સંસદમાં વડાપ્રધાન પ્રશ્નકાળ શરૂ કરવાનું સૂચન, વર્ષમાં 100 દિવસ ગૃહ ચલાવવાની માંગ
સંસદની કાર્યવાહી પર એક નવું પુસ્તક પબ્લીશ થયું છે. આ પુસ્તક સૂચવે છે કે સંસદમાં ચર્ચાના સ્વરૂપમાં વ્યાપક પરિવર્તન અને નવીનતાની જરૂર છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે નેતાઓ દ્વારા વારંવાર નિવેદનબાજી કરવાને બદલે, સંસદમાં લોકોની આકાંક્ષાઓને વધુ સારી રીતે રજૂ કરવાની અને લોકોની સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ પુસ્તકમાં વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ સંસદની કાર્યવાહી ચલાવવા અને કારોબારી વધુ જવાબદાર બનાવવા માટે વડા પ્રધાનનો પ્રશ્નકાળ શરૂ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયના ભૂતપૂર્વ અધિક સચિવ દેવેન્દ્ર સિંહ દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ ઇન્ડિયન પાર્લામેન્ટ: સંવિધાન સદન ટુ સંસદ ભવન’ માં જણાવાયું છે કે ‘વડાપ્રધાનના પ્રશ્નકાળની રજૂઆત ભારતીય સંસદીય ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત કરશે.’ તેમાં કહેવામાં આવ્યું છે કે…
અંક જ્યોતિષ/20 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાશિફળ/20 એપ્રિલ 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ (અ,લ,ઈ) ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે, પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. જેમની…
અમિત શાહ 22 એપ્રિલે ‘સેવ અર્થ કોન્ક્લેવ’નું ઉદ્ઘાટન કરશે, ટકાઉ વિકાસ અને વાંસના ઉપયોગ પર ફોકસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 એપ્રિલ, મંગળવારે લાતુરમાં આયોજિત ‘સેવ અર્થ કોન્ક્લેવ’ (Save Earth Conclave) નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવનું આયોજન ફોનિક્સ ફાઉન્ડેશન, લાતુર અને Indian Chamber of Food and Agriculture દ્વારા કરવામાં આવ્યું છે. ક્લાઈમેટ ચેન્જ સામે વાંસ નવી દિશા કોન્ક્લેવમાં ખાસ કરીને આબોહવા પરિવર્તનને ધીમી ગતિ આપવા માટે વાંસ (bamboo) ની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેની આર્થિક વપરાશક્ષમતા પર ચર્ચા થશે. મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ અને ટકાઉ વિકાસ પરના મુખ્યમંત્રી ટાસ્કફોર્સના અધ્યક્ષ પાશા પટેલે જણાવ્યું હતું કે, “આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે પર્યાવરણ બચાવીએ અને સાથે સાથે ખેતી અને ઉદ્યોગ જગતમાં વાંસનો વ્યાપક ઉપયોગ કરવો શરૂ કરીએ.” કોન્ક્લેવના મુખ્ય મુદ્દા: – વાંસના ઉત્પાદન અને ઉપયોગની સંભાવનાઓ – પર્યાવરણને અનુકૂળ ઉદ્યોગોની સ્થાપના – ખેડૂતો…
US ઉપરાષ્ટ્રપતિ J.D. Vance નો ભારત પ્રવાસ, PM મોદીની હાજરીમાં થશે દ્વિપક્ષીય ચર્ચા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 22 એપ્રિલથી 4 દિવસ માટે ભારતના ઐતિહાસિક પ્રવાસે આવી રહ્યા છે. તેમના સાથે તેમના પત્ની ઉષા વાન્સ (ભારતીય મૂળની) અને ત્રણ સંતાનો પણ છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિવિધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. પ્રવાસનો શરૂઆતનો દિવસ જેડી વાન્સ પરિવાર સોમવારે સવારે પાલમ એરબેઝ પર પહોંચશે. અહીં તેમનું સ્વાગત એક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી કરશે. દિલ્હીમાં, વેન્સ પરિવાર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. તેઓ પરંપરાગત હસ્તકળાના શોપિંગ કોમ્પ્લેક્સ પણ જોઈ શકે છે. PM મોદીના સાથે મહત્વપૂર્ણ બેઠક અને રાત્રિભોજન સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદીની હાજરીમાં દ્વિપક્ષીય ચર્ચા યોજાશે, જેમાં વેપાર, ટેરિફ, ટેક્નોલોજી સહકાર, અને આંતરરાષ્ટ્રીય મામલાઓ પર ચર્ચા થશે. ત્યારબાદ PM મોદીના નિવાસસ્થાને વિશિષ્ટ…
અમદાવાદ : નરોડા વિસ્તારમાં સર્જાયો અકસ્માત, બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં 2 ઘાયલ
