કિડની સ્વસ્થ રાખનારા ચમત્કારી ડ્રિંક્સ, નિયમિત પીવાથી પથરીનો ખતરો ઘટે
આજની બદલાતી જીવનશૈલી, ખોટી ખાનપાનની આદતો અને પાણી ઓછું પીવાની ટેવના કારણે કિડની સંબંધિત સમસ્યાઓ વધી રહી છે. ખાસ કરીને કિડનીમાં પથરી થવાની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો ડોક્ટરની સલાહ વગર વિટામિન અને સપ્લિમેન્ટ્સ લે છે, જે ફાયદા કરતાં નુકસાન વધારે કરી શકે છે અને ક્યારેક કિડનીમાં પથરીનું જોખમ પણ વધારી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વારંવાર કિડનીમાં પથરી થવાનું મુખ્ય કારણ અપૂરતું પાણી પીવું, પૌષ્ટિક આહારનો અભાવ, ઊંઘની કમી અને બેસી રહેવાની જીવનશૈલી છે. દવાઓની સાથે કેટલાક ઘરેલુ અને કુદરતી પીણાં નિયમિત રીતે લેવાથી કિડનીને સ્વસ્થ રાખી શકાય છે. કિડની માટે લાભદાયી ચમત્કારી ડ્રિંક્સ – લીંબુનો રસ લીંબુનો રસ કિડની માટે અત્યંત લાભદાયી છે. તેમાં રહેલું સાઇટ્રેટ કેલ્શિયમ ઓક્સાલેટ પથરી બનતા અટકાવે…
ઝારખંડથી કેરળ જતી ટ્રેનમાં આગની ઘટના, એક મુસાફરનું મોત
આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં ઝારખંડના ટાટાથી કેરળના એર્નાકુલમ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે વિભાગે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી, જે બાદ બે કોચ આગની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નીપજ્યું હોવાનું રેલવેએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારીઓ અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી. આ ઘટના બાદ ટ્રેન સેવાઓ પર પણ થોડો સમય અસર પડી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital…
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર, અનેક વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પહાડી વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. લદ્દાખના દ્રાસમાં તાપમાન માઈનસ 14.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે. રવિવારે સવારે પંજાબ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા 50 મીટરથી પણ ઓછી રહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડા પવનોએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીથી લઈને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ સુધી લોકોને પરેશાન કર્યા છે. આસામના ગુવાહાટીમાં પણ ઠંડીની અસર જોવા મળી છે, જ્યારે આંદામાન અને…
‘યુક્રેન યુદ્ધ મુલતવી રાખવામાં આવ્યું છે, કોઈ સમયમર્યાદા નથી’: ઝેલેન્સકી સાથે બેઠક બાદ ટ્રમ્પનું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકનો મુખ્ય હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને આગળ વધારવાનો હતો. બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે યુક્રેન યુદ્ધને અટકાવવા માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે, પરંતુ હાલમાં કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે જો સહમતિ ન બને તો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. પુતિન સાથે પણ કરી હતી વાતચીત ટ્રમ્પે ખુલાસો કર્યો કે ઝેલેન્સકી સાથે મુલાકાત કરતા થોડા કલાકો પહેલા તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી હતી. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પુતિન શાંતિ માટે ગંભીર છે અને યુક્રેનની સુરક્ષા માટે એક…
ટીમ ઈન્ડિયાની શ્રીલંકા સામે ચોથી T20Iમાં શાનદાર જીત, બોલિંગ લાઇન પ્રસંશનીય
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચમાં 30 રનથી શ્રેષ્ઠ જીત મેળવી. ચમારી અટાપટ્ટુએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું, અને ભારતીય બેટ્સમેનોએ 20 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા. ભારતીય બેટિંગમાં શેફાલી વર્મા 79 રન સાથે શાનદાર રહી, જ્યારે સ્મૃતિ મંધાના 80 રનના પ્રભાવશાળી ઇનિંગથી ટીમને મજબૂત સ્કોર પર પહોંચાડવામાં મદદ મળી. વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે 16 બોલમાં 40 રન બનાવી ટીમની ઝડપથી રન બનાવવાની ક્ષમતા બતાવી. શ્રીલંકા માટે માલશા શેહાનીએ બેસ્ટ બોલિંગ કરીને 1 વિકેટ મેળવી. ભારતની બોલિંગમાં વૈષ્ણવી શર્મા અને અરુંધતી રેડ્ડીએ 2-2 વિકેટ લઇ મેચને ભારતની તરફ દોરી. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 37 બોલમાં 52 રન બનાવી, જ્યારે હસિની પરેરા 33 રન સાથે ટોચે…
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: NCP નું જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન, અનેક નેતાઓએ આપ્યું રાજીનામું
બાંગ્લાદેશ: નવી બનેલી નેશનલ સિટિજન્સ પાર્ટી (NCP) આગામી સામાન્ય ચૂંટણી માટે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ગઠબંધનમાં શામેલ થઈ રહી છે. આ ગઠબંધનનું ઔપચારીક એલાન જમાત-એ-ઈસ્લામના અમીર શફીકુર રહેમાએ કર્યું છે, જેની માહિતી બાંગ્લાદેશી મીડિયામાં પ્રગટાવવામાં આવી છે. NCPની શરૂઆત આ વર્ષે કરવામાં આવી હતી અને આ પાર્ટી વિદ્યાર્થીઓના નેતૃત્વે શરૂ કરવામાં આવી હતી, જેમણે પહેલા શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલનો ચલાવ્યો હતો. તેમ છતાં, ઈસ્લામિક પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય કેટલાક મોટા નેતાઓને નારાજ કરી રહ્યો છે. ખાસ કરીને મહિલા નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કરતાં રાજીનામા આપવાનું શરૂ કર્યું છે. પાર્ટી પ્રમુખ ડો. તસનીમ જારા હવે NCP છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. નવા ગઠબંધનના નિર્ણય બાદ કેન્દ્રિય સમિતિના ઘણા નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય કર્યો…
ધારાસભ્ય યોગેશ પટેલને મળી ડિજિટલ એરેસ્ટની ધમકી, પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીએ કરી ઝડપી કાર્યવાહી
સાયબર ઠગો હવે નેતાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મોબાઈલ પર ફોન કરીને એક સાયબર ઠગે ખોટી ધમકી આપી અને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઠગે જણાવ્યું કે “તમને નોટિસ મોકલવામાં આવી છે” અને કાયદાકીય કાર્યવાહી તેમજ ધરપકડ જેવી ધમકી આપી. ફોનની શંકા જતાં ધારાસભ્ય યોગેશ પટેલે પોલીસ કમિશનર અને ગૃહ મંત્રીને તરત જ સમગ્ર મામલે જાણ કરી હતી. પોલિસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર મુદ્દો સાયબર ઠગે ધારાસભ્ય યોગેશ પટેલને ફોન કરી કહ્યું કે તે મુંબઈથી બોલી રહ્યો છે અને તેમને નોટિસ મોકલવામાં આવી છે. ઠગે ડરનો માહોલ ઊભો કરીને દબાણ વધારવાનો પ્રયાસ કર્યો, જેથી ધારાસભ્ય તેમની માંગણીઓ સ્વીકારી લે. પણ યોગેશ પટેલે…
રાશિફળ/29 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થયી શકે છે. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે -જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે. તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં. નવી બાબતો શીખવાની…
અંક જ્યોતિષ/29 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…















