Iran-United States પરમાણુ વાટાઘાટો જીનીવામાં અનિર્ણિત; હોર્મુઝ સ્ટ્રેટમાં લશ્કરી તણાવ વધ્યો
ઈરાન અને અમેરિકાની વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે યોજાયેલ નવી મંત્રણા સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં ત્રણ કલાક સુધી ચાલી, પરંતુ કોઈ ઠોસ પરિણામ પર પહોંચ્યા વગર સમાપ્ત થઈ. બંને દેશો વચ્ચેનો આ બીજો રાઉન્ડ હતો, જે પશ્ચિમ એશિયામાં વધતા લશ્કરી તણાવની વચ્ચે યોજાયો હતો. વાટાઘાટો દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ફાયરિંગ કવાયત હાથ ધરી અને મિસાઈલો છોડીને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું. પર્સિયન ખાડી અને ઓમાન ખાડી વચ્ચે આવેલો હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20 ટકા તેલ પરિવહન માટે મહત્વપૂર્ણ જળમાર્ગ માનવામાં આવે છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવેલી આ કવાયતને અમેરિકાની વધતી લશ્કરી હાજરી સામેની ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકાએ પણ આ વિસ્તારમાં બે વિમાનવાહક જહાજો તૈનાત કર્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની છે.…
રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: મંત્રીઈશ્વરસિંહ પટેલ
રાજકોટ : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ 115 ગામના 3,48,842 નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત રૂ. 20,332.28 લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પસવી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના વિશે માહિતી આપતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 12 જૂથ યોજનાઓ…
ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનસેવાના બે મહત્વપૂર્ણ પ્રકલ્પો – અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “રક્તદાન કરો, જીવન બચાવો” ના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. અમિત શાહની સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ મોબાઇલ બ્લડ કલેક્શન વાન આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ છે. આ વાન દ્વારા શહેરના છેવાડાના અને વંચિત વિસ્તારોમાં જઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શકાશે. જેના કારણે રક્ત એકત્રીકરણની પ્રક્રિયા સરળ બનશે અને ઈમરજન્સી સમયે લોહીની જરૂરિયાતને ઝડપથી પૂરી કરી શકાશે. બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેતા, હોસ્પિટલને (નિયોનેટલ) વેન્ટિલેટરનું પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર અત્યંત ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને…
CBSE બોર્ડ એક્ઝામ 2026: 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરીથી આપશે પરીક્ષા, જાણો વિગત
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે. આ વર્ષે 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે. CBSEએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેઓને ખોટા સમાચાર અને ગેરમાર્ગે દોરતી માહિતીથી સાવધ રહેવાની સલાહ આપી છે. વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સૂચના પણ આપવામાં આવી છે. ધોરણ 10 અને 12 માટે પરીક્ષા વિગતો *ધોરણ 10: કુલ 2,508,319 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે (પુરુષ: 1,408,546, સ્ત્રી: 1,099,773). – પરીક્ષામાં 83 વિષયો આવરી લેવામાં આવ્યા છે. – કુલ 8,075 પરીક્ષા કેન્દ્રો સ્થાપિત. *ધોરણ 12: કુલ 1,859,551 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે (પુરુષ: 1,027,552, સ્ત્રી: 831,999). – પરીક્ષા 120 વિષયો માટે લેવામાં આવશે.…
તારિક રહેમાન બનશે બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રી, મોહમ્મદ યુનુસે શપથ પહેલા રાજીનામું આપ્યું
