Rahul Gandhiની બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મત ચોરીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી . “H Files” નામથી કરવાં આવેલ આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગોટાળાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ બિહારમાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાનના પ્રથમ તબક્કાના થોડા દિવસો પહેલા આવી છે. અગાઉ, કોંગ્રેસે તેના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સને “હાઇડ્રોજન બોમ્બ લોડિંગ” ગણાવી હતી.

રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં એક યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. આ તસવીર સાથે 22 જગ્યાએ અલગ અલગ નામથી મતદાન કરવાના આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ યુવતીએ ક્યારેક સીમાના નામથી તો ક્યારેક સરસ્વતીના નામથી 22 મત આપ્યા. રાહુલ ગાંધીએ પૂછ્યું કે હરિયાણાની મતદાર યાદીમાં આ બ્રાઝિલિયન મહિલા શું કરી રહી છે. હરિયાણામાં પાંચ તબક્કામાં 25 લાખ મત ચોરાઈ ગયા. તેમણે તબક્કાવાર આંકડા પણ આપ્યા અને કહ્યું કે 5 લાખ 21 હજારથી વધુ ડુપ્લિકેટ મતદારો મળી આવ્યા છે. હરિયાણામાં કુલ 2 કરોડ મતદારો છે. 25 લાખ મત ચોરાઈ ગયા એટલે કે દર આઠ મતદારોમાંથી એક નકલી હતો. આ કારણે કોંગ્રેસ હારી ગઈ.

ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલો
હરિયાણા ચૂંટણી પરિણામોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું, “બધા એક્ઝિટ પોલ્સ કોંગ્રેસને આગળ બતાવી રહ્યા હતા. પોસ્ટલ બેલેટના પરિણામોમાં, કોંગ્રેસ 73 બેઠકો પર આગળ હતી. હરિયાણા અને કર્ણાટકમાં મત ચોરી થઈ. હું 100% સત્ય કહી રહ્યો છું.” રાહુલ ગાંધીએ કહ્યું, “હરિયાણામાં કોંગ્રેસ માત્ર 22779 મતોથી હારી ગઈ. હું ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા બંને પર સીધો સવાલ ઉઠાવી રહ્યો છું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર આતંકી મોહમ્મદ લતીફ ભટ સામે સુરક્ષા એજન્સીઓનો સિકંજો, શ્રીનગરમાં ‘વોન્ટેડ’ પોસ્ટરો

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા અભિયાનને વધુ તીવ્ર બનાવતાં ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલી લક્ષિત હત્યાઓમાં તેની સંડોવણી હોવાની શંકા છે. આ કેસમાં એક પોલીસ જવાન અને બે પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શ્રીનગર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને પ્રેસ એન્ક્લેવ સહિતના વિસ્તારોમાં મોહમ્મદ લતીફ ભટના ફોટોગ્રાફ સાથે ‘વોન્ટેડ’ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઓળખ અંગે માહિતી આપવામાં આવી…