શિયાળામાં પપૈયા ખાવા જોઈએ કે નહીં?, જાણો અહીં
શિયાળાની ઋતુમાં લોકો સામાન્ય રીતે ગરમ ખોરાક તરફ વધુ વળે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે પપૈયા જેવી ઠંડક આપતી ફળ શિયાળામાં ખાવું યોગ્ય છે કે નહીં. આ અંગે દિલ્હીની GTB હોસ્પિટલના ભૂતપૂર્વ ડાયેટિશિયન ડૉ. અનામિકા ગૌર મહત્વપૂર્ણ માહિતી આપે છે. પપૈયામાં ઠંડકની અસર ડૉ. જણાવે છે કે પપૈયામાં ઠંડકની અસર હોવા છતાં તેને કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે. શિયાળો હોય કે ઉનાળો, પપૈયાના આરોગ્ય લાભો એકસરખા જ રહે છે. તેથી શિયાળામાં પપૈયા ખાવામાં કોઈ નુકસાન નથી. શિયાળામાં પપૈયા ખાવાના ફાયદા ડાયેટિશિયન અનુસાર, પપૈયામાં રહેલા પ્રાકૃતિક એન્ઝાઇમ્સ પાચન સુધારવામાં મદદ કરે છે. શિયાળામાં શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાને કારણે કબજિયાતની સમસ્યા વધી શકે છે, જેમાં પપૈયું ખૂબ અસરકારક સાબિત થાય છે. તે આંતરડાં…
શું ટ્રમ્પ વેનેઝુએલા પર ‘આક્રમણ’ બદલ કાનૂની મુશ્કેલીમાં? રુબિયો કોંગ્રેસને બાયપાસ કરીને આપી રહ્યા છે સ્પષ્ટતા
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાનૂની અને રાજકીય વિવાદોમાં ફસાતા દેખાઈ રહ્યા છે. અમેરિકાની આ કાર્યવાહીને લઈને માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રની અંદર પણ મતભેદ ઉભા થયા છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ આ કાર્યવાહી અંગે કોંગ્રેસને બાયપાસ કરીને સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ટ્રમ્પના એ દાવાથી અંતર રાખ્યું કે અમેરિકા વેનેઝુએલાને “ચાલશે”. રુબિયોએ કહ્યું કે અમેરિકા કોઈ દેશ ચલાવી રહ્યું નથી, પરંતુ “ભવિષ્યની દિશા પર અસર કરી રહ્યું છે”. આક્રમણ કે કાયદા અમલીકરણ? મુખ્ય પ્રશ્ન એ છે કે શું વેનેઝુએલામાં થયેલી કાર્યવાહી લશ્કરી આક્રમણ હતી અને શું તેને યુએસ કોંગ્રેસની મંજૂરી જરૂરી હતી. રુબિયોએ દાવો કર્યો કે આ ન તો આક્રમણ હતું અને ન તો લાંબા…
પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન સહિતના દેશોને અમેરિકામાં સહાય, ટ્રમ્પની યાદીમાં ભારત નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એવા દેશોની યાદી જાહેર કરી છે, જેમના નાગરિકોને અમેરિકા ખાતે સરકારી અને કલ્યાણકારી સહાય મળે છે. આ યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન અને નેપાળ જેવા દેશોનો સમાવેશ થાય છે, પરંતુ ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ટ્રમ્પે આ માહિતી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. યાદીનું શીર્ષક હતું “મૂળ દેશ મુજબ ઇમિગ્રન્ટ કલ્યાણ પ્રાપ્તકર્તા દર”, જેમાં આશરે 120 દેશો અને પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડેટા દર્શાવે છે કે અમેરિકામાં રહેતા કયા દેશોના કેટલા ટકા ઇમિગ્રન્ટ પરિવારો સરકારી સહાય મેળવે છે. કયા દેશોને કેટલી સહાય? યાદી મુજબ, – બાંગ્લાદેશના 54.8 ટકા ઇમિગ્રન્ટ પરિવારોને સહાય મળે છે – યુક્રેનના 42.7 ટકા – પાકિસ્તાનના 40.2 ટકા – નેપાળના 34.8 ટકા –…
ગાંધીનગરમાં ટાઈફોઈડના 113 કેસ, આરોગ્ય વિભાગ સક્રિય
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના 113 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમામાંથી 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ અને 29 અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા 20,800 થી વધુ ઘરોમાં તપાસ ચાલુ છે. ટાઈફોઈડનાં કેશો વધતા પગલાં: શહેરના સેક્ટર 24, 26 અને 28માં 67 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થયું. મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યું છે. પાણીના ક્લોરીનેશન અને પાણી પાઈપલાઇનની લીકેજ દૂર કરવા માટે તપાસ ચાલુ છે. મુખ્યમંત્રીની સમીક્ષા: પ્રદૂષિત પાણી અને ખોરાકના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રોગચાળાને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવા…