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં શનિવારે સાંજના સમયે લિફ્ટ તૂટી પડવાની ઘટના ઘટી હતી. લિફ્ટ તૂટીને સીધા બેઝમેન્ટમાં પટકાતા આશરે 2 વ્યક્તિઓને સામાન્ય ઇજા થવા પામી છે, જ્યારે લિફ્ટમાં ફસાયેલા મહિલાઓ અને બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાએ રહીશો અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ઘટનાનો ક્રમ અને તાત્કાલિક રાહત કાર્ય પ્રાથમિક માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટમાં અનેક લોકો સવાર હતા. લિફ્ટ કામ કરતી વખતે અચાનક તેની કેબલ તૂટી ગઈ હોવાનું મનાય છે, જેના કારણે લિફ્ટ સીધી નીચે બેઝમેન્ટમાં પટકાઈ ગઈ. દુર્ઘટના સમયે અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતા. દરવાજા લોક થઇ જતા લોકોએ અવાજ કરી બચાવની અપીલ કરી હતી. બિલ્ડિંગના રહીશો અને સુરક્ષા કર્મચારીઓએ…
નર્મદા : સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, કાકી પાસે ભત્રીજાની બિભત્સ માંગણી
સંબંધો આજે નિષ્ઠુર બની રહ્યા છે એનો જીવતો પુરાવો બની ગયો છે નર્મદા જિલ્લાના પીપલોદ ગામનો આ હૃદયવિદારક બનાવ, જ્યાં ભત્રીજાએ પોતાની કાકી પાસેથી બિભત્સ માંગણી કરી, અને તેણીએ ના પાડી તો ગળું દબાવીને તેનો જીવ લીધો. 48 વર્ષીય મહિલાની ઘર આંગણે જ હત્યા ઘટનામાં મૃતક રમીલાબેન વસાવા (ઉ. વ. 48) નું શવ તેમના ઘરે આંગણામાં મળતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી. પુત્રીના ફરિયાદ બાદ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હત્યા બીજા કોઈએ નહીં, પણ તેમના જ ભત્રીજા મહેશભાઈ રૂમાભાઈ વસાવાએ કરી હતી. માઘરેલા સંબંધોને કટોકટીનો અંજામ આરોપી મહેશે પોલીસ સામે કબુલાત આપી છે કે, તેણે પોતાની કાકી સામે અશ્લીલ માંગણી રાખી હતી. જ્યારે રમીલાબેન એ માંગણી માની ન હતી, ત્યારે ગુસ્સામાં…
RR vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું, અવેશ ખાને કરી ધમાકે દર બોલિંગ
IPL 2025ની શનિવારે રમાયેલી થ્રિલર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ રોમાંચક જીત નોંધાવી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં LSG એ અવેશ ખાનની ઘાતક બોલિંગના દમ પર રાજસ્થાન રોયલ્સ (RR) સામે માત્ર 2 રનથી વિજય મેળવ્યો. લખનૌ માટે આ સિઝનમાં પાંચમી જીત રહી છે, જેનાથી તેઓ અંકતાલિકા (પોઇન્ટ ટેબલ)માં ચોથા સ્થાને પહોંચી ગયા છે, જ્યારે સતત હાર સાથે રાજસ્થાન 8મા ક્રમે ખસી ગયું છે. પ્રથમ બેટિંગ: લખનૌ સુપર જાયન્ટ્સ – 180/5 (20 ઓવરમાં) ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરનાર લખનૌ સુપર જાયન્ટ્સ માટે એડન માર્કરામ (55) અને આયુષ બદોની (58) એ મજબૂત પ્લેટફોર્મ ઊભું કર્યું. બંને ખેલાડીઓએ મિડલ ઓવર્સમાં દબાણ સર્જી વિરુદ્ધ બોલર્સને દબાવી દીધા. તેમના વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારીથી ટીમ 180 રન સુધી…
રાજકોટમાં સામસામે ગાડીઓ અથડાતા 4 લોકોનાં મોત
શહેરમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-સરધાર રોડ પર બે કાર વચ્ચે સામસામે અથડાતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના જીવ જતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અકસ્માત રાજકોટના સરધાર પાસે ભાડલા રોડ પર થયો હતો, જ્યાં બંને વાહનો વચ્ચે ઝડપથી સામસામે અથડામણ થઈ. અથડામણ એટલી ગંભીર હતી કે બંને કાર તાત્કાલિક ભડભડીને સળગી ઉઠી હતી અને થોડી જ વારમાં બળીને ખાક થઈ ગઈ. લોકોના જણાવ્યા મુજબ, ચાર વ્યક્તિઓ અકસ્માત સમયે કારમાં ફસાઈ ગઈ હતી અને તેઓ જીવતા ભડથું થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતની…
આવતીકાલે GPSC વર્ગ 1-2ની લેવાશે પરીક્ષા, 405 કેન્દ્રમાં 97 હજાર જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા
આવતી કાલે રાજ્યમાં GPSC ક્લાસ-1-2 માટે 21 જિલ્લામાં પરીક્ષા યોજાશે. જેને લઈને 21 જિલ્લાના 405 કેન્દ્રમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યમાં કુલ 97 હજાર જેટલા ઉમેદવારો રવીવારે પરીક્ષા આપશે. GPSC દ્વારા પરીક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સાથે ઉમેદવારો માટે વેબસાઈટ પર જરુરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે. રવીવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવાોરને પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે. દિવ્યાંગ ઉમેદવાર માટે અલગ રૂમ અને વ્હિલચેરની વ્યવસ્થા કરાશે. પરીક્ષાર્થીની હાજરીમાં જ OMR સીલ કરી સહી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
















