પાકિસ્તાનમાં ફરી રાજકીય સંકટના સંકેત? મોહસીન નકવીના નિવેદનોથી વધ્યો સત્તા પરિવર્તનનો ચર્ચા
પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની છે. ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીના તાજેતરના નિવેદનો બાદ દેશમાં સત્તા પરિવર્તન અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નકવીએ દેશની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નકવીના આ નિવેદનો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે કે પછી દેશની સત્તા વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનમાં નકવીએ સરકાર અને સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ પાકિસ્તાન આર્થિક સમિટ દરમિયાન ગૃહમંત્રી મોહસીન નકવીએ દેશની હાલની વહીવટી વ્યવસ્થા અંગે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જૂની શાસન પદ્ધતિમાં અનેક ખામીઓ છે અને તેને…
બોગસ પાસપોર્ટ કેસમાં છોટા રાજનને 7 વર્ષની જેલ: ચેન્નાઈ CBI કોર્ટે ફટકાર્યો દંડ
બોગસ પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન તરીકે ઓળખાતા છોટા રાજનને ચેન્નાઈની CBI કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે તેના પર રૂ. 55 હજારનો દંડ પણ લગાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાલમાં છોટા રાજન દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે અગાઉના એક ગંભીર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. બોગસ પાસપોર્ટ કેસમાં આવેલી નવી સજાને તેની સામેના કાનૂની મામલાઓમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. ખોટી ઓળખના આધારે પાસપોર્ટ મેળવવાનો આરોપ CBI તપાસમાં ખુલાસો થયો હતો કે છોટા રાજને ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિએ પોતાનું…
ભારે વરસાદ અને આકાશી વીજળીથી કેવી રીતે બચશો?, નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ
ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ આકાશી વીજળીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની જાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતોએ નાગરિકો, ખેડૂતો અને પશુપાલકો માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સમયસર ચેતવણી અને યોગ્ય સાવચેતી અપનાવવામાં આવે તો મોટાભાગની દુર્ઘટનાઓને ટાળી શકાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આકાશી વીજળી અને ભારે વરસાદ દરમિયાન સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. ભારત સરકારની સત્તાવાર Damini App મોબાઇલમાં ડાઉનલોડ કરીને વીજળી અંગે અગાઉથી ચેતવણી મેળવી શકાય છે. ઉપરાંત કોઈપણ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ સેવા અને 1070 અથવા 1077 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વરસાદમાં ઘરની અંદર હોવ…
ચોમાસુ સત્ર પહેલા લોકસભા સ્પીકરે બોલાવી BACની બેઠક, જનહિતના મુદ્દાઓ પર ચર્ચા; તમામ પક્ષોને સહયોગની અપીલ
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ તેજ બની ગઈ છે. સત્ર પહેલા રવિવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બિઝનેસ એડવાઇઝરી કમિટી BACની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને આગામી સત્ર દરમિયાન ગૃહમાં ચર્ચા માટેના મહત્વના મુદ્દાઓ તેમજ કાયદાકીય કાર્યો અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ચલાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદમાં રચનાત્મક ચર્ચા અને અર્થપૂર્ણ ભાગીદારી દ્વારા જ જનહિતના મુદ્દાઓનો યોગ્ય ઉકેલ લાવી શકાય છે. જનહિતના મુદ્દાઓ પર ચર્ચાના સૂચનો બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સરકાર અને વિપક્ષ બંને તરફથી સભ્યોએ આગામી સત્રમાં હાથ ધરાનારા કાનૂની…
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક 22 જુલાઈએ મળશે, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા
અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક 22 જુલાઈએ યોજાવાની છે. સાંજે 4 વાગ્યે યોજાનારી આ બેઠકમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠક દરમિયાન રામ મંદિરના ચઢાવા (દાન) સાથે જોડાયેલા કથિત ગેરરીતિના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નો અંતિમ અહેવાલ ઉપલબ્ધ હશે તો તેના પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ ટ્રસ્ટની વિવિધ સમિતિઓની પુનઃરચના અને અગાઉની બેઠકોની કાર્યવાહીને મંજૂરી આપવાનો મુદ્દો પણ એજન્ડામાં સામેલ છે. તાજેતરમાં રામ મંદિરના દાનમાં કથિત ચોરીના આરોપો સામે આવ્યા બાદ ટ્રસ્ટની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. આ ઘટનાએ દેશભરમાં ચર્ચા જગાવી હતી અને મંદિરના સંચાલનને વધુ પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ચઢાવાની ગેરરીતિ બાદ SITની તપાસ અયોધ્યાના રામ મંદિરમાં દેશ-વિદેશમાંથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ…
ઈરાનથી ખાડી દેશોમાં તણાવ, UAE પર મિસાઇલ હુમલાની આશંકાથી એલર્ટ
મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ અનુસાર, ઈરાને સાઉદી અરેબિયા અને ઓમાનને સંકેત આપ્યા છે કે તે સંયુક્ત આરબ અમીરાત UAEને મોટા પાયે નિશાન બનાવવાની તૈયારીમાં છે. અહેવાલમાં આગામી 24 કલાકમાં UAE પર મિસાઇલ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ દાવાની ઈરાન અથવા UAE તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ સમાચાર બાદ ખાડી દેશોમાં સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. મિડલ ઈસ્ટમાં પહેલેથી જ ચાલી રહેલા તણાવ વચ્ચે નવા હુમલાની આશંકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધારી છે. અમેરિકાએ જાહેર કર્યું ગ્લોબલ સિક્યોરિટી એલર્ટ મિડલ ઈસ્ટની બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાના વિદેશ વિભાગે ગ્લોબલ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાએ પોતાના…
સોનમ વાંગચુક આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે, પત્નીએ મૂકી બે શરતો
લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણમાં જવાબદારી અને સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાની ખાતરી આપશે, તો સોનમ વાંગચુક આવતીકાલે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે. ગીતાંજલિ આંગ્મોએ જણાવ્યું કે નેતાઓએ હોસ્પિટલમાં જઈને સોનમ વાંગચુકને રૂબરૂ મળીને વિશ્વાસ આપવો પડશે કે તેઓ સંસદમાં આ મુદ્દાઓને પ્રાથમિકતા આપશે. આવી ખાતરી મળ્યા બાદ જ તેઓ પોતાની ભૂખ હડતાળનો અંત લાવશે. સમર્થકોને શાંતિપૂર્ણ વિરોધનું આહ્વાન 20 જુલાઈએ યોજાનારી “સંસદ ચલો” માર્ચ પહેલા ગીતાંજલિ આંગ્મોએ જંતર-મંતર પર હાજર સમર્થકોને સોનમ વાંગચુકનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ અથવા…
અમદાવાદ: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, ફાયર અને AMCના અધિકારીઓનો સમાવેશ નહીં
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં માત્ર પોલીસ અધિકારીઓને જ સ્થાન અપાતા અનેક સવાલો ઊભા થયા છે. શનિવારે (18 જુલાઈ) મહેમદપુરા વિસ્તારમાં આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા. દુર્ઘટના બાદ તંત્રે કાર્યવાહી કરતાં ફેક્ટરીનું જેસીબીથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે જ આસપાસ પરવાનગી વિના ચાલતી અન્ય બે ફેક્ટરીઓને પણ સીલ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે SITની રચના કરી છે. પોલીસ અધિકારીઓની SIT આ સમગ્ર ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. ટીમમાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ સંબંધિત એસીપી અને ડીસીપી સહિત…
















