લશ્કર-એ-તૈયબાની નવી નાપાક ચાલ: બહાવલપુરથી ‘ગઝવા-એ-હિંદ’નું એલાન, એજન્સીઓ હાઈ-એલર્ટ પર

પાકિસ્તાનના બહાવલપુરમાંથી સામે આવેલા એક ચોંકાવનારા વીડિયોએ ફરી એકવાર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નાપાક ઇરાદાઓ ખુલ્લા પાડ્યા છે. વીડિયોમાં લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહ સૈફે હજારો ઉશ્કેરાયેલા આતંકીઓની હાજરીમાં ભારત વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને ‘ગઝવા-એ-હિંદ’ માટે જેહાદનું આહ્વાન કર્યું છે. આ વીડિયોમાં સૈફુલ્લાહ એવો દાવો કરતો જોવા મળે છે કે પાકિસ્તાની સેના પણ ભારત સામે મોટા હુમલા માટે તેમની સાથે તૈયાર છે. આ નિવેદન ફરી સાબિત કરે છે કે પાકિસ્તાની ધરતી પર આતંકવાદીઓને ખુલ્લો આશ્રય મળી રહ્યો છે. ઉશ્કેરણીજનક ભાષણ અને ખોટા દાવા આતંકવાદી સૈફુલ્લાહે પોતાના ભાષણમાં દક્ષિણ એશિયાના રાજકીય પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં એવો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો કે બાંગ્લાદેશ પણ હવે પાકિસ્તાનની પડખે છે. સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા…

“પીએમ મોદી મારાથી ખુશ નથી કારણ કે…” ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું છે મામલો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને એક વખત ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો છે, પરંતુ ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને કારણે તેઓ પીએમ મોદાથી નારાજ છે. ટ્રમ્પના કહેવા મુજબ, રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારતને ઊંચા ટેરિફ ચૂકવવા પડે છે, જે બાબત તેમને પસંદ નથી. તેમણે કહ્યું, “વડા પ્રધાન મોદી ખૂબ સારા વ્યક્તિ છે. તેઓ જાણે છે કે હું નાખુશ છું અને મને ખુશ કરવું જરૂરી છે.” સંરક્ષણ અને વેપાર મુદ્દે ટ્રમ્પની ટિપ્પણી એક મુલાકાતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમને મળવા માટે પોતે સમય માગ્યો હતો. સંરક્ષણ સહયોગ અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું…

SBI ગ્રાહકો સાવધાન! YONO એપ અને આધાર અપડેટના નામે સાફ થઈ શકે છે બેંક એકાઉન્ટ

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના કરોડો ગ્રાહકો માટે મહત્વની ચેતવણી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી WhatsApp પર એક ખતરનાક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવે છે કે જો તરત આધાર કાર્ડ અપડેટ નહીં કરવામાં આવે, તો YONO મોબાઈલ એપ બ્લોક કરી દેવામાં આવશે. આ મેસેજ સાથે એક અજાણી APK ફાઈલ મોકલવામાં આવી રહી છે, જેને ઇન્સ્ટોલ કરવા માટે દબાણ કરવામાં આવે છે. હકીકતમાં આ મેસેજ સંપૂર્ણ નકલી છે અને સાયબર ઠગો દ્વારા ગ્રાહકોને છેતરવા માટે રચાયેલ જાળ છે. SBIની સત્તાવાર ચેતવણી SBIએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે બેંક ક્યારેય WhatsApp, SMS અથવા કોલ દ્વારા કોઈ લિંક કે APK ફાઈલ મોકલતી નથી અને ન તો…

ન્યૂયોર્ક કોર્ટમાં વ્હીલચેર પર રજૂ થઈ વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસ, ગંભીર ઈજાની આશંકા

અમેરિકી વિશેષ દળો દ્વારા કારાકાસમાં કરાયેલા હાઈ-વોલ્ટેજ મિલિટરી ઓપરેશન ‘એબ્સોલ્યુટ રિઝોલ્વ’ બાદ વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસની હાલતને લઈ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. સોમવારે જ્યારે 69 વર્ષીય સિલિયા ફ્લોરેસને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે તેઓ વ્હીલચેર પર, કપાળ અને જમણી આંખ પર મોટા પાટા સાથે જોવા મળ્યા હતા. ફ્લોરેસના વકીલ માર્ક ડોનેલીએ ન્યાયાધીશ એલ્વિન હેલરસ્ટીન સમક્ષ દાવો કર્યો હતો કે ધરપકડ દરમિયાન તેમને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. વકીલના જણાવ્યા મુજબ, તેમની પાંસળીઓમાં ફ્રેક્ચર, શરીર પર અનેક ઉઝરડા અને અંદરથી ગંભીર ઈજાની આશંકા છે. કોર્ટમાં નબળી હાલતમાં હાજરી કોર્ટમાં હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સિલિયા ફ્લોરેસ અત્યંત નબળા દેખાતા હતા અને બચાવ પક્ષની ટેબલ સુધી પહોંચવા માટે પણ તેમને સહાયની જરૂર પડી…

