ગુજરાતમાં ફરી ઠંડીનું જોર, IMDની વરસાદ અને ઠંડીની ડબલ ચેતવણી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વરસાદ સાથે ઠંડી વધવાની ચેતવણી પણ આપવામાં આવી છે. રાજ્યના શહેરોમાં તાપમાન અમદાવાદ અને અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી અને ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઠંડા પવનોના કારણે વહેલી સવાર અને રાત્રે ઠંડીની તીવ્રતા અનુભવાઈ રહી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતા હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ તથા બરફવર્ષાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. શિમલા…

સુભાષચંદ્ર બોઝના અસ્થિ ક્યાં છે? તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું? જાણો તેમની દીકરી અનિતાએ શું કહ્યું..

23 જાન્યુઆરીએ દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવાર નેતાજીના મૃત્યુ અને તેમના અસ્થિઓને લઈને ચર્ચા તેજ બની છે. નેતાજીની દીકરી અનિતા બોઝ ફાફે જાપાનના રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલી અસ્થિઓને ભારત પરત લાવવાની માંગ કરી છે. અનિતા ફાફે અને તેમના પરિવારના અનેક સભ્યોનું માનવું છે કે, રેનકોજી મંદિરમાં રાખવામાં આવેલી અસ્થિઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના જ અવશેષો છે. ફાફેએ જણાવ્યું કે, ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનાર નેતાજીના અવસાનના 80 વર્ષ બાદ અને આઝાદીના 78 વર્ષ પછી પણ તેમના અવશેષો વિદેશમાં હોવું દુઃખદ છે. નેતાજીના અવશેષોની સન્માનજનક વાપસીની માગ એર ન્યૂઝ એજન્સીને આપેલા નિવેદનમાં અનિતા ફાફેએ જણાવ્યું કે, “હું નેતાજીને સન્માન આપનારા તમામ ભારતીયોને તેમના અવશેષોને અંતિમ અને યોગ્ય સંસ્કાર…

કેનેડા-બ્રિટન અને અમેરિકા બાદ યુરોપમાં ખાલિસ્તાનીઓએ જાગ્રેબના ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો

અત્યાર સુધી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં સક્રિય રહેલા ખાલિસ્તાની સમર્થકો હવે યુરોપમાં પણ પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા છે. તાજા ઘટનામાં, ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ તોડફોડ કરી છે. આ ઘટના પરથી ભારત સરકારે તાત્કાલિક કડક પ્રતિક્રિયા આપી છે અને ક્રોએશિયા સરકાર સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે. ઘટના શું થઈ? અહેવાલો મુજબ, પ્રતિબંધિત આતંકી સંગઠન ‘સિક્સ ફોર જસ્ટિસ’ (SFJ) સાથે જોડાયેલા કેટલીક અસામાજિક તત્ત્વોએ દૂતાવાસની સુરક્ષા ભંગ કરી હતી. તેઓએ: – દૂતાવાસ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો – દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા – ભારતીય તિરંગાને ઉતારી ખાલિસ્તાની ધ્વજ લગાવવાનો પ્રયાસ કર્યો – પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ હુમલો સંપૂર્ણપણે ભયજનક અને દૂતાવાસની સુરક્ષા માટે ગંભીર ચેતવણીરૂપ છે. ભારતની પ્રતિક્રિયા ભારતીય વિદેશ મંત્રાલયે આ…

રાજ્ય સરકારની વર્ગ-3 ભરતી માટે CCE પરીક્ષાના નવા નિયમોને મળી મંજૂરી, જાણો વિગત

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે લેવાતી CCE (Combined Competitive Examination) પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ નવા નિયમોને લીલીઝંડી આપવામાં આવી છે. જેનો સીધો અસર આવનારી ભરતી પ્રક્રિયામાં જોવા મળશે. ઉમેદવારો હવે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરવી પડશે, જેથી પરીક્ષામાં સફળતા મળી શકે. મુખ્ય ફેરફારો અગાઉ પ્રિલિમ પરીક્ષા 100 ગુણની લેતી હતી, હવે તે 150 ગુણની કરવામાં આવી છે. આ બદલાવથી પરીક્ષા વધુ સ્પર્ધાત્મક બની જશે અને ઉમેદવારના જ્ઞાનનું વ્યાપક મૂલ્યાંકન શક્ય બનશે. CCE પરીક્ષાના સિલેબસમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેના પર ઉમેદવારોનું ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આગામી…

પ્રજાસત્તાક દિવસ પહેલાં કઠુઆમાં પાકિસ્તાની જૈશ આતંકવાદી ઠાર, સુરક્ષા દળોને મળી મોટી સફળતા

