સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું, રાષ્ટ્રપતિએ તાત્કાલિક અસરથી સ્વીકાર્યું

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ રવનીત સિંહ બિટ્ટુનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ નિર્ણય ભારતીય બંધારણની કલમ 75(2) હેઠળ લેવામાં આવ્યો છે. રવનીત સિંહ બિટ્ટુ કેન્દ્રીય મંત્રીપરિષદમાં રેલવે રાજ્યમંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના રાજીનામા બાદ હવે કેન્દ્ર સરકારમાં મંત્રીમંડળના ફેરફાર અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ રવનીત સિંહ બિટ્ટુનું કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી રાજીનામું સ્વીકારી લીધું છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. બંધારણની જોગવાઈઓ…

બંગાળ વિધાનસભામાં મોટો હોબાળો, TMC ધારાસભ્યને માર્શલોએ બહાર કાઢ્યા

ભાષણ દરમિયાન વેલમાં પહોંચ્યા TMC કુણાલ ઘોષ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બુધવારે ભારે હંગામો જોવા મળ્યો હતો. ગૃહની કાર્યવાહી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય કુણાલ ઘોષને માર્શલો દ્વારા બહાર કાઢવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, TMCના બળવાખોર ધારાસભ્ય અખરુજ્જમાં ગૃહમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે કુણાલ ઘોષ અચાનક વેલમાં પહોંચી ગયા હતા. તેમણે અખરુજ્જમાના ભાષણ દરમિયાન અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગૃહમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. અધ્યક્ષની અપીલ બાદ પણ સ્થિતિ ન સુધરી ગૃહમાં વધી રહેલા હોબાળા વચ્ચે વિધાનસભા અધ્યક્ષે કુણાલ ઘોષને પોતાની બેઠક પર પાછા ફરવા માટે વારંવાર અપીલ કરી હતી. જોકે, કુણાલ ઘોષ વેલમાંથી હટ્યા ન હતા. સ્થિતિ વધુ વણસતા વિધાનસભા અધ્યક્ષે માર્શલોને…

ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠન મજબૂત કરવાની કવાયત: 42 જિલ્લા-મહાનગર અને 7 મોરચાના પ્રભારીની નિમણૂક

ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ તેમજ 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર માંથી બહાર પડેલા નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલની નિમણુંક કરવામાં આવી છે. સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રભારીને પોતાના…

દેશમાં રાજનીતિનું તોફાન | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

દિલ્હી AI સમિટમાં રાજનીતિનું તોફાન કોંગ્રેસ કાર્યકરોની ટી-શર્ટથી હંગામો આંતરરાષ્ટ્રીય મંચ પર વિરોધ પ્રદર્શન દેશની છબી ખરાબ કરવાનો ભાજપનો આરોપ યુવા મોરચા દેશભરમાં આક્રમક ગુજરાતમાં કોંગ્રેસના પૂતળા દહન AI સમિટમાં ટેકનોલોજીથી રાજનીતિ તરફ વળાંક લોકશાહીનો અવાજ કે શરમજનક પ્રદર્શન? વિરોધના નામે દેશનું અપમાન? કોંગ્રેસના પગલાં પર ભાજપનો પ્રહાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી પર પ્રશ્ન ટેકનોલોજી મંચને રાજનીતિનો અખાડો બનાવાયો દેશભરમાં ગરમાયું રાજકીય વાતાવરણ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

‘રાહુલ ગાંધીને ઘરમાં ઘુસીને ગોળી મારી દેશું’ – ધમકી આપનારની રાજસ્થાનથી ધરપકડ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 કોંગ્રેસ સાંસદોને ઘરમાં ઘુસીને ગોળી મારી દેવાની ધમકી આપનાર એક વ્યક્તિની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ કોટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપીનું નામ રાજ સિંહ અમેરા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં તે પોતાને કરણી સેના અને Bharatiya Janata Party (ભાજપ) કાર્યકર તરીકે રજૂ કરે છે અને કોંગ્રેસ સાંસદો તથા રાહુલ ગાંધી સામે ઉશ્કેરણીજનક ભાષા વાપરે છે. ધમકીમાં શું કહ્યું? વાયરલ વીડિયોમાં રાજ સિંહ અમેરિકાએ આરોપ મૂક્યો કે કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષ Om Birlaનું અપમાન કર્યું હતું. તેણે કહ્યું કે જો આવી ઘટના ફરી બનશે તો તેઓ સાંસદોના ઘરમાં ઘુસીને હુમલો કરશે. વીડિયોમાં તેણે રાહુલ ગાંધીને સીધી ગોળી મારી દેવાની ધમકી…

