કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું. મંત્રી મોઢવાડીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન તેમજ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે માટી-ભેજ સંરક્ષણ સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે આશરે એક કિ.મી.ના વિસ્તારમાં ત્રણ જેટલા ખાસ પ્રકારના પાળા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે. આ કામગીરીના પરિણામે ચોમાસામાં વહી જતા આશરે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થશે,…
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન
જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. 10થી 12 લાખ લોકો માટે આયોજન આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું.…
IGST અને CGSTની ITC હવે SGSTમાં પણ વાપરી શકાશે: વેપારીઓને મળી મોટી રાહત
જીએસટીમાં ટેક્સ ભરવા માટે હવે વેપારીઓ પાસે જમા કરેલ એસજીએસટી ક્રેડિટનો ઉપયોગ પણ થઈ શકશે. અગાઉના નિયમ મુજબ, વેપારીઓ પાસે આઈજીએસટી (IGST) અને સીજીએસટી (CGST)માં ક્રેડિટ હોવા છતાં તે રકમને એસજીએસટી (SGST) માટે વાપરી શકતા નહોતા. તેથી ટેક્સ ભરવા માટે વેપારીઓએ પોતાની બચતમાંથી રોકડ રકમ જમા કરવી પડતી હતી. નવા સુધાર પછી, વેપારીઓ પાસે કોઈપણ હેડમાં ક્રેડિટ જમા હોય તે રકમ હવે કોઈપણ હેડમાં ટેક્સ ભરવા માટે વાપરી શકાશે. આમાં ખાસ કરીને SGSTના લેઝરમાં જમા કરેલ ક્રેડિટનો પણ ઉપયોગ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સુધારો વેપારીઓ માટે મોટી રાહત લાવે છે, કારણ કે હવે તેઓએ ટેક્સ ભરવા માટે વધારે રોકડ જમા કરાવવા જરૂરી નથી. ઈલેક્ટ્રોનિક લેઝરમાં ઉપલબ્ધ ક્રેડિટનો સંપૂર્ણ ઉપયોગ કરી ટેક્સ ચૂકવવું શક્ય બન્યું છે.…
1,200 કરોડ રોકાણ કૌભાંડ: ઢીલી તપાસ સામે રોકાણકારોનો વિરોધ અને આંદોલન
થાણેમાં રૂ. 1,200 કરોડના મોટા રોકાણ કૌભાંડના સેંકડો પીડિત રોકાણકારોએ પોલીસની ધીમી કાર્યવાહી સામે પોલીસ કમિશનરની ઓફિસ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ કેસની ઝડપી અને અસરકારક તપાસ કરવા તેમજ છેતરપિંડીમાં ગુમાવેલા નાણાં પરત અપાવવાની માંગ ઉઠાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કૌભાંડમાં અંદાજે 11,000 રોકાણકારો સાથે રૂ. 1,200 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ગયા મહિને આ મામલે કાર્યવાહી કરતા ગુજરાતમાંથી દંપતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓમાં મુખ્ય આરોપી સમીર નાવેકર, તેની પત્ની નેહા નાવેકર અને તેમના સહયોગી અમિત પલાવનો સમાવેશ થાય છે. એક સંકલિત કાર્યવાહીમાં થાણે પોલીસની આર્થિક ગુના શાખાએ પડોશી રાજ્ય ગુજરાતમાંથી આ ત્રણેને ઝડપી લીધા હતા. પુણે, કોલ્હાપુર, જલગાંવ અને રત્નાગિરી સહિતના વિવિધ…
સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ ઘટ્યા, ખેડૂત મફતના ભાવે વેચવા મજબૂર
સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં ગંભીર ઘટ જોવા મળતા ખેડૂતો મફતના ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓને ડુંગળી માટે માત્ર 60 થી 70 રૂપિયા પ્રતિ મણ મળતા હોવાથી 1 કિલો ડુંગળીનો ભાવ 4-5 રૂપિયા જેટલો થઇ ગયો છે. બીજી તરફ, નાસિકમાં ડુંગળીના ભાવ 250 થી 300 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 60 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ મણ (3થી 14 રૂપિયા પ્રતિ કિલો) સુધી વેચાઇ રહી છે. ખેડૂતો કહે છે કે ડુંગળીનું યોગ્ય ભાવ 15 રૂપિયા પ્રતિ કિલો હોવું જોઈએ, પરંતુ હાલમાં 3-4 રૂપિયાના ભાવમાં વેચાણ કરવું મજૂરી અને યાર્ડ સુધી પહોંચાડવાના ખર્ચને પહોંચી વળવાનું પણ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી…
સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો
મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ ઉછાળો આવી રૂપિયા 2.72 લાખ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે, જ્યારે સોનાના ભાવમાં પણ લગભગ એક ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ચાંદીનો ભાવ શુક્રવારના બંધ ભાવ રૂપિયા 2,55,000 પ્રતિ કિલોગ્રામથી રૂપિયા 17,000 અથવા 6.66 ટકાની તેજી સાથે રૂપિયા 2,72,000 પ્રતિ કિલોગ્રામ થયો છે. તે જ સમયે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રૂપિયા 1,300 અથવા 0.83 ટકા વધીને રૂપિયા 1,58,500 પ્રતિ 10 ગ્રામ થયું છે. અગાઉના સત્રમાં સોનું રૂપિયા 1,57,200 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ…
પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં
પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સંક્ષિપ્ત, પરંતુ મહત્વપૂર્ણ પોસ્ટ કરી છે. જનરલ નરવણે લખ્યું: “પુસ્તક હજી પ્રકાશિત થયું નથી”, જે માત્ર 7 શબ્દોમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરે છે. તેમણે સાથે જ પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયાની પોસ્ટને રીપોસ્ટ કરીને પરોક્ષ રીતે સ્વીકાર્યો છે કે પુસ્તક હજી દુકાનોમાં ઉપલબ્ધ નથી. આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે જ્યારે પુસ્તકના કન્ટેન્ટને લઈને ભારે વિવાદ ઊભો થયો હતો. પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ હજી પ્રકાશિત થયું નથી, અને ડિજિટલ…
અમિત શાહે આપ્યું સાયબર ખતરા અંગે મોટું એલર્ટ, મોબાઇલમાં ડેટા સુરક્ષિત નથી
ભારત ઝડપી ગતિથી ડિજિટલ યુગમાં આગળ વધતું હોવા છતાં ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મોબાઈલ અને ડિજિટલ પ્લેટફોર્મમાં આપનો ડેટા હવે સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે સાઇબર ફ્રોડ અને ડેટા ચોરી હવે માત્ર વ્યક્તિગત નુકસાનની બાબત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ પહોંચાડે છે. અમિત શાહે જણાવ્યું કે સંવેદનશીલ ડેટા દુશ્મન તત્વોના હાથમાં જાય તો આ અર્થતંત્ર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રની કામગીરીને અસર કરી શકે છે. બેંકિંગ, ટેક્સ, હેલ્થ, ટેલિકોમ અને નાગરિકોની ખાનગી માહિતી હવે મોટા પાયે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ખોટા હાથમાં આ માહિતી જાય તો તેનો પ્રભાવ વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરે ગંભીર થાય છે. સરકાર અને તપાસ એજન્સીઓએ મળીને અત્યાર સુધી લગભગ 8,000 કરોડ રૂપિયાની સાઇબર ઠગાઈ અટકાવી છે. આ…
રણવીર સિંહને મળી ધમકી: વોઈસ નોટમાં કરોડો રૂપિયાની માંગી ખંડણી, ઘરની સુરક્ષા વધારાઈ
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને તાજેતરમાં ધમકીભર્યો સંદેશ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વોટ્સએપ વોઇસ નોટ દ્વારા કોઈ અજાણ્યા શખ્સે રણવીરને કરોડો રૂપિયાની માંગણી કરી છે. આની જાણ મુંબઈ પોલીસને તરત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસએ અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે અને સાવચેતીના પગલાં લીધાં છે. ધમકી આપનાર વ્યક્તિએ એમ પણ જણાવ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. તાજેતરમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના મુંબઈમાં ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી, જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો હતો. હુમલામાં રોહિત શેટ્ટીને કોઈ ઈજા પહોંચી નહોતી, પરંતુ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ રાખ્યો છે અને વિસ્તારની સુરક્ષા વધારી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા…
