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા આતંકવાદી ઉસ્માનને ઠાર કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ પહેલા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યારબાદ સચોટ કાર્યવાહી કરીને આતંકવાદીને નિષ્ક્રિય કર્યો હતો. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, કારણ કે બે થી ત્રણ વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સંયુક્ત ઓપરેશનમાં સફળતા જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક બીએસ તુતીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, “જમ્મુ અને કાશ્મીર પોલીસની નાની ટીમે ભારતીય સેના અને CRPF સાથે મળીને કઠુઆ જિલ્લામાં આતંકવાદીને ઠાર કર્યો…

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ASML મુખ્યાલયની મુલાકાતે, જાણો વિગત

વેલ્ડહોવન, નેધરલેન્ડ: ભારતના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નેધરલેન્ડના વેલ્ડહોવન ખાતે ASMLના મુખ્યાલયની મુલાકાત માટે પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન મંત્રીએ ભારતની નવી સેમિકન્ડક્ટર ઉદ્યોગની પ્રગતિ અને લિથોગ્રાફી ક્ષેત્રમાં તેનો મહત્વ વિશદ કર્યો. મંત્રીએ જણાવ્યું કે લિથોગ્રાફી, જેમાં વેફર પર સર્કિટ છાપવાનું કાર્ય થાય છે, તે સેમિકન્ડક્ટર ઉત્પાદન ચેઇનમાં સૌથી જટિલ અને ચોકસાઈભર્યું સ્ટેજ છે. તેમણે ઉમેર્યું કે ASML વિશ્વમાં લિથોગ્રાફિક સાધનોનો અગ્રણી પ્રદાતા છે અને લગભગ દરેક ચિપની ઉત્પત્તિમાં ASMLના સાધનોનો ઉપયોગ થાય છે. “ધોલેરામાં અમારી ફેબ ASML સાધનોનો ઉપયોગ કરશે. હું અહીં તેમની ટેકનોલોજી જોઈને સમજી શકું તે માટે આવ્યો છું,” મંત્રીએ જણાવ્યું. ASMLનો ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ વૈશ્વિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ વિકાસ ગણાય છે. મંત્રીએ નોંધ્યું કે વિશ્વના વિવિધ સાધન ઉત્પાદકો…

અમેરિકા–ઈરાન વચ્ચે ફરી યુદ્ધના વાદળો: મધ્ય પૂર્વમાં હાઈ એલર્ટ, અમેરિકાની મોટી સૈન્ય તૈનાતી

મધ્ય પૂર્વમાં ફરી એકવાર ગંભીર તણાવની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષના સંકેતો વચ્ચે અમેરિકાએ ખાડી વિસ્તારમાં પોતાની સૈન્ય હાજરીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. એરક્રાફ્ટ કેરિયર, ફાઈટર જેટ્સ, મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સ અને એર રિફ્યુઅલિંગ ટેન્કરોની તૈનાતીથી પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે. બીજી તરફ ઈઝરાયલ સહિત અમેરિકાના સાથી દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયા તરફ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ USS અબ્રાહમ લિંકનના નેતૃત્વમાં શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને પશ્ચિમ એશિયા તરફ વાળવામાં આવ્યું છે. આ સ્ટ્રાઈક ગ્રુપમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ અને એટેક સબમરીનનો સમાવેશ થાય છે. આ કાફલો અગાઉ દક્ષિણ ચીન સમુદ્રમાં તૈનાત હતો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ તેને અરબી સમુદ્ર અને પર્સિયન ગલ્ફ…

ગુજરાતી રંગભૂમિને મોટો આઘાત: દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષે નિધન

ગુજરાતી રંગભૂમિ અને નાટ્ય જગતમાં એક મોટો ખોટો પહોંચ્યો છે. જાણીતા અને દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું 76 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. તેઓ ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન અચાનક સ્વર્ગસ્થ થયા, જેના કારણે સમગ્ર કલાજગતમાં શોકનું માહોલ પેદા થયું છે. રાજુ બારોટ બાળપણથી જ નાટકો અને રંગભૂમિમાં અભિનય કરતા આવ્યા હતા. તેમના જીવનકાળમાં તેમને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર સહિત અનેક સન્માન પ્રાપ્ત થયા છે. તેમના નિધનથી ગુજરાતી નાટ્યમંચને હાલમાં ગહન શોક ઘેરી છે. હાર્ટ એટેક યુવાન અને વૃદ્ધ બંને માટે ખતરો ગુજરાતમાં છેલ્લા સમયથી હાર્ટ એટેકના અચાનક કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. માત્ર વૃદ્ધો નહીં, પણ નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. અનેક પ્રસંગોમાં જોવા મળ્યું છે કે કોઈ રમત…

રાશિફળ/24 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે શુભ, આ અંક રહેશે શુભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. ઘર માં કોઈ ફંક્શન હોવા ને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થયી શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થયી શકે છે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ…

અંક જ્યોતિષ/24 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…