ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક બાળક બોરવેલમાં પડ્યું, ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આજે એક બાળક બોરવેલ જેવા ખાડામાં પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરવેલ ટાઈપના ખાડામાં બાળક અચાનક ખાબકી ગયું હતું. ફાયર ટીમે ઝડપથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટના ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આશરે છ મહિના અગાઉ સેક્ટર-1ના ચ-0 વિસ્તારમાં નવા બગીચાના કામ દરમિયાન ખાડામાં પડી જતાં એક…

સુરત કોર્ટમાં બોમ્બ હોવાની ધમકીથી હડકંપ, સમગ્ર પરિસર ખાલી કરાવી સર્ચ ઓપરેશન શરૂ

સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ધમકી મળતા સમગ્ર કાયદાકીય તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે હડકંપ મચી ગયો છે. ધમકી મળતા જ સુરત કોર્ટમાં તાત્કાલિક સાવચેતીની કાર્યવાહી શરૂ કરી દેવાઇ હતી. જાણકારી મુજબ, એક અનામી ફોન કોલ દ્વારા પોલીસને જણાવાયું કે કોર્ટ સંકુલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. આ જાણકારી પ્રાપ્ત થતાં જ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી. કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ, કોર્ટ સંકુલના તમામ વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. વકીલો અને અરજદારો માટે કોર્ટમાં પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો, જેના કારણે કાયદાકીય પ્રક્રિયાઓ ઠપ્પ થઈ ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ ઘટનાની ગંભીરતા અને ફાટકથી એ…

હરિદ્વાર અર્ધ કુંભ: 105 ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી

ઉત્તરાખંડ સરકાર 2027ના અર્ધ કુંભ મેળાને ધ્યાનમાં રાખીને હરિદ્વારના ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ માટે કડક નિયમો પર વિચાર કરી રહી છે. 105 ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનો અને હરિદ્વાર-ઋષિકેશને સનાતન પવિત્ર શહેરો તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ તાજેતરમાં ચર્ચા માટે મૂકાયો છે. ભીડ નિયંત્રણ અને પવિત્રતા જાળવવી કેબિનેટના સભ્ય અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એ વાતના સંકેત આપ્યા છે કે 2027ના અર્ધ કુંભ મેળા પહેલા આ નિયમો અમલમાં આવી શકે છે. તેઓએ જણાવ્યું કે, “હરિદ્વાર એ પવિત્ર શહેર છે, અને સરકાર તેની ધાર્મિક અને સાંસ્કૃતિક ઊંચાઇ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.” 105 ઘાટ પર અનિવાર્ય પગલાં પ્રસ્તાવ મુજબ, હરિદ્વારના આશરે 120 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 105 ઘાટ પર બિન-હિન્દુઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ…

પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન

પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે પુણેમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સુરેશ કલમાડીના નશ્વર દેહને બપોરે 2:00 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ વિવાદથી ચર્ચામાં સુરેશ કલમાડીનું નામ 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસને કારણે ખાસ ચર્ચામાં આવ્યું હતું. ગેમ્સના આયોજન અને કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી નાણાકીય અનિયમિતતાઓના આરોપ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. લાંબી રાજકીય કારકિર્દી સુરેશ કલમાડીનો જન્મ 1 મે, 1944ના રોજ…

ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ

વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો અને ત્યાં તેમના પરિવારજનો તથા ઓળખીતાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમને વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, સ્થાનિક પરિસ્થિતિ અંગે સચેત રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ઈરાનમાં રહેલા ભારતીયો માટે ખાસ સૂચનાઓ ઈરાનમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓએ હજી સુધી ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી ન હોય, તો તરત નોંધણી કરાવે, જેથી…