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે નવી સરકાર સત્તા સંભાળે તે પહેલાં રાજીનામું આપી દીધું છે. યુનસે મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી અને વિદાય સંબોધનમાં આ જાહેરાત કરી. મંગળવાર બાંગ્લાદેશ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે બીએનપી પ્રમુખ તારિક રહેમાન વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ કરાવશે. ભારતીય પ્રતીનિધિ તરીકે ઓમ બિરલા શપથ સમારોહમાં ભાગ લેશે. બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીમાં વિજયી થયા બાદ, બીએનપીના અધ્યક્ષ તારિક રહેમાન મંગળવારે નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પરંપરાગત બંગભવનની જગ્યાએ રાષ્ટ્રીય સંસદના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ન્યૂઝક્લિક સામે ED ની કાર્યવાહી, ફટકારી 184 કરોડની પેનલ્ટી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ન્યૂઝક્લિક અને તેના એડિટર ઇન ચીફ પ્રબીર પુરકાયસ્થ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ 184 કરોડ રૂપિયાની નોટિસ જારી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી વિદેશી મુદ્રા નિયમોના ઉલ્લંઘનને લઈને કરવામાં આવી છે. આદેશ મુજબ, ન્યૂઝક્લિક સ્ટૂડિયો પ્રાઇવેટ લિમિટેડ પર 120 કરોડ અને મુખ્ય સંપાદક પ્રબીર પુરકાયસ્થ પર 64 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની આ કાર્યવાહી, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ફંડ સંબંધિત ખોટી માહિતી આપી હોવા અને સેવાઓ કે નિકાસની ખોટી જાહેરાત કરવા બદલ કરવામાં આવી છે. ન્યૂઝક્લિકે હજુ સુધી આ મામલે પ્રતિક્રિયા આપેલી નથી. ED એ આ કેસમાં પહેલું પગલું સપ્ટેમ્બર 2021માં લીધું હતું. તે સમયે, ન્યૂઝક્લિકના ન્યૂ દિલ્હી ઓફિસ પર દરોડા કરવામાં આવ્યા અને મુખ્ય સંપાદક રાકેશ કાયસ્થ…
ગંગા સ્વરૂપા આર્થિક સહાય’યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે
રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. 14 થી…
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલ
પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો આજે ગૌરવસભર પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે. રાજ્યપાલએ જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન કરાયું, જે સંસ્કૃતિના ગૌરવ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતિક છે. જાન્યુઆરી 9 થી 15 દરમિયાન યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરક સાન્નિધ્યમાં સંસ્કૃતિની આરાધના કરવામાં આવી હતી. સરદાર વલ્લભ પટેલ તથા ભગવાન…
15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે પૂર્વ સદસ્યોને શ્રદ્ધાંજલિ, સભાગૃહે બે મિનિટનું મૌન પાળ્યું
15મી ગુજરાત વિધાનસભાના આઠમાં સત્રના પ્રથમ દિવસે તા. 16 ફેબ્રુઆરી, સોમવારે વિધાન ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક દર્શક ઉલ્લેખોમાં વિધાનસભાના દિવંગત પૂર્વ સદસ્યશ્રીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભાના પૂર્વ દિવંગત સદસ્યો પૂર્વ મંત્રી સ્વ. મનસુખ છગનલાલ જોષી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રીસ્વ. મોહંમદ ગુલામમોહયુદીન સુરતી તથા પૂર્વ સભ્યો સ્વ. ધીરજલાલ ફુલા રીબડીયા, સ્વ. અમરસિંહ રામસિંહ વસાવા, સ્વ. વજુ પરમા ડોડિયા અને સ્વ. બાવનજી હંસરાજમેતલિયાના અવસાન અંગેના શોકદર્શક ઉલ્લેખો ગૃહમાં રજુ થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૌ દિવંગત પૂર્વ જનપ્રતિનિધિઓની કર્તવ્યપરાયણતા અને પ્રજાકીય પ્રશ્નો- રજૂઆતોને વાચા આપી તેના નિવારણ માટેની સક્રિયતાની સરાહના કરી હતી. તેમણે દિવંગત પૂર્વ સભ્યશ્રીઓના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરીને તેમના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર…
વડોદરા અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દ્વારા કરાઈ તાત્કાલીક કાર્યવાહી
વડોદરા અને અમદાવાદમાં કેટલાક શાળાઓને ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરામાં 3 સ્કૂલોને અને અમદાવાદમાં 4 સ્કૂલોને ધમકી મળતાં પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યા અને સુરક્ષા પગલાં કડક કરવામાં આવ્યા. અમદાવાદની સ્કૂલોને મળી બોમ્બની ધમકી અમળેટમ માહિતી મુજબ, નીચેની સ્કૂલોને ઈ-મેલ દ્વારા બોમ્બ ધમકી આપવામાં આવી હતી: – DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા – એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર – A વન સ્કૂલ, સેટેલાઇટ ધમકી મળતા જ, સ્કૂલો ખાલી કરાવવામાં આવી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરક્ષાની દૃષ્ટિએ ત્રણેય સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી. વડોદરાની સ્કૂલો ખાલી કરાવી – ડી.આર.અમિન – ઉર્મિ સ્કૂલ અને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ – નાલંદા સ્કૂલ ખાસ કરીને ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી…
















