વિકસિત ગુજરાત 2026′ વિઝન સાથે રાજ્ય વિકાસની નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે

વિકસિત ગુજરાત 2026′ વિઝન સાથે રાજ્ય વિકાસની નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત વિકાસ, સુશાસન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. **’વિકસિત ગુજરાત 2026’**ના વિઝન સાથે રાજ્ય સરકાર ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ટેક્નોલોજી અને રોજગાર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઝડપી ગતિએ કામ કરી રહી છે. આ અભિગમનો મુખ્ય હેતુ રાજ્યને વધુ સમૃદ્ધ, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાતમાં એક્સપ્રેસ-વે, નવા હાઈવે, મેટ્રો, એરપોર્ટ, બંદરો અને સ્માર્ટ સિટી જેવા અનેક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો વિકાસ થયો છે. આ સાથે ઔદ્યોગિક રોકાણ, MSME સેક્ટરને પ્રોત્સાહન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. શિક્ષણ ક્ષેત્રમાં આધુનિક શાળાઓ, ડિજિટલ ક્લાસરૂમ, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ…

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, ઉમેદવારો માટે મોટું અપડેટ!

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર, હોલ ટિકિટ અંગે મહત્વપૂર્ણ અપડેટ ગુજરાતમાં શિક્ષક બનવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટિચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ – હાયર સેકન્ડરી (TAT-HS) મુખ્ય પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પરીક્ષા માટે લાયક ઉમેદવારો હવે પોતાની તૈયારીને અંતિમ તબક્કે પહોંચાડી શકે છે. પરીક્ષા આયોજન કરનાર સત્તાધિકારીઓએ ઉમેદવારોને સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અને તેમાં દર્શાવેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસવાની સલાહ આપી છે. હોલ ટિકિટમાં ઉમેદવારનું નામ, પરીક્ષા કેન્દ્ર, પરીક્ષાનો સમય, બેઠક નંબર અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. ઉમેદવારો પરીક્ષા પહેલા સત્તાવાર વેબસાઇટ પરથી પોતાની એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા કેન્દ્ર પર હોલ ટિકિટ સાથે માન્ય ફોટો ઓળખપત્ર લઈ જવું ફરજિયાત રહેશે.…

☔ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદનું જોર, હવામાન વિભાગની વધુ વરસાદની આગાહી.

હવામાન અપડેટ: ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, આગામી બે દિવસ પણ વરસાદી માહોલની આગાહી   ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે જામ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન છૂટાછવાયા થી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત…

અમેરિકાએ ભારતીય સામાન પર લાગતા ટેરિફમાં કર્યો ઘટાડો, જાણો વિગત

અંતે, અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારત પ્રત્યે નરમ રવૈયો અપનાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતથી આવનારા માલ પર લાગતા આયાત શુલ્ક (ટેરિફ)ને 25% પરથી ઘટાડીને 18% કરી દીધો છે. આ નિર્ણય બંને નેતાઓ વચ્ચે થયેલી ફોન વાતચીત પછી લેવામાં આવ્યો છે. હવે ભારત અને અમેરિકા વચ્ચે માત્ર 18% ટેરિફ લાગશે. જોકે, સમય સાથે આ ટેરિફ દરમાં વધુ ઘટાડાની શક્યતા છે. આખરે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં પ્રત્યે નરમ વલણ અપનાવ્યુ છે. હવે ભારત અને અમેરિકા વચ્ચે માત્ર 18% ટૅરિફ રહેશે. જોકે, સમયની સાથે ટૅરિફ દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. ટ્રમ્પ અને વડામંત્રી મોદી એ મુદ્દે મહત્વપૂર્ણ સમજૂતી પર પહોંચવાની પણ વાત કરી છે.અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે ટેરિફને 18% થી ઘટાડી…

‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે, જાણો વિગત

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે પ્રથમવાર ગુજરાતના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ”નું આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે સુરત ખાતે આગામી તા. 9 અને 10 એપ્રિલ-2026ના રોજ દક્ષિણ ગુજરાત ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’નું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વગેરે બહુ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના બીજા દિવસે એટલે કે, તા. 10 એપ્રિલ, 2026ના રોજ ‘MSME…

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, હિન્દી સિનેમાના એક યુગનો અંત

બોલીવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે.   આ સમાચારથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.  અમિતાભ બચ્ચન સહીત અભિનેતાઓ વિલે પાર્લે સ્મશાન પહોંચ્યા છે. થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેલેબ્સ તેમના સ્વાસ્થ્ય અંગે ખૂબ ચિંતિત થઈ ગયા. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને અભિનેતા ગોવિંદાએ તેમના ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં “શોલે”, “ચુપકે ચુપકે”, “સીતા ઔર ગીતા” અને “ધરમ વીર” જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. ધર્મેન્દ્ર તાજેતરમાં “રોકી ઔર રાની કી પ્રેમ કહાની”…

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકી અહમદ સૈયદ પર કેદીઓનો હુમલો, જાણો વિગત

અડાલજમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓને રિમાન્ડ પૂરા થતા ગઈકાલે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતાં. આજે જેલમાં દિલદહોળી દે તેવી ઘટના બની હતી. ત્રણ પૈકીના આતંકી અહમદ સૈયદ પર કેટલાક કેદીઓ ભેગા થઈને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અહમદ સૈયદને મ્હોં અને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત એટીએસ અને રાણીપ પોલીસે તાત્કાલિક સેન્ટ્રલ જેલનો દોટ્યો કર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત આતંકી અહમદ સૈયદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેનું સારવાર કાર્ય પૂર્ણ કર્યું હતું. સારવાર બાદ તેને ફરી સેન્ટ્રલ જેલમાં પરત મોકલવામાં આવ્યો છે. હુમલો કોણે અને કેમ કર્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અહમદ સૈયદે પણ હુમલાખોરો અંગે કોઈ માહિતી…

ચીનના નૌકાદળમાં એશિયાનો સૌથી મોટો એરક્રાફ્ટ કેરિયર ‘ફુજિયાન’ સામેલ, CATOBAR ટેક્નોલોજી સાથે સજ્જ

ચીનએ શુક્રવારે તેના નૌકાદળમાં સૌથી અદ્યતન અને વિશાળ એરક્રાફ્ટ કેરિયર CNS ફુજિયાન (Fujian)ને ઔપચારિક રીતે સામેલ કર્યું છે. આ યુદ્ધજહાજ માત્ર એશિયામાં સૌથી મોટું જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી મોટું પરંપરાગત (બિન-પરમાણુ) એરક્રાફ્ટ કેરિયર પણ ગણાય છે. ફુજિયાનની લંબાઈ ૩૧૬ મીટર છે અને તેનું વજન આશરે 80,000–85,000 ટન છે. આ જહાજ સંપૂર્ણપણે ચીનના સ્વદેશી ડિઝાઇન અને નિર્માણ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ફુજિયાનની વિશેષતા તેની CATOBAR (કેટાપોલ્ટ આસિસ્ટેડ ટેક-ઓફ બટ એરેસ્ટેડ રિકવરી) ટેક્નોલોજી છે, જે યુએસ નેવીના સુપરકેરિયર્સમાં વપરાતી સમાન છે. આ ટેક્નોલોજી જહાજ એરક્રાફ્ટને ઝડપથી અને કાર્યક્ષમ રીતે લોન્ચ કરી શકે છે. તાજેતરમાં ફુજિયાનથી J-15T ફાઇટર, સ્ટીલ્થ J-35 અને KJ-600 એરબોર્ન પ્રારંભિક ચેતવણી વિમાનનું સફળ પ્રક્ષેપણ પણ કરવામાં આવ્યું છે. વિશ્વાસુ વિશ્લેષકોના મતે, ફુજિયાન દક્ષિણ…

અમરેલી : જાફરાબાદ દરિયામાં ઈજાગ્રસ્ત ખલાસીનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન, જાણો વિગત

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદરથી આશરે 60 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં એક ખલાસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હલચલ મચી ગઈ. કોસ્ટ ગાર્ડની સમયસરની કામગીરીને કારણે ખલાસીનો જીવ બચી ગયો. મળતી માહિતી અનુસાર, ‘મહેશ્વરી સાગર’ નામની માછીમારી બોટમાં કાર્યરત ખલાસી ભીખુ નારણભાઈ દરિયાની વચ્ચે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બોટ પરથી તાત્કાલિક મદદની માગણી થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ એક્શનમાં આવી હતી. કોસ્ટ ગાર્ડની ટીમે ઝડપી પ્રતિસાદ આપતાં 30 નોટિકલ માઇલના અંતરે પહોંચીને ખલાસીને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યો હતો. દરિયાની ઉગ્ર લહેરો અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે કોસ્ટ ગાર્ડના જવાનોની કુશળ કામગીરી પ્રશંસનીય રહી હતી. રેસ્ક્યૂ બાદ ઈજાગ્રસ્ત ખલાસીને તરત જ બોટમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ દરિયા કિનારે ખસેડી વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ…

ટ્રમ્પના ટેરિફ કેસ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં થઇ ઐતિહાસિક સુનાવણી, જાણો વિગત

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વિવાદાસ્પદ ટેરિફ્સ હવે યુએસના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટમાં આજે યોજાયેલી આ ઐતિહાસિક સુનાવણી અમેરિકન બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ વચ્ચેની આર્થિક સત્તાઓના સંતુલનને પુનઃપરિભાષિત કરી શકે છે. આ કેસ 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ ટ્રમ્પે લાદેલા ટેરિફ્સને લઈને છે. આ કાયદો રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન આર્થિક પગલાં લેવાની મંજૂરી આપે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પે તેની મર્યાદા લાંઘી? ન્યાયાધીશોના કડક પ્રશ્નો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટ્સ અને અન્ય ન્યાયાધીશો દ્વારા સરકારના વકીલોને કડક પ્રશ્નો પૂછવામાં આવ્યા. રોબર્ટ્સે પૂછ્યું — “શું રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના ટેરિફ લાદી શકે છે, જ્યારે કરવેરાની સત્તા સ્પષ્ટ રીતે કોંગ્રેસને આપવામાં આવી છે?”…