુમલા પછી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર કથિત રીતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે શું પુરાવા છે કે ભારતીય સેનાએ સર્જિકલ…
જયરાજસિંહ જાડેજાએ કેમ કહ્યું, ‘તો… મારી જાહેર જીવન છોડવાની તૈયારી !’, જાણો શું છે મામલો
આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે જમીન પચાવવાના આરોપને લઈને કહ્યું હતું કે, એકપણ પાટીદારની જમીન તેમણે પડાવી નથી અને જો પડાવી હોય તો મારી જાહેર જીવન છોડવાની તૈયારી છે. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઇને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહિને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ…
પહેલગામ આતંકી હુમલા અંગે કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, સરકાર પાસે કરી આ માંગ
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને તેને “ક્રૂર” અને “કાયર” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવા એ અત્યંત પીડાદાયક અને આઘાતજનક છે. તેમણે આ હિંસાને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો અને કહ્યું કે આખા દેશે એક થઈને આવી શક્તિઓ સામે ઉભા રહેવું પડશે. સોનિયા ગાંધીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ એવા પરિવારોનું દુઃખ સમજે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી. સોનિયા ગાંધીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે આતંકવાદ સામે લડવા માટે ફક્ત કડક શબ્દો કરતાં વધુ વ્યૂહાત્મક પગલાં લેવાની જરૂર છે. તેમણે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને જમ્મુ અને કાશ્મીરમાં…
વિસાવદરની પેટા ચૂંટણીમાં જામશે ચાર પાંખિયો જંગ ! શંકરસિંહ વાઘેલાએ શરૂ કરી તૈયારી
ગુજરાતમાં કડી અને વિસાવદરની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસે આપ સાથે ગઠબંધન વગર લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ વિસાવદર પર ફોકસ વધારી રહ્યા છે. વિસાવદરની પેટા ચુંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે શંકરસિંહ વાઘેલાની પ્રજા ડેમોક્રેટિક પાર્ટીએ પણ તૈયરીઑ શરૂ કરી દીધી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે વિસાવદરના કાર્યકર્તાઑને સંબોધન કરશે અને પેટા ચૂંટણીની તૈયારીઑ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટયું લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળ્યું હતું. પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…
ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત
ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે. વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં…
નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરિવાર સામે મની લોન્ડરિંગ અને મિલકત હડપ કરવાના ગંભીર આરોપો, જાણો શું છે આખો મામલો?
નેશનલ હેરાલ્ડ કેસ એક હાઇ-પ્રોફાઇલ કાનૂની વિવાદ છે જેમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ઘણા લોકો પર મની લોન્ડરિંગ, છેતરપિંડી અને સંપત્તિના દુરુપયોગનો આરોપ છે. આ મામલો એક બંધ અખબાર અને તેની સાથે સંકળાયેલી મિલકતોને લઈને શરૂ થયો હતો, જેણે હવે રાજકીય રંગ લઈ લીધો છે. નેશનલ હેરાલ્ડ અને એજેએલનો ઇતિહાસ:- નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના ૧૯૩૮માં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. આ અખબાર સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર બન્યું. તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેની સ્થાપના1963માં થઈ હતી. AJL પાસે દિલ્હી, મુંબઈ, લખનૌ અને અન્ય શહેરોમાં ઘણી અત્યંત મોંઘી મિલકતો હતી, જે તેને સરકારી છૂટછાટો પર મળી હતી. સમય…
ઠાકરશી રબારીની અટકાયતને લઈ ગરમાયુ રાજકારણ, યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત થતાં ખળભળાટ મચ્યો છે. રાજસ્થાન પોલીસે અફિણ કેસમાં થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી. જેને લઈને યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન રાજસ્થાનમાં અફિણ મામલે કોંગ્રેસના નેતાની ધરપકડ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યુ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન મુદ્દે કર્યા પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુજરાત…
કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીને મળી શકે છે મહત્વનું પદ, પાર્ટીમાં આ ચર્ચાઓએ પકડયું જોર
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને કેરળના વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધીને એક મોટું પદ આપવાનું વિચારી રહી છે. સૂત્રોનું માનીએ તો, પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતે પાર્ટીના જિલ્લા પ્રમુખોને સશક્ત બનાવવા અને તેમને જવાબદારી સોંપવાના પાયલોટ પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી હતી. કોંગ્રેસ પાર્ટી આ પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂ કરશે, જો તે સફળ થશે તો તેનો અમલ અન્ય રાજ્યોમાં પણ કરવામાં આવશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવા સહિતના ઘણા વિકલ્પો પર પાર્ટીમાં ચર્ચા થઈ રહી છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રિયંકા ગાંધી વાડ્રા હાલમાં પાર્ટીના મહાસચિવ છે, પરંતુ તેમની પાસે હજુ સુધી કોઈ કાર્યભાર નથી. તે પડદા પાછળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેનું ઉદાહરણ ગુજરાતમાં જિલ્લા પ્રમુખોને…















