પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે

જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ આતંકી હુમલા અંગે નિવેદન આપતા રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમાર તેમજ સુરત શહેરના વરાછાના વતની અને હાલ મુંબઈ રહેતા શૈલેશભાઈ કળથિયાના દુઃખદ અવસાનની ખબરથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ખેદજનક અને માનવતા વિરોધી ઘટનાની સમગ્ર વિશ્વના લોકો તરફથી તીવ્ર નિંદા કરવામાં આવે છે. સુરત અને ભાવનગર સાથે રાજ્યના લોકો શહીદ થયેલા પરિવારજનો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી સાથે સાંત્વના પાઠવે છે.

વધુમાં રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, શહીદ શૈલેષભાઈના મૃતદેહ અને તેમના પરિજનોને રાત્રે 10 વાગ્યે સુરત હવાઈમથક પર લાવવામાં આવશે, જ્યાં આદરણીય કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજી તથા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી દુઃખની ઘડીમાં આ પરિવારજનોને સાંત્વના આપશે અને દુઃખની આ ઘડીમાં જોડે રહેશે.

Related Posts

વાવમાં ડીઝલ અછતની અફવાએ મચાવ્યો હાહાકાર: પેટ્રોલ પંપ પર લાગી કેરબાઓની લાંબી કતારો

વાવ-થરાદ વિસ્તારમાં ડીઝલની અછતની અફવા ફેલાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલ નહીં મળે તેવી ભીતિને કારણે વાવ-થરાદ હાઈવે પર આવેલા જીઓ પેટ્રોલ પંપ…

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *