Rahul Gandhiની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી . “H Files” નામથી કરવાં આવેલ આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગોટાળાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ બિહારમાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાનના પ્રથમ તબક્કાના થોડા દિવસો પહેલા આવી છે. અગાઉ, કોંગ્રેસે તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સને “હાઇડ્રોજન બોમ્બ લોડિંગ” ગણાવી હતી.

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં એક યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. આ તસવીર સાથે 22 જગ્યાએ અલગ અલગ નામથી મતદાન કરવાના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ યુવતીએ ક્યારેક સીમાના નામથી તો ક્યારેક સરસ્વતીના નામથી 22 મત આપ્યા. રાહુલ ગાંધીએ પૂછ્યું કે હરિયાણાની મતદાર યાદીમાં આ બ્રાઝિલિયન મહિલા શું કરી રહી છે. હરિયાણામાં પાંચ તબક્કામાં 25 લાખ મત ચોરાઈ ગયા. તેમણે તબક્કાવાર આંકડા પણ આપ્યા અને કહ્યું કે 5 લાખ 21 હજારથી વધુ ડુપ્લિકેટ મતદારો મળી આવ્યા છે. હરિયાણામાં કુલ 2 કરોડ મતદારો છે. 25 લાખ મત ચોરાઈ ગયા એટલે કે દર આઠ મતદારોમાંથી એક નકલી હતો. આ કારણે કોંગ્રેસ હારી ગઈ.

ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલો
હરિયાણા ચૂંટણી પરિણામોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું, “બધા એક્ઝિટ પોલ્સ કોંગ્રેસને આગળ બતાવી રહ્યા હતા. પોસ્ટલ બેલેટના પરિણામોમાં, કોંગ્રેસ 73 બેઠકો પર આગળ હતી. હરિયાણા અને કર્ણાટકમાં મત ચોરી થઈ. હું 100% સત્ય કહી રહ્યો છું.” રાહુલ ગાંધીએ કહ્યું, “હરિયાણામાં કોંગ્રેસ માત્ર 22779 મતોથી હારી ગઈ. હું ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા બંને પર સીધો સવાલ ઉઠાવી રહ્યો છું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…