અમદાવાદમાં યુવકને માર મારવા મામલે ખુલાસો, યુવક માનસિક અસ્થિર હોવાનું આવ્યું સામે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો લાકડીના ડંડા વડે મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. લોકોએ યુવકને ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો. જેના બાદ યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો. યુવકની હકીકત સામે આવતા મહીલાઓએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તપાસમાં થયો ખુલાસો:- શાહિબાગ પોલીસની તપાસમાં સિવિલ હોસ્પિટલના વાયરલ થયેલ વિડિયોને લઇને નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં યુવક કેમ આવું વર્તન કરતો હોવાની સમગ્ર હકીકત સામે આવી. યુવક માનસિક અસ્થિર હોવાના કારણે જાતે જ કપડા કાઢી નાખી નગ્ન થયો હતો. યુવકના પરિચિત એક શખ્સે યુવકમાં થયેલ આ બદલાવનું કારણ આપ્તા જણાવ્યું કે બાળક જન્મતાની સાથે જ 3 વખત મૃત્યુ પામ્યા હોવાથી તે ભાંગી પડ્યો. ત્રણ-ત્રણ વખત સંતાન ગુમાવતા યુવકની…
સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી ઝડપાયો, કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે કરી ધરપકડ
સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી છે. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને અપહરણ અને પોક્સોના ગુનામાં સજા ફટકારવામાં આવી હતી. લાજપોર જેલમાં બંધ આરોપી કલ્પેશ ગલસાણીયા ફર્લો રજા ઉપર મુક્ત થયો હતો. ત્યાર બાદ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો. પોલીસને મળી સફળતા:- પોલીસની યાદીમાં જેલમાંથી ફરાર થયેલ માથાભારે ગુંડો કલ્પેશનું મોખરે હતું. પોલીસે આવા જેલની સજા બાદ ફરાર થઈ ગયા હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ગોડદારામાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ગોડાદરાનો શોપિંગ સેન્ટર પર રેડ પાડી આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કરી છે. આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ…
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. –>તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી:- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા. તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. –> શું છે સમગ્ર…
ગૌહત્યાના કેસમાં આરોપીને સજા, હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌ રક્ષાને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, અમે ગૌ રક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી. પરંતુ ગૌ રક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણપણે ચરિતાર્થ પણ કરીએ છીએ. આજે સોશિયલ મીડિયામાં મૂકેલ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ શેખ મોશિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી છે.’ –> હર્ષ સંઘવીએ પોસ્ટ કરી શેર:- ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા માટેનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને કાયદાનો અમલ અમારી સરકાર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં આ ત્રીજો ચુકાદો છે. અમારી સરકારે…
અમદાવાદનાં વેજલપુરમાં ત્રિપલ તલાકની ફરિયાદ, મહિલાએ બાળકોની ટયુશન ફી માંગતા પતિએ તોડ્યો સંબંધ
અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે. મુસ્લિમ મહિલાને સાવ મામૂલી બાબતમાં પતિએ તલાક આપતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલાકની ફરિયાદ નોંધાઈ છે. વેજલપુરમાં રહેતી મુસ્લિમ મહિલાએ તેના પતિ પાસેથી બાળકોની ટયુશન ફી ભરવા પૈસા માંગ્યા હતા. મહિલાએ પૈસા માંગતા પતિ માર મારવા લાગ્યો હતો. આટલેથી ના અટકી આ મુસ્લિમ શખ્સે તેની પત્નીને ત્રણ વાર તલાક..તલાક..તલાક.. કહી તલાક આપ્યો હતો. ત્યાર બાદ મુસ્લિમ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. –> સાવ મામૂલી બાબતમાં અપાયો તલાક:- પીડિત મહિલાનું કહેવું છે કે, તેની પાસે કમાણીનું કોઈ સાધન નથી. બાળકો અને તેમનું ભરણપોષણ પતિની આવકમાંથી જ થાય છે. અને એટલે જ બાળકોના અભ્યાસ માટે પતિ પાસે પૈસાની માગણી કરી હતી. આજના સમયમાં બાળકોના શાળાકીય અભ્યાસ ઉપરાંત ટયુશન પણ…
ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો
ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. –: આરોપી પોલીસ સકંજામાં :- પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ…
ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, પોલીસે NC ગુનો અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાયો
ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર જાટ એને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. જેમાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરી છે. આ તરફ આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ હવે પોલીસ દ્વારા આ કેસમાં અજાણ્યા શખ્સ સામે NC ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર લાકડી…
આયેશા ટાકિયાના પતિ વિરુદ્ધ કેસ નોંધાયો: ગોવામાં ‘રોડ રેજ’ના આરોપમાં પકડાયો; અભિનેત્રીએ કહ્યું- ‘અમારી સાથે ખરાબ વર્તન થયું, મારી પાસે પુરાવા
‘વોન્ટેડ’ છોકરી તરીકે પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાના પતિ ફરહાન આઝમી વિરુદ્ધ ગોવામાં કેસ નોંધવામાં આવ્યો છે. સોમવારે (૩ માર્ચ) ગોવા પોલીસે ફરહાન વિરુદ્ધ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને રોડ રેજના આરોપસર ગુનો નોંધ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પર ગોવાના કેન્ડોલિમ વિસ્તારમાં બેફામ વાહન ચલાવવાનો અને પછી રસ્તા પર સ્થાનિક લોકો સાથે ઝપાઝપી કરવાનો આરોપ છે. હવે આયેશાએ આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આયેશા ટાકિયાએ પોતાનું મૌન તોડ્યું :- આયેશા ટાકિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક નોંધો શેર કરી છે અને જણાવ્યું છે કે ગોવામાં તેના પરિવાર સાથે એક ડરામણી ઘટના બની હતી અને તેના પુત્ર અને પતિ સાથે ક્રૂર રીતે ધમકીઓ આપવામાં આવી હતી અને…
પુષ્પા 2 સ્ટેમ્પેડ કેસ: અલ્લુ અર્જુન પર મુશ્કેલીના વાદળો ઘેરાયા, આ દિવસે કોર્ટમાં થશે આગામી સુનાવણી
પુષ્પા 2 સ્ટેમ્પેડ કેસ: અલ્લુ અર્જુન પર મુશ્કેલીના વાદળો ઘેરાયા, આ દિવસે કોર્ટમાં થશે આગામી સુનાવણી અભિનેતા અલ્લુ અર્જુનની જામીન અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ અરજી 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગની ઘટનાથી સંબંધિત છે, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું હતું. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય 3 જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો છે. -> શું છે સમગ્ર મામલો? :- 4 ડિસેમ્બરે, તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ “પુષ્પા 2: ધ રૂલ” ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. અભિનેતાની એક ઝલક જોવા માટે હજારો ચાહકો થિયેટરમાં ઉમટી પડ્યા હતા. જ્યારે અલ્લુ અર્જુન પોતાની કારમાંથી બહાર આવ્યો અને ચાહકોનું અભિવાદન…
દિલ્હીના L.Gએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની EDને મંજુરી આપી
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. EDનો આરોપ છે કે અરવિંદ કેજરીવાલે 100 કરોડ રૂપિયાની લાંચ લઈને અનુચિત લાભ આપ્યા હતા. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ આ આરોપોને ફગાવી દીધા હતા. તેણે કહ્યું હતું કે બે વર્ષની તપાસમાં એક પૈસો પણ વસૂલવામાં આવ્યો નથી. -> લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે એક નિવેદન બહાર પાડ્યું :- લેફ્ટનન્ટ ગવર્નર ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એક્સાઇઝ પોલિસી કેસમાં AAPના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મંજૂરી આપી દીધી…
















