પ્રજાસત્તાક પર્વ પરેડમાં ગુજરાતનો ડંકો: સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ’માં પ્રથમ સ્થાન, એવોર્ડ કરાયો એનાયત

77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો.

આ સાથે જ ટેબ્લો નિર્માણની પ્રક્રિયા સમયે રાષ્ટ્રીય રંગશાળા ખાતે યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ પ્રાપ્ત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.

માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પૂર્વે વર્ષ 2023માં પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલરૂપે રજૂ કરવામાં આવેલા ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’ ટેબ્લોને ‘પોપ્યુલર ચોઈસ’ શ્રેણીમાં એવોર્ડ સાથે શરૂ થયેલી આ વિજય પરંપરાને આગળ વધારતાં વર્ષ 2024માં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ થીમ આધારિત ટેબ્લોએ ‘પોપ્યુલર ચોઈસ’ શ્રેણીમાં એવોર્ડની સાથે સાથે ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની ‘જ્યુરીઝ્ ચોઈસ’ શ્રેણીમાં પણ બીજો ક્રમ મેળવ્યો હતો.

જ્યારે વર્ષ 2025માં વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતે આધુનિક વિકાસની જે હરણફાળ ભરી છે તેની વિકાસ ગાથા અને પ્રાચીન વિરાસતની ઝાંખી દર્શાવતો ‘આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ’ ટેબ્લો ‘પોપ્યુલર ચોઇસ એવોર્ડ’ જીત્યા બાદ સતત ચોથા વર્ષે આ શ્રેણીમાં વર્ષ 2026 નો આ રાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

FCRA મુદ્દે અમેરિકાને ભારતનો સ્પષ્ટ સંદેશ, ‘વિદેશી ફંડિંગનું નિયમન કરવું દરેક દેશનો અધિકાર’

વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં પ્રસ્તાવિત સુધારાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા તેજ બની છે. અમેરિકાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે કે FCRA સંબંધિત કાયદાકીય સુધારા ભારતનો સંપૂર્ણ આંતરિક મામલો છે અને તેના પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર ભારતની સંસદને છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વિશ્વના અનેક દેશોની જેમ અમેરિકા પણ પોતાના દેશમાં વિદેશી ફંડિંગને નિયંત્રિત કરવા માટે કડક કાયદા ધરાવે છે. તેથી ભારત દ્વારા પોતાના કાયદામાં કરવામાં આવતા સુધારાઓ અંગે બહારથી કરવામાં આવતી ટિપ્પણીઓ યોગ્ય નથી. શું કહ્યું હતું અમેરિકાના સાંસદ રાઇલી મૂરે? અમેરિકાના પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પર FCRA સુધારા બિલ અંગે ચિંતા વ્યક્ત…

FCRA સુધારા બિલને લઈને દેશ-વિદેશમાં ચર્ચા તેજ, જાણો શું છે આ કાયદો?

કેન્દ્ર સરકાર વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં મહત્વપૂર્ણ સુધારા કરવાની તૈયારીમાં છે. સંસદમાં રજૂ થનારા FCRA સુધારા બિલને લઈને રાજકીય પક્ષો, વિવિધ બિનસરકારી સંસ્થાઓ (NGO), ધાર્મિક સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચર્ચ, મસ્જિદ અને અન્ય ધાર્મિક સંસ્થાઓને મળતા વિદેશી ફંડ અને તેનાથી ઉભી થયેલી મિલકતોને લઈને પ્રસ્તાવિત જોગવાઈઓ સૌથી વધુ ચર્ચામાં છે. સરકારનું કહેવું છે કે નવા સુધારાઓનો હેતુ પારદર્શિતા વધારવાનો અને વિદેશી ફંડનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે વિરોધ પક્ષો અને કેટલાક સંગઠનો આ જોગવાઈઓને વધુ કડક ગણાવી રહ્યા છે. શું છે FCRA કાયદો? FCRA એટલે Foreign Contribution Regulation Act, જે ભારતમાં વિદેશી નાણાંના પ્રવાહને નિયંત્રિત કરતો કાયદો છે. આ કાયદો પ્રથમ વખત…