જેફરી એપ્સ્ટીન લિસ્ટ મામલે સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકે એક સનસનીખેજ નિવેદનમાં દાવો કર્યો છે કે જેફરી એપ્સ્ટીન સંબંધિત દસ્તાવેજો જાહેર થવાથી ઊભા થયેલા રાજકીય વિવાદમાંથી લોકોનું ધ્યાન હટાવવા માટે અમેરિકા આગામી 36 થી 48 કલાકમાં ઈરાન પર લશ્કરી હુમલો કરી શકે છે.

તાજેતરમાં સર્બિયન ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વુસિકે જણાવ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં અગાઉ પણ આવાં પ્રસંગો બન્યા છે, જ્યાં ઘરેલુ કૌભાંડોથી ધ્યાન હટાવવા માટે વિદેશી સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

ક્લિન્ટન-લેવિન્સ્કી કાંડનું ઉદાહરણ
પોતાના દાવાને સમર્થન આપવા માટે વુસિકે 1998ના બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કી કાંડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તે સમયે રાષ્ટ્રપતિ ક્લિન્ટન પર મહાભિયોગનું દબાણ વધી રહ્યું હતું, ત્યારે જ અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન અને સુદાન પર ‘ઓપરેશન ઇન્ફિનિટ રીચ’ અંતર્ગત મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા. વુસિકના મતે, “જ્યારે અમેરિકન રાજકારણમાં મોટો વિવાદ ઊભો થાય છે, ત્યારે ઘણી વખત કોઈ વૈશ્વિક ઘટના અથવા લશ્કરી કાર્યવાહી દ્વારા જાહેર ધ્યાનને બીજી તરફ વાળી દેવામાં આવે છે.”

એપ્સ્ટીન લિસ્ટથી રાજકીય ગરમાવો
ઉલ્લેખનીય છે કે જેફરી એપ્સ્ટીન એક દોષિત જાતીય અપરાધી હતો, જેના ઘણા પ્રભાવશાળી રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથે સંબંધો હોવાના આરોપો રહ્યા છે. તાજેતરમાં કોર્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અનેક મોટા નામો સામે આવતાં અમેરિકન રાજકારણમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે.

સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
વુસિકનું આ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (પૂર્વે ટ્વિટર) સહિત અનેક માધ્યમો પર ઝડપથી વાયરલ થયું છે. લોકો આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે કે શું વાસ્તવમાં સરકારો ઘરેલુ કૌભાંડોથી ધ્યાન હટાવવા માટે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઊભી કરે છે?

હાલ સુધી અમેરિકા તરફથી આ દાવા અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, અને ઈરાન પર સંભવિત હુમલા અંગે કોઈ પુષ્ટિ થયેલી નથી.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, પરમાણુ હથિયાર મુદ્દે કડક ચેતવણી; ઓમાનને પણ આપી ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવું તેમની સૌથી મોટી પ્રાથમિકતાઓમાંની એક છે. સાથે જ તેમણે ઈરાન સાથે કોઈપણ સમજૂતી માટે ઉતાવળ ન હોવાનો સંકેત આપ્યો છે. 17 ઓગસ્ટે ટ્રમ્પે ઈરાનને શરણાગતિ સ્વીકારવાની અપીલ પણ કરી હતી અને અમેરિકા-ઈરાન વાટાઘાટો અંગે કડક વલણ વ્યક્ત કર્યું હતું. ટ્રમ્પના તાજેતરના નિવેદનોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી ઉકેલની શક્યતાઓ હોવા છતાં બંને દેશો વચ્ચેનો તણાવ હજુ યથાવત છે. ખાસ કરીને પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની સામુદ્રધુનીને લઈને પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઈરાનને પરમાણુ હથિયારથી રોકવાનો દાવો ટ્રમ્પે સતત એ…

ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને સરપ્રાઇઝ સ્થાન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં નીતિન નબીનની નવી ટીમની જાહેરાત સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ભાજપે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ચાર નેતાઓને મહત્વની જવાબદારી સોંપી છે. તેમાં વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે વર્ષાબહેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ધારાસભ્ય જગદીશ ઈશ્વરભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ચાર ગુજરાતીઓને રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના ચાર ચહેરાઓને સ્થાન મળવું રાજ્યના સંગઠન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું સીધું પ્રતિનિધિત્વ મર્યાદિત હતું. હવે એકસાથે ચાર નેતાઓને જવાબદારી મળતા ગુજરાત ભાજપનું સંગઠનાત્મક કદ રાષ્ટ્રીય સ્તરે વધ્યું હોવાનું રાજકીય…