ગુજરાત કેબિનેટની બેઠક યોજાશે આવતી કાલે : PM મોદીના ગુજરાત પ્રવાસ અને સ્થાનિક ચૂંટણીની તૈયારી મુદ્દે ચર્ચા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ, રાજ્ય સરકારના આયોજનો, નીતિગત વિષયો અને બજેટ પર ચર્ચા થવાની સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી સહિતના મુદ્દાઓ પણ ચર્ચા માટે લાવવામાં આવશે. PM મોદી સાણંદ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. તેઓ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં ભાજપ સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન કરશે. મુલાકાત ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનું ગુજરાત પ્રવાસ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન…

ગાંધીનગર: મુખ્યમંત્રી નિવાસ પર અમિત શાહની ડિનર ડિપ્લોમસીથી રાજકારણમાં ગરમાવો

ગુજરાતમાં સાવળું રાજકીય વાતાવરણ છે, જ્યાં રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠન કાર્ય અને ફેરફારો પર કામ થઈ રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગુજરાત પ્રવાસે રાજ્યની રાજકારણમાં એક નવી ચમક દાખલ કરી છે. અમિત શાહના પ્રવેશ સાથે આજે સાંજના સમયે ગુજરાતના મુખ્યમંત્રી નિવાસ પર યોજાયેલ ડિનર ડિપ્લોમસી ચર્ચાનો વિષય બની ગયો છે. અમીત શાહની ઉપસ્થિતિમાં ડિનર  આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ એ અહીં ઉપસ્થિત થઈને મહત્વપૂર્ણ રાજકીય ચર્ચાઓ કરી. આ સાંજના ભોજન સમારંભમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સંગઠનના મહામંત્રી રત્નાકર સહિતના સભ્યો પણ હાજર રહ્યા હતા. ચૂંટણી પૂર્વેનું આ મહત્વપૂર્ણ સંકેત આ ડિનર ડિપ્લોમસીમાં ચર્ચાઓનું કેન્દ્ર સ્થાનિક સ્વરાજ્યની…

ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે

તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને વિકાસ મુદ્દાઓ પર સંવાદ સાધ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે શહેરી વિકાસને એક તક તરીકે અપનાવી સર્વાંગી પ્રગતિના નવા આયામો સર કર્યા છે. સુવ્યવસ્થિત શહેર આયોજન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો કેન્દ્રિત શાસન ગુજરાતના વિકાસ મોડેલના મુખ્ય આધારસ્તંભો છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ કેરળના લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં વિકાસકાર્યો આગળ વધારવા માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ પ્રવાસ ‘વિકસિત કેરળ’ના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કેરળના પ્રતિનિધિઓએ…

રાજકોટમાં ભાજપનું નવું માળખું જાહેર, ડો. માધવ દવેને શહેર પ્રમુખ બનાવાયા

રાજકોટ શહેર ભાજપના કાર્યાલયે નવી ટીમની જાહેરાત કરી છે. શહેર પ્રમુખ તરીકે ડો. માધવ દવે નિયુક્ત થયા છે. નવા માળખામાં યુવા અને અનુભવી ચહેરાઓનો સમન્વય કરવામાં આવ્યો છે. આ ટીમમાં કુલ 8 ઉપપ્રમુખો, 3 મહામંત્રીઓ અને 8 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. મુખ્ય હોદ્દેદારો: – ઉપપ્રમુખ: મેહુલભાઈ ડી. નથવાણી, મહેશભાઈ એલ. પીપરીયા, ભાર્ગવભાઈ વી. મિયાત્રા, દીપાબેન વી. કાચા, કેતનભાઈ જી. વાછાણી, કૌશિકભાઈ આર. ચાવડા, સોમાભાઈ આર. ભાલીયા, મેઘાબેન કે. વૈષ્ણવ – મહામંત્રી: વલ્લભભાઈ પી. દુધાગ્રા, લલિતભાઈ જે. વાડોલીયા, યોગેન્દ્રસિંહ જી. જાડેજા – મંત્રી: કિશનભાઈ જે. ટીલવા, ગેલાભાઈ બી. રબારી, સુનિલભાઈ કે. ગોહેલ-SC, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન કે. ચૌહાણ, ચાંદનીબેન ડી. ગોંડલીયા, નિશાબેન એન. રાણપરા, અરુણાબેન એચ. પરમાર-SC – કોષાધ્યક્ષ: મયુરભાઈ બી. શાહ – કાર્યાલય મંત્રી: હિતેશભાઈ એસ.…