વાયરલ ગર્લ મોનાલિસાનો જાદૂ ફરી દેખાયો, સ્માર્થ મહેતા સાથે રોમાન્સ કરતી જોવા મળી

મહાકુંભ 2025 બાદ રાતોરાત સ્ટાર બની ગયેલી વાયરલ ગર્લ મોનાલિસા ફરીવાર ચર્ચામાં છે. તેની કથ્થઈ આંખો અને માસૂમિયતથી ફેન્સનું દિલ જીતનાર મોનાલિસા હવે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. તાજેતરમાં તેના નવા ગીત *‘દિલ જાનિયા’*નો ટીઝર રિલીઝ થયો છે, જેને થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ મળ્યું છે. ગીતના ટીઝરમાં મોનાલિસા સ્માર્થ મહેતા સાથે જોવા મળે છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રીને ચાહકો ખાસ પસંદ કરી રહ્યા છે. ટીઝરમાં પ્રેમ, માસૂમિયત અને લાગણીઓનું મિશ્રણ જોવા મળે છે, જેના કારણે ફેન્સ તેને વારંવાર જોઈ રહ્યા છે અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. ગીતમાં ગાયિકા લાઈસલ રાયે પોતાનો અવાજ આપ્યો છે, જે સોલફુલ સિંગિંગ દ્વારા દિલને સ્પર્શી જાય છે. ટીઝરનાં વિઝ્યુઅલ્સ અને મ્યુઝિકનું મિશ્રણ પણ ખૂબ…

દાણીલીમડામાં અસામાજિક તત્વોનો આતંક, બ્યુટી પાર્લરમાં તોડફોડ; ત્રણ લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. શાહઆલમ દરગાહ નજીક આવેલી એક બ્યુટી પાર્લરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના નોંધાઈ છે, જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બ્યુટી પાર્લર નજીક બેઠેલા કેટલાક યુવકોને બેસવા અને બુમાબુમ ન કરવા અંગે ઠપકો આપવામાં આવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ લાકડીઓ વડે હુમલો કરી બ્યુટી પાર્લરમાં તોડફોડ કરી હતી. હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા દાણીલીમડા પોલીસ…

‘સોમનાથની કહાની વિનાશની નહીં, સ્વાભિમાનની ગાથા છે’ — મંદિર પરના આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીનો વિશેષ લેખ

સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ બ્લોગ પોસ્ટ શેર કરી છે. પોતાના લેખમાં પીએમ મોદીએ સોમનાથ મંદિરને ભારતના આત્માનું શાશ્વત પ્રતીક ગણાવ્યું છે અને જણાવ્યું છે કે આ મંદિર માત્ર પથ્થરોનું માળખું નહીં, પરંતુ અડગ આસ્થા અને સ્વાભિમાનનું પ્રતિક છે. વડાપ્રધાને લખ્યું છે કે ગુજરાતના પશ્ચિમ કિનારે પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં પણ વર્ણવાયું છે અને તેનું ધાર્મિક તથા સાંસ્કૃતિક મહત્વ અતિ વિશાળ છે. આક્રમણકારોએ તેને નષ્ટ કરવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ સોમનાથ પ્રત્યેની શ્રદ્ધા ક્યારેય તૂટી નથી. 1026ના આક્રમણની યાદ ઈતિહાસના પાનાંઓને યાદ કરતા પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદ દ્વારા સોમનાથ પર ભયાનક આક્રમણ કરવામાં આવ્યું હતું.…

બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર, વાળ કાપી મૂક્યા; જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસાના કેસો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજના નદીપારા વિસ્તારમાં એક હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર થયો. આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધ્યું અને વાળ કાપી નાખ્યા, સાથે જ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિતાએ સ્થાનિક હેલ્પ માટે નજીકના લોકોને આ ઘટના જણાવી તેને સદર હોસ્પિટલમાં દાખલ કરાઈ. તેના બાદ મહિલા દ્વારા શાહીન અને તેના સાથી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક સ્રોતો મુજબ, પીડિતાએ આશરે અઢી વર્ષ પહેલાં શાહીન અને તેના ભાઈ પાસેથી જમીન અને ઘર ખરીદ્યું હતું. ત્યારથી શાહીન મહિલા પર નજર રાખતો હતો અને અનેક વખત તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેના પ્રસ્તાવનો ઇનકાર કર્યો તો શાહીન અને…

રાશિફળ/06 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. નાણાકીય પક્ષ મજબૂત થવા ની પુરી શક્યતા છે.જો તમે કોઈ વ્યક્તિ ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવા ની પુરી શક્યતા છે. તમારી સમસ્યાઓ ગંભીર હશે-પણ તમે જે પીડામાંથી…