અમિત શાહનો હૂંકાર: DMK સરકાર છે ‘ભારતમાં સૌથી ભ્રષ્ટ’, એપ્રિલ 2026માં NDA સરકાર બનશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પુડુક્કોટ્ટાઈમાં જાહેર સભામાં DMK સરકાર પર પ્રહાર કર્યો અને દાવો કર્યો કે તમિલનાડુમાં હાલમાં સરકાર “ભારતમાં સૌથી ભ્રષ્ટ” છે. શાહે કહ્યું કે એપ્રિલ 2026માં NDA સરકાર તમિલનાડુમાં સત્તામાં આવશે. DMK દરેક મોરચે નિષ્ફળ: શાહે જણાવ્યુ કે DMK સરકાર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે ભાજપ, AIADMK અને અન્ય પાર્ટીઓ સાથે મજબૂત જોડાણ બનાવીને આગામી ચૂંટણીમાં સ્ટાલિન સરકારને અંતિમ લડાઈ આપશે. શાહે કહ્યું કે લોકોએ સ્ટાલિન સરકારથી કંટાળીને રાજ્યમાં મોટા ફેરફાર માટે તૈયારી કરી છે. વંશવાદી રાજકારણ પર હુમલો: અમિત શાહે સ્ટાલિન સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા પર સરકાર નિષ્ફળ રહી છે અને DMKનું મુખ્ય ઉદ્દેશ ઉદયનિધિ સ્ટાલિનને આગામી મુખ્યમંત્રી બનાવવાનું છે. તેમણે કહ્યું, “તમિલનાડુમાં…
અંક જ્યોતિષ/04 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/05 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. વિદેશ માં પડેલી તમારી ભૂમિ આજ ના દિવસે સારી કિંમત માં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે.…
મુંબઈના સિંગર હાર્દિલ પંડયા પર અમદાવાદમાં જીવલેણ હુમલો, મોઢામાં ટાંકા અને કાનના પડદા ફાટ્યા
અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડયા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખને કારણે થયો હોવાનું કહેવાય છે. હાર્દિલને આ હુમલામાં મોઢાના ભાગે ટાંકા લાગ્યા છે અને કાનનો પડદો ફાટી ગયો, જેના કારણે તેઓ આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. બીજી તરફ, શ્યામ સિધાવતની પત્નીએ પણ હાર્દિલ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલ્યા હોવાના આરોપમાં ફરિયાદ નોંધાવી છે. હાર્દિલે આપેલી વિગતો હાર્દિલ પંડયાએ જણાવ્યું કે, “એક વર્ષ પહેલાં મેં મારા મિત્રને એક સોંગ આપ્યો હતો. તે સોંગમાં મને યોગ્ય ક્રેડિટ ન મળવાને કારણે મેં લીગલ નોટિસ મોકલી…
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની યુએઈ અને શ્રીલંકાની મુલાકાત, સેનાત્મક સંબંધ મજબૂત કરવા યાત્રા
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સંયુક્ત આરબ અમીરાત (UAE) અને શ્રીલંકાની મુલાકાતે છે. આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતના મિત્ર દેશો સાથે સંરક્ષણ સહયોગ અને લશ્કરી સંબંધોને મજબૂત બનાવવાનો છે. મુલાકાત દરમિયાન જનરલ દ્વિવેદી વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ સાથે બેઠક, ગાર્ડ ઓફ ઓનર, લશ્કરી સ્થાપનોની મુલાકાત અને અધિકારીઓને સંબોધન કરશે. યુએઈની મુલાકાત જનરલ દ્વિવેદી 5-6 જાન્યુઆરી 2026 દરમિયાન UAEમાં કાર્યક્રમો સાથે હાજર રહેશે. આગમન પર, તેમને UAE સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ દરમિયાન તેઓ UAE આર્મીના કમાન્ડર અને વરિષ્ઠ નેતૃત્વ સાથે બેઠક કરશે, લશ્કરી રચના, ભૂમિકાઓ અને ક્ષમતાઓ અંગે બ્રીફિંગ મેળવશે. તેઓ મુખ્ય લશ્કરી સ્થાપનોની મુલાકાત લેશે અને અધિકારીઓ તેમજ સૈનિકો સાથે વાતચીત કરશે. UAE નેશનલ ડિફેન્સ કોલેજની મુલાકાત પણ કાર્યક્રમમાં શામેલ છે, જ્યાં તેઓ…
ગુજરાતના ખેડૂત ખાતેદારો માટે રાહતભર્યા સમાચાર, જમીન રિ-સર્વે ક્ષતિ સુધારવા સમય મર્યાદામાં વધારો
ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં રિ-સર્વે રેકોર્ડનું પ્રમોલગેશન થયા બાદ અનેક ખેડૂતો દ્વારા ખાતા નંબર, ક્ષેત્રફળ, હદબંધી, માલિકીના નામો સહિતની વિગતોમાં ભૂલો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોને આવી વહીવટી અને ટેક્નિકલ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય અનુસાર હવે ખેડૂત ખાતેદારો 31 ડિસેમ્બર 2026 સુધી રિ-સર્વે બાદની ક્ષતિઓ સુધારવા અરજી કરી શકશે. અગાઉની સમય મર્યાદા પૂર્ણ થવાના કારણે અનેક ખેડૂતો અરજી કરી શક્યા નહોતા, પરંતુ હવે તેમને પૂરતો સમય મળતાં મોટી રાહત મળી છે. આ નિર્ણયથી ખાસ…















