સ્પેસ સ્ટેશન જઈ ઇતિહાસ રચનાર શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સુધીની ઐતિહાસિક યાત્રા અને અવકાશ કાર્યક્રમમાં આપેલા વિશિષ્ટ યોગદાન બદલ દેશના સર્વોચ્ચ શાંતિ સમયના લશ્કરી સન્માન અશોક ચક્રથી નવાજવામાં આવશે. આ જાહેરાત પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વસંધ્યાએ કરવામાં આવી હતી.

નાસાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન દ્વારા પ્રક્ષેપણ બાદ શુભાંશુ શુક્લા 26 જૂન 2025ના રોજ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચશે અને ત્યાં પગ મૂકનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બની ઇતિહાસ રચશે. તેઓ 1984માં અવકાશમાં ગયેલા રાકેશ શર્મા બાદ અવકાશમાં જનાર બીજા ભારતીય બનશે.

શુક્લા ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓમાંના એક છે. તેમની સાથે ગ્રુપ કેપ્ટન પી.બી. નાયરને કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે ફાઇટર પાઇલટ તરીકે શુભાંશુ શુક્લાનો અનુભવ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે. તેઓ Su-30 MKI, મિગ-21, મિગ-29, જગુઆર, હોક, ડોર્નિયર અને An-32 જેવા વિમાનોમાં કુલ 2000થી વધુ કલાકોની ઉડાન ભરી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ વર્ષે 70 સશસ્ત્ર દળોના જવાનો માટે શૌર્ય પુરસ્કારોને મંજૂરી આપી છે. તેમાં એક અશોક ચક્ર, ત્રણ કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર, એક બાર ટુ સેના મેડલ (શૌર્ય) અને 44 સેના મેડલ (શૌર્ય)નો સમાવેશ થાય છે. આમાંથી છ પુરસ્કારો મરણોત્તર આપવામાં આવશે.

131 હસ્તીઓને પદ્મ પુરસ્કારો
ગણતંત્ર દિવસ નિમિત્તે દેશના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કારો માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં પાંચને પદ્મ વિભૂષણ, 13ને પદ્મ ભૂષણ અને 113ને પદ્મ શ્રી આપવામાં આવશે.

કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદન અને અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ, જ્યારે શિબુ સોરેન (મરણોત્તર), ભગતસિંહ કોશ્યારી અને પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ક્રિકેટર રોહિત શર્મા, હોકી ખેલાડી સવિતા પુનિયા સહિત અનેક હસ્તીઓને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવશે.

આ યાદીમાં 19 મહિલાઓ અને છ વિદેશી નાગરિકો/એનઆરઆઈનો સમાવેશ થાય છે, જ્યારે 16 હસ્તીઓને મરણોત્તર પુરસ્કાર આપવામાં આવ્યા છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…