જેફરી એપ્સ્ટીન લિસ્ટ મામલે સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકનો ચોંકાવનારો દાવો, જાણો શું કહ્યું

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકે એક સનસનીખેજ નિવેદનમાં દાવો કર્યો છે કે જેફરી એપ્સ્ટીન સંબંધિત દસ્તાવેજો જાહેર થવાથી ઊભા થયેલા રાજકીય વિવાદમાંથી લોકોનું ધ્યાન હટાવવા માટે અમેરિકા આગામી 36 થી 48 કલાકમાં ઈરાન પર લશ્કરી હુમલો કરી શકે છે.

તાજેતરમાં સર્બિયન ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વુસિકે જણાવ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં અગાઉ પણ આવાં પ્રસંગો બન્યા છે, જ્યાં ઘરેલુ કૌભાંડોથી ધ્યાન હટાવવા માટે વિદેશી સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

ક્લિન્ટન-લેવિન્સ્કી કાંડનું ઉદાહરણ
પોતાના દાવાને સમર્થન આપવા માટે વુસિકે 1998ના બિલ ક્લિન્ટન અને મોનિકા લેવિન્સ્કી કાંડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તે સમયે રાષ્ટ્રપતિ ક્લિન્ટન પર મહાભિયોગનું દબાણ વધી રહ્યું હતું, ત્યારે જ અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન અને સુદાન પર ‘ઓપરેશન ઇન્ફિનિટ રીચ’ અંતર્ગત મિસાઇલ હુમલા કરવામાં આવ્યા હતા. વુસિકના મતે, “જ્યારે અમેરિકન રાજકારણમાં મોટો વિવાદ ઊભો થાય છે, ત્યારે ઘણી વખત કોઈ વૈશ્વિક ઘટના અથવા લશ્કરી કાર્યવાહી દ્વારા જાહેર ધ્યાનને બીજી તરફ વાળી દેવામાં આવે છે.”

એપ્સ્ટીન લિસ્ટથી રાજકીય ગરમાવો
ઉલ્લેખનીય છે કે જેફરી એપ્સ્ટીન એક દોષિત જાતીય અપરાધી હતો, જેના ઘણા પ્રભાવશાળી રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથે સંબંધો હોવાના આરોપો રહ્યા છે. તાજેતરમાં કોર્ટ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અનેક મોટા નામો સામે આવતાં અમેરિકન રાજકારણમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે.

સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
વુસિકનું આ નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (પૂર્વે ટ્વિટર) સહિત અનેક માધ્યમો પર ઝડપથી વાયરલ થયું છે. લોકો આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે કે શું વાસ્તવમાં સરકારો ઘરેલુ કૌભાંડોથી ધ્યાન હટાવવા માટે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઊભી કરે છે?

હાલ સુધી અમેરિકા તરફથી આ દાવા અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, અને ઈરાન પર સંભવિત હુમલા અંગે કોઈ પુષ્ટિ થયેલી નથી.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, સ્વચ્છતા અભિયાન અને પ્રાકૃતિક ખેતી અંગે મહત્વના નિર્ણયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે રાજ્ય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્વચ્છતા અભિયાનને રાજ્યવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ આપવા, શાળા પ્રવેશોત્સવની સમીક્ષા કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં…

અમદાવાદના નવા પોલીસ કમિશનર બન્યા અનુપમસિંહ ગેહલોત, રાજ્ય સરકારે કરી સત્તાવાર નિમણૂક

રાજ્ય સરકારે અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે 1997 બેચના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરી છે. અત્યાર સુધી તેઓ સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. રાજ્ય સરકાર…