જાપાનને પાછળ છોડી ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું
સરકારે તાજેતરમાં જ પ્રસિદ્ધ કરેલા આર્થિક સમીક્ષા રિપોર્ટ અનુસાર, ભારતે જાપાનને પાછળ છોડી, કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)ના આધારે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. સરકારના જણાવ્યા મુજબ, ભારતની GDP લગભગ 4.18 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી છે. આ સાથે ભારત અમેરિકા, ચીન અને જર્મની પછી વૈશ્વિક આર્થિક ક્રમમાં ચોથા ક્રમે આવી ગયું છે. આ આંકડાઓની અંતિમ પુષ્ટિ આંતરરાષ્ટ્રીય નાણાકોષ (IMF) 2026ની પ્રથમ છમાસિકમાં કરશે. છેલ્લા દસ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થાનો કદ લગભગ દોગણો થયો છે. મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ અર્થતંત્રમાં થયેલા સુધારાઓએ વૃદ્ધિને મજબૂત આધાર આપ્યો છે. वित્ત વર્ષ 2025–26ની બીજી ત્રિમાસિકમાં GDP વૃદ્ધિ દર 8.2% નોંધાઈ, જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. મજબૂત ઘરેલુ માંગ, ઉપભોક્તા ખર્ચ, રોકાણમાં વધારો…
દીપ્તિ શર્માએ T20I ક્રિકેટમાં બનાવ્યો વિશ્વ રેકોર્ડ, જાણો વિગત
શ્રીલંકા સામેની પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝની અંતિમ મેચમાં ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું. દીપ્તિ શર્માએ આ મેચમાં એક વિકેટ લીધી, જેનાથી તેણે મહિલા T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. રેકોર્ડ તોડી: મેગન શૂટ પાછળ દીપ્તિ શર્માએ 30 ડિસેમ્બર, મંગળવારના રોજ પોતાના T20I કરિયરમાં 152મી વિકેટ લીધી. આ સાથે તેમણે ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ બોલર મેગન શૂટ (151 વિકેટ)ને પાછળ છોડી દીધી. આ રેકોર્ડ નોંધાવામાં તેમનું પ્રદર્શન શ્રીલંકા સામે 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લેવા સાથે પૂરું થયું. મહિલા T20I માં સૌથી વધુ વિકેટો 152 – દીપ્તિ શર્મા (ભારત)* 151 – મેઘન શૂટ (ઓસ્ટ્રેલિયા) 144 – નિદા ડાર (પાકિસ્તાન) 144 – હેનરિયેટ ઈશિમવે (રવાન્ડા) 142 – સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ)…
રાશિફળ/31 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ…
અંક જ્યોતિષ/31 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
Surat : પક્ષી અથડાવાના કારણે ફ્લાઇટમાં વિલંબ, મુસાફરોને 12 કલાક સુધી રાહ જોવી પડી
સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-1227 સાથે સુરત એરપોર્ટ પર પક્ષી અથડાતા ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પક્ષી અથડાવાને કારણે વિમાનના એન્જિન અથવા પાંખના ભાગે નુકસાનની શક્યતા જોવા મળી, જેના લીધે ટેકનિકલ ટીમે તરત તપાસ હાથ ધરી. મૂલ્યાંકન પછી સલામતીને ધ્યાનમાં રાખીને ફ્લાઇટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી, જેનાથી નિર્ધારિત ઉડ્ડયનમાં મોટો વિલંબ થયો. મુસાફરોમાં ભારે હાલાકી ફ્લાઇટમાં કુલ 133 મુસાફરો સવાર હતા. પ્લેન ગ્રાઉન્ડેડ થતા મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડ્યા અને અંદાજે 12 કલાક સુધી રાહ જોવાઈ. એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો. બીજું પ્લેન મોકલાયું પરિસ્થિતિને સુલજાવવા માટે એરલાઇન્સે જયપુરથી સુરત જતી બીજી ફ્લાઇટને ડાયવર્ટ કરીને સુરત મોકલી. આ વૈકલ્પિક વિમાન રાત્રે 7:45 વાગ્યે સુરત પહોંચ્યું. તમામ…
TET-1 પરીક્ષાની આન્સર કી જાહેર, ઉમેદવારો 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે
રાજ્યમાં ગત 21 ડિસેમ્બરે લેવાયેલી TET-1 પરીક્ષાની આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ 9 દિવસ પછી આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેને લઈને ઉમેદવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી OMR આધારિત આન્સર કી ઉમેદવારો www.sebexam.org વેબસાઈટ પર 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે. નોંધનીય છે કે અન્ય સરકારી પરીક્ષાઓમાં સામાન્ય રીતે પરીક્ષા બાદ બીજા દિવસે જ આન્સર કી જાહેર કરવામાં આવે છે, ત્યારે TETના ઉમેદવારો લાંબા સમયથી આન્સર કી ઝડપથી જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. આ માંગને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. 38 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા TET-1 પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી.…
બિશ્નોઈ ગેંગના સાગરીત પર SMCનું ફાયરિંગ, આસામથી પકડાયેલા આરોપીએ પોલીસ પર હુમલો કરતા કાર્યવાહી
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કુખ્યાત બિશ્નોઈ ગેંગના સાગરીત અને લિકર માફિયા અશોક બિશ્નોઈ પર ફાયરિંગ કર્યું છે. દાહોદ નજીક બનેલી આ ઘટનામાં આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના જવાબમાં SMC ટીમે સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. આસામથી પકડાયો હતો આરોપી લિકર કિંગ તરીકે ઓળખાતા અશોક બિશ્નોઈને SMCની ટીમે આસામમાંથી ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ નજીક તેણે ફિલ્મી ઢબે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સીટ બેલ્ટથી પોલીસકર્મી પર હુમલો આરોપીએ ચાલતી ગાડીમાં અચાનક હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીની સીટ બેલ્ટ વડે પોલીસકર્મીના ગળે ફાંસો મારી દેવાનો પ્રયાસ કર્યો,…
ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો
ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં તેમના વિદાય સમારંભની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિકાસ સહાય 1989 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. મૂળરૂપે તેઓ 30 જૂને નિવૃત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો સત્તાવાર વિદાય સમારંભ યોજાશે, જેમાં તમામ પોલીસકર્મીઓને વરધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નવા DGPને લઈને અટકળો તેજ વિકાસ સહાયને ફરી એક્સ્ટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિદાય સમારંભની જાહેરાત થતાં…
સુરેન્દ્રનગરમાં પોલીસ પર છરીથી હુમલો કરતા સ્વબચાવમાં PSIએ આરોપીના પગમાં મારી ગોળી
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કાર્યવાહી દરમિયાન ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મારામારીના એક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા PSIએ સ્વબચાવમાં તેના પગમાં ગોળી મારી હતી. મળતી માહિતી મુજબ, દેવરાજ બોરાણા નામના આરોપીને પોલીસ દ્વારા મારામારીના કેસમાં પકડવામાં આવ્યો હતો. બાદમાં શિયાણી ગામે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે પોલીસ આરોપીને સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ અચાનક છરી કાઢીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસકર્મી ઈજાગ્રસ્ત આરોપીના હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ફરજ પર હાજર PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. આરોપી સારવાર હેઠળ, તપાસ ચાલુ ઘટના બાદ આરોપી દેવરાજ બોરાણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે…