અંક જ્યોતિષ/07 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/07 જાન્યુઆરી 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રૉમેન્ટિક સાંજ જોવાય છે. ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતાં સમસ્યાઓ વધુ પેદા કરશે-કોઈકને તમારો લાભ…

Bangladeshની ટીમ T20 વર્લ્ડકપ 2026માં ભારતમાં રમશે કે નહીં? ICC, BCCI અને BCB વચ્ચે બેઠક

T20 વર્લ્ડકપ 2026 માટે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હવે ભારતની મૈત્રીભરી મેહમાનીમાં રમવા તૈયાર છે. પહેલા સમાચાર અનુસાર, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) IPL 2026માંથી મુસ્તફિઝુર રહેમાનની બહાર થતા ગુસ્સે ભરી હતી અને ટીમ ભારતમાં મેચ રમવા ઇચ્છતી નહોતી. બાંગ્લાદેશ ટીમે ICCને વિનંતી કરી હતી કે તેમની મેચો શ્રીલંકામાં યોજવામાં આવે, પરંતુ હવે એક મોટું અપડેટ સામે આવ્યું છે. ICC, BCCI અને BCB વચ્ચે યોજાયેલી બેઠકમાં BCBને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહેવામાં આવ્યું છે. પરિણામે શક્યતા છે કે બાંગ્લાદેશ ટીમ ભારતમાં પોતાની તમામ મેચો રમશે. BCBનું પરિસ્થિતિ વિશે નિવેદન BCBએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલામાં સરકારની મંજૂરી અનુસાર પગલાં લેશે. બોર્ડે પરિસ્થિતિ સુધારવા માટે પહેલ કરી છે અને કોઈ પણ સ્થિતિમાં BCCI સાથે ગડબડ કરવા…

PM મોદી સોમનાથ મુલાકાત: યાત્રા અને રોડ-શો સાથે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10 અને 11 જાન્યુઆરીનાં રોજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર છે. 2 દિવસીય પ્રવાસને લઈ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં 108 અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. તેમજ 2 કિમી લાંબા ભવ્ય રોડ-શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી સોમનાથ મંદિરના શંખ સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી સ્વાભિમાન યાત્રા યોજાશે. આ યાત્રા અંદાજે 2 કિમી લાંબી હશે. આ યાત્રામાં આગળ અને પાછળ 108 અશ્વો હશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે હશે. યાત્રાનું સમાપન સદભાવના ગ્રાઉન્ડ ખાતે થશે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

રેલવેમાં સરકારી નોકરીની તક: 22,000થી વધુ નવી જગ્યાઓ પર ભરતીને મંજૂરી

રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે વર્ષના અંતે મોટી ખુશખબર સામે આવી છે. રેલ મંત્રાલયે ગ્રુપ ડી (લેવલ-1) અંતર્ગત 22,000થી વધુ નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. આ ભરતીમાં એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, ટ્રાફિક અને સિગ્નલ એન્ડ ટેલિકોમ જેવા વિભાગોમાં 11 અલગ-અલગ શ્રેણીઓમાં નિમણૂકો કરવામાં આવશે. રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, સૌથી વધુ 11,000 જગ્યાઓ ટ્રેક મેન્ટેનર ગ્રેડ-IV માટે ઉપલબ્ધ છે. અન્ય પદોમાં પોઈન્ટ્સમેન-બી, આસિસ્ટન્ટ (બ્રિજ), આસિસ્ટન્ટ (ટ્રેક મશીન), આસિસ્ટન્ટ લોકો શેડ અને આસિસ્ટન્ટ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. વિવિધ ઝોન મુજબ જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેમ કે પૂર્વ મધ્ય રેલવેમાં 993 અને દક્ષિણ પૂર્વ રેલવેમાં 1,199 જગ્યાઓ. ઉમેદવારો માટે લાયકાત અને શરતો: 1. શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માત્ર 10મી પાસ હોવો જરૂરી છે. હવે ITI…

JNU કેમ્પસમાં વિવાદ: PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, FIR નોંધાઈ

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ FIR નોંધાવી છે. JNU પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ શીખવા, વિચારોના આદાન-પ્રદાન અને નવીનતાનું કેન્દ્ર હોય છે, નફરત ફેલાવવાનું સ્થાન નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ તેના નામે હિંસા, કાયદાનો ભંગ કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી. કડક શિસ્તભંગની કાર્યવાહી થશે યુનિવર્સિટી વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક સસ્પેન્શન, યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કે કાયમી રીતે પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. અગાઉ પણ 2016…