રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા
રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા. ઘટના વિગત વહેલી સવારે ડોક્ટર પોતાના હોસ્ટેલમાંથી નીકળ્યા હતા અને તેમના ગાયબ થવાની ફરિયાદો નોંધાઈ હતી. હોસ્ટેલમાંથી નીકળતા તેમના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જે પોલીસે તપાસના માટે ઉપયોગ કર્યો. ડોક્ટરે સ્યુસાઇડ નોટ લખી હોવાની જાણ થતા, ગાંધીગ્રામ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન તેઓ પરાપીપળીયા વિસ્તારમાં મળી આવ્યા. રેલવે ટ્રેક પર બચાવ ડોક્ટર રેલવે ટ્રેક પર આપઘાત કરવા જઈ રહ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને તેમને બચાવી લીધો. પ્રાથમિક માહિતી મુજબ,…
ગુજરાત રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
ગુજરાત અત્યારે ભારતના ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ’ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ, લાંબો દરિયાકિનારો અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક હબ બની ગયું છે.જેમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટ છે. અહીં સોલર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન બંનેનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવામાં આવશે.તથા ગુજરાત સોલર પાવરના ઉત્પાદનમાં અને તેના ઉપયોગમાં દેશમાં અગ્રેસર છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે, જે પવન ઊર્જા માટે આશીર્વાદ સમાન છે.ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન મિશન ભવિષ્યના બળતણ તરીકે ઓળખાતા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો છે. 28 જાન્યુઆરી, 2026 ના રોજ ગાંધીનગર, ધ લીલા ખાતે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને The Secretariatના સંયુક્ત ઉપક્રમે…
એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શનનો લહાવો; પરિક્રમાનો દિવ્ય સંગમ
શકિત ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શકિતપીઠ અંબાજી. લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે દર વર્ષે ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. માઇભકતો 51 શકિતપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવે છે. એક જ જન્મમાં, એક જ સ્થળે, તમામ 51 શકિતપીઠના દર્શન કરવાનો અવસર શકિતપીઠ ગબ્બર- અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે 2.5 કિલોમીટરના માર્ગમાં મૂળ શકિતપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરાયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ.62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ-વિદેશમાં આવેલ તમામ 51 શકિતપીઠોનાં મૂળ મંદિરો જેવાં જ મંદિરો બનાવવામાં આવ્યાં છે.…
મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો શુભારંભ
મહિલાઓની આર્થિક સદ્ધરતા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. (મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય) દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનો મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે શુભારંભ કરાવ્યો હતો. મંત્રીએ ઉદ્ઘાટન બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી તથા મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ના શુભારંભ પ્રસંગે મહિલા અને બાળ વિભાગના સચિવ રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના એમ.ડી. પી. એ.નિનામા, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના જનરલ મેનેજર રીટા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ‘મહિલા…
રાશિફળ/29 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. આ રાશિ ના અમુક લોકો ને ભૂમિ સંબંધિત બાબતો માં ધન ખર્ચ કરવું પડી શકે છે. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય. પ્રિયતમ આજે તમારી પાસે થી કંઇ માંગ કરી શકે છે પરંતુ…
ભારતની T20માં ન્યુઝીલેન્ડ સામે કારમી હાર, મિચેલ સેન્ટનરની શાનદાર બોલિંગ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ, જેમાં ન્યુઝીલેન્ડે શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાની સિરીઝની પહેલી જીત મેળવી. ટોસ હાર્યા છતાં કિવી ટીમે બેટિંગ અને બોલિંગમાં પોતાનું દબદબું બતાવ્યું. ન્યુઝીલેન્ડે બનાવ્યો મોટો સ્કોર ટોસ હારી ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 215 રનનો મજબૂત સ્કોર તૈયાર કર્યો. ઓપનર્સ ટિમ સાઈફર્ટે 36 બોલમાં 62 અને ડેવોન કોનવે 23 બોલમાં 44 રન બનાવ્યા, જે પ્રથમ વિકેટ માટે ઝડપી શરૂઆત રહી. બાદમાં ડેરિલ મિચેલે 18 બોલમાં 39 રન બનાવ્યા અને ટીમ સ્કોર 200 રનના પાર પહોંચાડ્યો. ભારતીય બોલર્સ—અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે—2-2 વિકેટ લીધી, પરંતુ અન્ય બોલર્સ ન્યુઝીલેન્ડના બેટ્સમેનોને રોકવામાં નિષ્ફળ રહ્યા. ભારતના સ્ટાર બેટ્સમેન નિષ્ફળ ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. અભિષેક…
અંક જ્યોતિષ/29 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 30-01-2026 થી તા. 01-02-2026 (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ’51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026′ નું આયોજન કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ 2008માં ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ ફેબ્રુઆરી 2014માં થયું હતું. અંદાજે રૂ. 61.57 કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શ્રદ્ધાળુઓ એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો લઈ શકે.…
પુણ્ય કમાવવાનો અવસર: માઘ પૂર્ણિમા પર ‘રવિ પુષ્ય યોગ’નો મહાસંયોગ
હિન્દુ ધર્મમાં માઘ માસની પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને વર્ષ 2026માં આ દિવસ શ્રદ્ધાળુઓ માટે બમણું પુણ્ય લઈને આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવાતી આ પૂર્ણિમા માઘ સ્નાનનો અંતિમ દિવસ છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી ઉતરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તેથી, ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું ફળ મળે છે. આ વર્ષે રવિવારે આવી પૂર્ણિમા સૂર્ય ઉત્તરાયણમાં હોવાને કારણે સૌભાગ્ય અને આરોગ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે. રવિ પુષ્ય યોગ આ વર્ષે માઘ પૂર્ણિમા પર સવારે 7:09 થી 11:58 સુધી ‘રવિ પુષ્ય યોગ’નો સંયોગ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલું દાન અને પૂજા અક્ષય ફળ આપે છે. શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ સમય 5:24 થી…
રૂપિયાની મજબૂતી: ડોલર ગગડ્યો, ભારત-યુરોપ ફ્રી ટ્રેડ ડીલથી વૈશ્વિક બજારમાં ખળભળાટ
ભારતીય કરન્સી માર્કેટમાં મંગળવારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે રૂપિયાએ અચાનક મજબૂતી દર્શાવી અને ડોલર સામે 91.71 પર બંધ થયું. થોડા દિવસ પહેલાં રૂપિયો 92ની કટોકટી સ્તર પર હતો, પરંતુ હવે તેની આ શાનદાર વાપસીથી વૈશ્વિક બજારમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને ભારત–યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ ડીલને રૂપિયા મજબૂતીના મુખ્ય કારણ તરીકે માનવામાં આવી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રૂપિયાની મજબૂતી પાછળ વિદેશી રોકાણકારોની હડબડી, ડોલર ઈનડેક્સમાં નબળાઈ અને યુરોપિયન ફ્રી ટ્રેડ ડીલનો પ્રભાવ છે. બીજી તરફ, વૈશ્વિક પરિસ્થિતિ, કાચા તેલના વધતા ભાવ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી રૂપિયા મજબૂતીને થોડું અટકાવી રહી છે. શેરબજાર અને રિઝર્વનો પ્રભાવ: મંગળવારે સેન્સેક્સ 319.78 પોઇન્ટ વધીને 81,857.48 પર બંધ થયો, નિફ્ટી 126.75 પોઇન્ટ…
















